29 December 2015

મારે ફરી એકવાર શાળાએ જવું છે.

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

દોડતાં જઈને મારી રોજની
બાંકડીએ બેસવું છે,

રોજ સવારે ઊંચા અવાજે
રાષ્ટ્રગીત ગાવું છે.

નવી નોટની સુગંધ લેતાં
પહેલા પાને ,

સુંદર અક્ષરે મારું નામ
લખવું છે.

...મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

રીસેસ પડતાં જ વોટરબેગ
ફેંકી,

નળ નીચે હાથ ધરી પાણી
પીવું છે.

જેમ તેમ લંચબોક્સ
પૂરું કરી...

મરચુ મીઠું ભભરાવેલ,
આમલી-બોર-જમરુખ-
કાકડી બધું ખાવું છે.

સાઈકલના પૈડાની સ્ટમ્પ
બનાવી ક્રિકેટ રમવું છે,

કાલે વરસાદ પડે તો નીશાળે
રજા પડી જાય ,

એવાં વિચારો કરતાં રાતે
સુઈ જવું છે,
અનપેક્ષીત રજાના આનંદ
માટે...

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

છૂટવાનો ઘંટ વાગવાની રાહ
જોતાં,

મિત્રો સાથે ગપ્પાં મારતાં
વર્ગમાં બેસવું છે.

ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ
કરીને,

સાઈકલની રેસ લગાવતાં ઘેર
જવું છે.

રમત-ગમતના પીરીયડમાં...

તારની વાડમાંના બે તાર
વચ્ચેથી સરકી બહાર ભાગી
જવું છે.

તો ભાગી જવાની મોજ
અનુભવવા...

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

દીવાળીના વેકેશનની રાહ
જોતાં,

છ માસીક પરીક્ષાનો અભ્યાસ
કરવો છે.

દીવસભર કિલ્લો બાંધીને માટીને
પગથી તોડી,

હાથ ધોયા વિના ફરાળની
થાળી પર બેસવું છે.

રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા
પછી,
તેમાંથી ન ફૂટેલા ફટાકડા
શોધતાં ફરવું છે.

વેકેશન પત્યા પછી બધી
ગમ્મતો દોસ્તોને કહેવા...

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

કેટલીયે ભારે જવાબદારીઓના
બોજ કરતાં ,

પીઠ પર દફતરનો બોજ
વળગાડવો છે....

ગમે તેવી ગરમી મા
એરકંડીશન્ડ ઓફીસ કરતાં,

પંખા વીના ના વર્ગમાં બારી
ખોલીને બેસવું છે.

કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે
ઓફીસની આરામદાયક ખુરશી
કરતાં,

બે ની બાંકડી પર ત્રણ
દોસ્તોએ બેસવું છે...

"બચપણ પ્રભુની દેણ છે"-
તુકારામના એ અભંગનો
અર્થ હવે થોડો સમજમાં
આવવા માંડ્યો છે.

એ બરાબર છે કે નહી તે
સાહેબને પુછવા માટે...

મારે ફરી એકવાર શાળાએ
જવું છે.

નાનો હતો ત્યારે જલ્દી મોટા
થવું હતું...

આજે જયારે મોટો થયો ત્યારે
ખ્યાલ આવે છે કે,

"તૂટેલા સ્વપ્નો" અને
"અધુરી લાગણીઓ" કરતા-

"તૂટેલા રમકડા" અને
"અધૂરા હોમવર્ક" સારા હતા..

આજે સમજાય છે કે જયારે
"બોસ" ખીજાય એના કરતા,

શાળા માં શિક્ષક "અંગુઠા"
પકડાવતા હતા એ સારું હતું...

આજે ખબર પડી કે ૧૦-૧૦
રૂપિયા ભેગા કરી ને જે
નાસ્તા નો જે આનંદ આવતો
હતો એ આજે "પીઝા" મા
નથી આવતો...

ફક્ત મારેજ નહી,
-કદાચ આપણે બધાને ફરી સ્કુલે
જવું છે...😊

પ્રેમ શું છે?

ઘણા લોકો ક્યારે નહીં સમજી શકે કે પ્રેમ શું છે?
એનું સરસ ઉદાહરણ નીચે છે. વાંચવા જેવું છે.
એક પ્રેમીકા, તેના પ્રેમીને વાતચીત દરમ્યાન પૂછે છે કે,
તું કેમ મને પસંદ કરે છે? તું કેમ મને પ્રેમ કરે છે?
પ્રેમીઃ “હું તેનું કોઇ કારણ કહી શકું તેમ નથી, પણ હા, તું
મને ખુબ જ પસંદ છે.”
પ્રેમીકાઃ જો તું મને તેનું કોઇ કારણ ના કહી શકે તો.. તું
મને કેવી રીતે પસંદ
કરી શકે અને પ્રેમ કરી શકે ?
પ્રેમીઃ મને ખરેખર તેનું કારણ નથી ખબર, પણ હું એ સાબિત
કરી શકું કે હું તને પ્રેમ કરું છું.
પ્રેમીકાઃ સાબિત ? ના હું ઇચ્છું છું કે તું મને કારણ કહે.
મારી એક મિત્ર નો દોસ્ત
તેને કેમ ચાહે છે તેનું કારણ કહી શકે છે તો તું કેમ નહીં ?
પ્રેમીઃ સારું સારું…. અને તેણે કારણ આપવાનું ચાલું કર્યુ.
૧. કારણકે, તું ખુબ સુંદર છે.
૨. કારણકે, તારો અવાજ ખુબ મધુર છે.
૩. કારણકે, તું મારી સારસંભાળ રાખે છે.
૪. કારણકે, તું ખુબ જ પ્રેમાળ છે.
૫. કારણકે, તું મુક્તવિચારો ધરાવે છે.
૬. કારણકે, તારું સ્મિત ખુબ જ સુંદર છે.
૭. કારણકે, તારી દરેક હરકતો મને પસંદ છે.
પ્રેમીકા, પ્રેમી ના મુખે કારણો સાંભળી ને ખુબ જ ખુશ થઇ
ગઇ.
અને થોડા દિવસ પછી, પ્રેમીકા નો અક્સ્માત થયો અને તે
કોમા માં જતી રહી.
તેના પ્રેમી એ એક પત્ર લખીને તેની બાજુ માં મુક્યો અને
તેમાં લખ્યુ હતું,
૧. તારો અવાજ ખુબ જ મધુર હતો કે જેના લીધે હું તને પ્રેમ
કરતો હતો,
પણ હવે તું બોલી નથી શકતી તેથી હું તને પ્રેમ ના કરી શકું.
૨. તારી સારસંભાળ રાખવા ની આદત મને પસંદ હતી, પણ
હવે તો
તે કરી શકતી નથી તેથી હું તને પ્રેમ ના કરી શકું.
૩. તારું હસવું તારી હરકતો, પણ હવે તું તે કરી શકતી નથી,
તેથી હું તને પ્રેમ ના કરી શકું.
૪. જો પ્રેમ ને કારણોની જરૂર પડે, કે જેવી અત્યારે પડે છે,
તો એવું કોઇ કારણ નથી, મારા માટે કે હું તને વધુ પ્રેમ
કરી શકું.
શું પ્રેમ ને કારણ જોઇએ ?
ના, માટે હું હજુ પણ તને જ પ્રેમ કરું છું.
પ્રેમ માં કોઇ શર્ત ના હોઇ,શર્ત રાખી ને પ્રેમ થાય તે
પ્રેમ ના હોઇ શકે.તમો ને શું લાગે છે કે રાધા એ શ્યામ સાથે
કોઇ શર્ત રાખી ને પ્રેમ કરયો હશે ના
પ્રેમ માં કોઇ શર્ત હોતીજ નથી.પ્રેમ ફીલ કરી શકાય
છે.આજ કાલ લોકો પ્રેમ ને
હવસ નું નામ આપી દે છે.મિત્રો પ્રેમ એ શરીર ની ભુખ નથી,
ભુખ છે તે પ્રેમ
નથી.પ્રેમ એટલે વિના કોઇ શરતે માત્ર આપવુંજ નહી કે
લેવુ.રાધે એ માત્ર શ્યામ
ને પ્રેમજ આપ્યો કોઇ અપેષા વગર અને પ્રેમ માં સાથે રહેવું એ
પણ મહતવ નું
નથી પણ જે સમય સાથે હોય ત્યારે જીંદગી જે જીવી જાય તે
મહતવ નું હોય છે.
પ્રેમી થી તેની પ્રેમીકા કોઇ દિવસ તેના થી દુર હોતીજ
નથી તે તેના દિલ માં સ્થાન
જ્માવી ને બેસી હોય
છે.પ્રેમીકા હમેંશા પ્રેંમી ની આસપાસજ હોય છે.
“હર પળ લાગે છે કે જાણે, તું કયાંક આસપાસ છે,
. . . . . . ઉઘાડી આંખે દેખાતું આ સ્વપન, આ સત્ય છે કે 'આભાસ'
છે.”

28 December 2015

ચાલો થોડું માણસ-માણસ રમીએ...!!!

નાની સરખી વાતમાં કેટલું લડે?
ઇંચ જેટલું હસે ને ફૂટ જેટલું રડે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

મકાનો બાંધે ને સંબંધોને ચણે,
દરેક વાતમાં બસ પૈસા જ ગણે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

ચાર આનાની પીએ રૂપિયાની ચડે,
ગાયની રોટલી લઈને કુતરાને ધરે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

બીજાનું સારું જોઇને દિલમાં બળે,
પોતાનાને પાડવાના મનસુબા ઘડે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

વાત સિંહની કરે ને કુતરાથી ડરે,
જરાક આંખો કાઢો તો ઉચાળા ભરે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

કપડા સુગંધીદાર, વિચારો સડે,
સરવાળે તો માણસ બહુ મોંઘો પડે.

વિતેલા દિવસો પાછા નહીં આવે, 
સમય ની કિંમત સમજતાં થઇએ..!
વાંક મારો હતો કે તારો,
એ વાત ને હવે ભુલતા થઇએ...!

અરસ પરસ થોડુ સહન કરી લઈ ને,
ચાલો સબંધો સાચવતા થઇએ...!

માત્ર "આજ" આપણને મળી છે,
કાલની કોઈ ને ખબર કયાં,
ચિંતાની ગાંઠ બાજુ એ મુકી,
ચાલ હરપળ માં જીવતાં થઇએ...!

નમીએ, ખમીએ,
એક  બીજા ને ગમીએ,
અને સુખ-દુઃખમાં
એક બીજાને કહીએ,
"તમે ફિકર ના કરો અમે છઈએ,"

આજે  એક નવો જ સંકલ્પ લઈએ,
"એક  બીજાની અદેખાઈ, સ્પર્ધા તજીએ,
એક બીજાના પુરક બનીએ,"
ચાલો થોડું માણસ-માણસ રમીએ...!!!

27 December 2015

ભુલો થી માણસ હોશયાર થાય,

હોશીયાર માણસ થી ભુલો થાય,
તેવુ કયારેક બને છે...

પણ ભુલો થી માણસ હોશયાર થાય,
તેવુ જરૂર બને છે...

25 December 2015

હરિ, નિશાળે આવો.

***
હરિ, નિશાળે આવો.

હરિ, નિશાળે આવો.
સરકારી શાળાનો થોડોક તમેય લ્યોને લ્હાવો...!!

પાછલી રાતના જાગી પાકાં પાઠ નહીં કરવાનાં
પરીક્ષા આપો કે ના આપો તોય પાસ કરવાનાં
આઠમા ધોરણ સુધી સડસડાટ ઉપર જ ચઢાવો..!!
હરિ, નિશાળે આવો...

વર્ગખંડ કરતાં પણ શિક્ષક રહે છે વર્ગની બહાર
બીએલઓ-એનપીઆર-ચૂંટણી કામોની ભરમાર
નિશાળનો હેડ માસ્તર તો છે જાણે ભટકતો બાવો..!!
હરિ, નિશાળે આવો...

સમૂહજીવન ને શ્રમકાર્યની વાત બધી જૂનવાણી
'બાયસેગ'ની ટેલિકોન્ફરન્સમાં નિરખો પ્રધાનવાણી
અહેવાલ-ફોટા-દેખાડાનાં અભિયાન ચલાવો...!!
હરિ, નિશાળે આવો...

ઉત્સવની ઉજવણી, ઇવેન્ટ્સ, સ્પર્ધા ચાલે રોજ
શિક્ષણેતર કામગીરીઓમાંથી માણો મોજ
સરકારીમેળામાં મ્હાલો, પ્રચારપતંગ ચગાવો..!!
હરિ, નિશાળે આવો...

આરટીઈ ને આરટીઆઇનું ભૂત ધૂણતું આવે
'સમયમર્યાદા'માં અંત્યંત જરુરી માહિતી મંગાવે
આવક-જાવકની ટપાલનો ખૂબ વધ્યો ફૂગાવો...!!
હરિ, નિશાળે આવો...

-એકલવ્ય

24 December 2015

આજે કેટલાય પરીવારો સાથે હોત.......!!!!

કદાચ વાસણો પર નામ લખવા નુ મશીન ન શોધાયું હોત તો......

આજે કેટલાય પરીવારો સાથે હોત.......!!!!!!

દિકરી ને ખુબ પ્રેમ કરો

દિકરો
8 વર્ષ : પપ્પા મને રીમોટ કંટ્રોલ વાળી કાર જોઇએ છે. ( ઇચ્છા પુરી )
11 વર્ષ : પપ્પા મને ₹200 વાળી પાર્કર ની પેન જોઈએ છે.
( ઇચ્છા પુરી )
17 વર્ષ : પપ્પા મને સ્પોર્ટ્સ બાઇક જોઈએ છે.
( ઇચ્છા પુરી )
21 વર્ષ : પપ્પા મને તમારી્ પ્રોપર્ટીમા મારો ભાગ જોઈએ છે.
( ઇચ્છા પુરી )
25 વર્ષ : પપ્પા મને તમે આ ઘરમાં નથી જોઇતાં.
( ઇચ્છા પુરી )
દિકરી
8 વર્ષ : પપ્પા મને તમારી સાથે સમય વીતાવો છે.
( પપ્પા પાસે સમય નથી )
11 વર્ષ : પપ્પા મને તમારી સાથે રમવું છે.
( પપ્પા પાસે સમય નથી )
17 વર્ષ : પપ્પા મને તમારી સાથે ફરવું છે.
( પપ્પા ધ્યાન નથી દેતાં )
21 વર્ષ : ( લગ્ન વખતે ) પપ્પા મારે તમને એકલા મુકીને નથી જવું.
( એ શક્ય નથી )
25 વર્ષ : પપ્પા તમે ચિંતા ન કરશો મારી સાથે રહેવા આવી જાવ.
( ઇચ્છા પુરી )
કારણકે હવે પપ્પાને ખબર પડી ગઇ છે કે ખરેખર દિકરી આપડી હોયછે અને દિકરો પારકો હોયછે.
ભાગ્યશાળી છેં એ કે જેના ઘરે દિકરી છેં.
અરે ભગવાન પણ ભાગ્યશાળી નેજ દિકરી આપેછે.
દિકરી એતો ભગવાન એ બનાવેલી અને દીધેલી ખુબ જ સુંદર ભેટ છે.
માટે આપ સૌને નમ્ર વિનંતિ છેકે દિકરી ને ખુબ પ્રેમ કરો અને દિકરી નો આદર્ કરો.

22 December 2015

સામે વાળી વ્યક્તિને જે દેખાતું હોય તે આપણને ન દેખાતું હોય !

🌟🌷આજની પ્રેરક પ્રસંગ વાર્તા 🌟🌷
  
🌷 શિક્ષણ સેતુ 🌷

એક શાળામાં ગણિતના શિક્ષક વર્ગ લઇ રહ્યા હતા. એક વિદ્યાર્થી પાસે જઇને આ શિક્ષકે પેલા વિદ્યાર્થીને પ્રશ્ન પુછ્યો કે , બેટા હું તને એક સફરજન આપુ અને ફરીથી એક સફરજન આપુ અને ફરી પાછું એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય ? પેલા વિદ્યાર્થીએ આંગળાના વેઢા ગણવાના વેઢા ગણીને થોડોક વિચાર કરીને જવાબ આપ્યો કે સાહેબ તો કુલ ચાર થાય.
શિક્ષકને લાગ્યુ કે આ વિદ્યાર્થીને બરોબર સંભળાયું નથી લાગતુ એટલે એણે પ્રશ્ન રીપીટ કર્યો . બેટા જો બરોબર ધ્યાનથી સાંભળ હું તને એક સફરજન આપું અને પછી ફરી પાછુ એક સફરજન આપુ અને ફરીથી એક સફરજન આપુ તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય ?

પેલા વિદ્યાર્થીએ ફટાક દઇને જવાબ આપ્યો કે સર કુલ ચાર સફરજન થાય.
શિક્ષકને થયુ આ વિદ્યાર્થીને કંઇક અલગ રીતે પુછુ એટલે એણે પેલા વિદ્યાર્થીને પુછ્યુ કે બેટા તને સૌથી વધુ ક્યુ ફળ ભાવે ? છોકરા એ કહ્યુ સાહેબ મને કેરી બહુ જ ભાવે. શિક્ષકને થયુ એના મનપસંદ ફળની વાત કરીશ એટલે ધ્યાનથી સાંભળશે.

બેટા હવે સાંભળ જો હું તને એક કેરી આપુ અને પછી ફરીથી એક કેરી આપુ અને ફરી એક કેરી આપુ તો તારી પાસે કુલ કેટલી કેરી થાય ? પેલા છોકરાએ જવાબ આપ્યો કે સર, મારી પાસે કુલ ત્રણ કેરી થાય. જવાબ સાંભળીને શિક્ષકે કુદકો માર્યો. શાબશ બેટા તું બિલકુલ સાચો છે. બેટા હવે મને જવાબ આપ કે હું તને એક સફરજન આપુ અને ફરીથી એક સફરજન આપુ અને ફરી પાછું એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય ? પેલા એ જવાબ આપ્યો સર તો મારી પાસે કુલ ચાર સફરજન થાય.

જવાબ સાંભળીને શિક્ષકને પોતાના વાળ ખેંચવાનું મન થયુ ગુસ્સાથી પેલા વિદ્યાર્થીને કહ્યુ કે ડફોળ ચાર સફરજન કેવી રીતે થાય. છોકરાએ પોતાના દફતરમાં હાથ નાખીને એક સફરજન બહાર કાઢીને કહ્યુ સર મારી મમ્મીએ એક ભાગમાં આપ્યુ છે!!!!!!!!!

🍁🍁જીવનમાં પણ આવું જ બને છે આપણે સામેવાળા પાસેથી જે જવાબની અપેક્ષા રાખતા હોય એ જવાબ ન મળે ત્યારે આપણી હાલત આ શિક્ષક જેવી જ થાય છે અરે ભાઇ ઘણીવાર એવું પણ બને કે સામે વાળી વ્યક્તિને જે દેખાતું હોય તે  આપણને ન દેખાતું હોય !🍁🍁

💲🔚🔚🔚🔚🔚🔚🔚🔚💲

સા.વિ ધો-7 સે-2

🍃💫🌾🌹🌻
✅સા.વિ

ધો-7 સે-2
🌻🌹🌾🍃💫
♦મધ્યયુગીન ગુજરાત
💫🍃🌾🌹🌻
➡ગુજરાતમાં ચાવડાવંશ, વાઘેલાવંશ અને સોલંકી વંશના શાસકોએ કેટલાં વર્ષ શાસન કર્યું ? - 560 વર્ષ.
(૨) મધ્યયુગીન ગુજરાતમાં ગુજરાતની રાજધાની કઈ હતી ? - અણહિલવાડ પાટણ.
(૩) અણહિલવાડ પાટણને સ્થાપનાર રાજાનું નામ જણાવો. - વનરાજ ચાવડા.
(૪) સિધ્ધરાજ જયસિંહે કયો ગ્રંથ બનાવડાવ્યો હતો ? - સિધ્ધહેમ શબ્દાનુંશાસન.
(૫) સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી ? - મૂળરાજ સોલંકી.
(૬) પાટણની ઐતિહાસિક રાણકી વાવ કોણે બંધાવી હતી ? - રાણી ઉદયમતિ.
(૭) સિધ્ધરાજ જયસિંહે પાટણમાં કયું તળાવ બંધાવ્યું હતું ? - સહસ્ત્રલિંગ તળાવ.
(૮) શાહબુદ્દીન ધોરીને કઈ રાણીએ યુધ્ધમાં હાર આપી હતી ? - નાઈકીદેવી.
(૯) વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ જણાવો. - કરણદેવ વાઘેલા.
(૧૦) અહમદશાહે 1411 માં કયું નગર વસાવ્યું ? - અમદાવાદ.
(૧૧) ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત ક્યારે થઈ ? - સત્તરમી સદીમાં.
(૧૨) રાજધાનીનો પ્રદેશ સરસ્વતી નદીના કિનારે હોવાથી ક્યાં નામે ઓળખાતો ? - સરસ્વતીમંડલ.
(૧૩) સોલંકી યુગ દરમિયાન અગિયારમી સદીમાં મોઢેરામાં શાનું નિર્માણ કરવામાં આવ્યું ? - સૂર્યમંદિર.
(૧૪) વડનગરનાં ઐતિહાસિક સ્થાપત્યનું નામ જણાવો. –
કિર્તિતોરણ.
💫🍃🌹🌻🌾
♦પાઠ-૨ ભારત : આબોહવા અને કુદરતી સંશોધનો.
🌾🌻🌹🍃💫
➡(૧) ભારતની મધ્યમાંથી કયું વૃત પસાર થાય છે ? -કર્કવૃત. (૨) ઊંચાઈ પર આવેલાં સ્થળોનું તાપમાન કેવું હોય છે ? -ઠંડું.
(૩) ઓકટોબર – નવેમ્બર માસમાં ક્યાં પવનોને લીધે વરસાદ પડે છે ? - મોસમી પવનો.
(૪) પૃથ્વી પર કુદરતી રીતે સર્જાયેલાં, સરળતાથી મળી આવતા અને માનવીને ઉપયોગમાં આવતાં કુદરતી પદાર્થોને શું કહે છે ? - કુદરતી સંશાધનો.
(૫) ગંગા નદીનું બીજું નામ જણાવો. -ભગીરથી.
(૬) બિહારની કઈ નદીમાં દર વર્ષે પૂર આવે છે ? -કોસી નદી. (૭)કાશ્મીરમાં પાણીના ક્યાં સરોવરો આવેલાં છે ? - દાલ અને વુલર.
(૮) ગુજરાતની સૌથી મોટી બહુહેતુક યોજના કઈ છે ? - નર્મદા યોજના.
(૯) જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામી રાસાયણિક બંધારણ ધરાવતાં પદાર્થોને શું કહે છે ? - ખનીજો. (૧૦)આ ખનીજનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં સૌથી વધુ થાય છે ? - સોનું.
(૧૧) ભારતમાં કેટલી જાતનાં વૃક્ષો થાય છે ? - ૫000. (૧૨)અંદમાન અને નિકોબાર દ્રીપસમૂહોના વૃક્ષોની ઊંચાઈ કેટલી હોય છે ? - 30 થી 35 મીટર.
(૧૩) ગંગા નદીના મુખત્રિકોણ પ્રદેશમાં બનેલું જંગલ ક્યા નામથી ઓળખાય છે ? - સુંદરવન.
(૧૪) હોડી કે સ્ટીમરો ક્યા વ્રુક્ષના લાકડામાંથી બને છે ? - સુંદરીના.
(૧૫) ભારતના વિશિષ્ઠ પ્રાણીનું નામ જણાવો. – ગેંડો.
🍀🌾🌻🌹🍃💫
♦પાઠ- ૩. અદાલતો શા માટે ?
🍀🌾🌻🌹🍃💫
➡(૧)અદાલતો એ કયા તંત્રનો ભાગ છે ? – ન્યાયતંત્ર.
(૨) સૌથી નીચલી અદાલત કઈ અદાલત ગણાય ? - તાલુકા અદાલત.
(૩) રાજ્યની વડી અદાલતને શું કહે છે ? – હાઇકોર્ટ.
(૪) ગુજરાતની વડી અદાલત ક્યાં આવેલી છે ? –
અમદાવાદ.
(૪) આપણા દેશની સૌથી ટોચની અદાલત ક્યા નામે ઓળખાય છે ? - સર્વોચ્ચ અદાલત.
(૫) સર્વોચ્ચ અદાલત બીજા ક્યા નામે ઓળખાય છે ? - સુપ્રિમ કોર્ટ.
(૬) FIR નું પુરૂ નામ જણાવો. - ફર્સ્ટ ઇન્ફોર્મેશન રીપોર્ટ. અદાલતના વડા અધિકારીને શું કહે છે ? –
ન્યાયાધીશ.
(૭) ગુજરાત હાઈકોર્ટની સ્થાપના ક્યારે થઈ ? - ઈ.સ. 1960 માં.
🍀🌾🌻🌹🍃💫
♦પાઠ-૪. મુઘલ સામ્રાજ્ય : સ્થાપના અને વિસ્તરણ.
🍀🌾🌻🌹🍃💫
➡(૧) ભારતમાં મુઘલવંશની સ્થાપના કોણે કરી ? - બાબર.
(૨) બાબરના અવસાન બાદ મુઘલવંશનો રાજા કોણ બન્યો ? - હુમાયુ. (૩) અમરકોટના રાણાને ત્યાં કયા મુઘલ શાસકનો જન્મ થયો ? - અકબર.
(૪) દિલ્લીની ગાદી પર સૂરવંશનું સ્થાપનાર રાજાનું નામ જણાવો. - શેરશાહ સૂરી. (૫) અકબર નાનો હોવાથી શાસન કોણે સાંભળ્યું હતું ? - સરદાર બહેરામખાન.
(૬) અકબરે કોની સાથેના યુધ્ધ વિજયથી ચિતોડ અને રણથંભોર મેળવ્યાં ? - રાણા પ્રતાપ.
(૭) અકબર પછી દિલ્લીની ગાદી પર કોણ આવ્યું ? - જહાંગીર.
(૮) અકબરના દરબારમાં બુધ્ધિશાળી અને હાજરજવાબી તરીકે કોણ વખણાતું ? - બિરબલ.
(૯) જમીન મહેસૂલના દર કોણે નક્કી કર્યા હતાં ? - શેરશાહ સૂરી.
(૧૦) સિક્કા છાપવાના સ્થળને શું કહે છે? - ટંકશાળ.
(૧૧) મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે યુધ્ધ ક્યાં સ્થળે થયું ? –હલ્દીઘાટી.
🍀🌾🌻🌹🍃💫
♦પાઠ- ૫ ભારત : ખેતી, ઉદ્યોગ અને પરિવહન.
🍀🌻🍃🌹🌾💫
➡ (૧) આપણા દેશના કેટલાં ટકા લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે ? – ૭૦ % (૨)ઓછા કસવાળી જમીન ક્યાં પાકને વધુ અનુકૂળ આવે છે ? - જુવાર અને બાજરી.
(૩) બાજરીનું સૌથી વધુ ઉત્પાદન દેશમાં ક્યાં થાય છે ? - રાજસ્થાન. (૪) કયા પાકના ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં પ્રથમ ક્રમ છે ? - બાજરી અને શેરડી.
(૫) “ઘઉં ના ભંડાર” તરીકે કયું રાજ્ય ઓળખાય છે ?- પંજાબ.
(૬) શણના પાકને તૈયાર થતાં કેટલા મહિનાનો સમય લાગે છે ? - 8 થી 10 મહિના.
(૭) દુનિયાની સૌથી મોટી નહેર યોજનાનું નામ જણાવો. - ઇન્દિરા નહેર યોજના. (૮) ભારતમાં “પોલાદ-ઉદ્યોગના પિતા” તરીકે કોણ પ્રખ્યાત છે ? - જમશેદજી ટાટા.
(૯) ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે ? - ધોરીમાર્ગ નં- 7. (૧૦) ભારતમાં મેટ્રો ટ્રેન ક્યાં કાર્યરત છે ?- દિલ્લી અને કલકત્તા.
(૧૧) પર્વતીયપ્રદેશો કે જ્યાં રેલમાર્ગ અને સડક માર્ગ શક્ય નથી, ત્યાં શાનો ઉપયોગ થાય છે ? - રોપ વે.
(૧૨) રાષ્ટ્રીય ધોરીમાર્ગના માઈલસ્ટોનમાં શું લખેલું હોય છે ? -N.H.
🌾🌹🍃🌻🍀💫
♦પાઠ- ૬ મુઘલ સામ્રાજ્ય : સુવર્ણયુગ અને અસ્ત.
🌾🌹🍃🌻🍀💫
➡(૧) મુઘલ સામ્રાજ્યનો સૌથી વધુ પ્રતિભાશાળી શાસક કોણ હતો ? - અકબર.
(૨) વિશ્વ વિખ્યાત તાજમહલ કોણે બંધાવ્યો હતો ? - શાહજહાં.
(૩) ‘રાજ્યની આબાદીનો પાયો ખેતી છે’ આવું કયો શાસક માનતો હતો ? - શાહજહાં.
(૪) જહાંગીરના સમયમાં કયો ઉત્સવ ઉજવવામાં આવતો ? - દશેરા.
(૫) મુઘલ શાસનકાળમાં ગુજરાતની કઈ વસ્તુ વિશ્વભરમાં પ્રખ્યાત હતી? - સુતરાઉ કાપડ. (૬) કયા મુઘલ શાસક “મહેલોનો બાંધનાર” તરીકે ઓળખાય છે ? - શાહજહાં.
(૭) શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો ? - ઈ.સ. 1630 માં શિવનેરીના કિલ્લામાં. (૮) શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં સ્થળે થયો હતો ?- રાયગઢ.
🌾🌹🍃🌻🍀💫
♦પાઠ- ૭. બજારમાં ગ્રાહક.
🌾🌹🍃🌻🍀💫
➡ (૧) સાપ્તાહિક બજાર બીજા કયા નામે ઓળખાય છે ? - ગુર્જરી બજાર.
(૨) પૈસા આપી વસ્તુ ખરીદનારને શું કહે છે ? - ગ્રાહક.
(૩) શાકાહારી ખાદ્યસામગ્રી પર ક્યા રંગનું ચિન્હ હોય છે ? - લીલા રંગનું.
(૪) RTI નું પુરૂ નામ જણાવો. - રાઈટ ટુ ઇન્ફોર્મેશન.
(૫) ખેતપેદાશોથી તૈયાર થતી ચીજવસ્તુઓ પર શાનું ચિહન હોય છે ? - લાલ રંગનું.
(૬) ઘર વપરાશમાં ઉપયોગી વસ્તુ પર શાનું નિશાન હોય છે ? - ISI.
(૭) ઊનની બનાવટો અને પોશાકની વસ્તુ પર શાનું નિશાન હોય છે ? - વુલમાર્ક.
(૮) સોના-ચાંદીની બનાવટો પર શાનું નિશાન હોય છે ? – હોલમાર
્ક.
🍀🌻🍃💫🌹🌾
♦પાઠ – ૮. મધ્યકાલીન સ્થાપત્યો.
🌾💫🍃🌻🍀🌹
➡(૧) સોમનાથ મંદિર ક્યાં આવેલું છે ? - જૂનાગઢ.
(૨) જામનગરમાં ગુજરાતમાં ગુજરાતના પશ્ચિમ દરિયાકાંઠે કયું યાત્રાધામ આવેલું છે ? - દ્વારકા.
(૩) ગુજરાતનું કયું મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે? -
દ્વારકા મંદિર.
(૪) ભીમદેવ પહેલાએ મહેસાણા જીલ્લામાં કયું સ્થાપત્ય બંધાવ્યું હતું ? - મોઢેરાનું સૂર્યમંદિર.
(૫) રૂદ્ર મહાલય ક્યાં આવેલ છે ? - પાટણ જીલ્લાના સિધ્ધપુરમાં.
(૬) સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે ? - અમદાવાદ.
(૭) કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું ? - કુતુબુદ્દીનને.
(૮) દિલ્લીનો કુતુબમિનાર કોણે બંધાવ્યો હતો ? - ઈલ્તુત્મિશ.
(૯) ‘ઢાઈ દિન કા ઝોંપડા’ નામની મસ્જિદ કોને બંધાવી હતી ? - કુતુબદીન ઐબક.
(૧૦) તુંજાવરનું બૃહદેશ્વરનું મંદિર કોને બંધાવ્યું હતું ? - રાજરાજે.
(૧૧) ભારતનો સૌથી ઊંચો દરવાજો કયો છે ? - બુલંદ દરવાજો, ઊંચાઈ-53 મીટર.
(૧૨) શાહજહાંએ તાજમહલ કોની યાદમાં બંધાવ્યો હતો ? - તેની પત્ની મુમતાજની યાદમાં.
(૧૩) મુઘલ શાસનકાળ દરમિયાનના સ્થાપત્યોમાંથી કોનો સમાવેશ વિશ્વની સાત અજાયબીઓમાં થાય છે ? – તાજમહલ.
💫🍀♦🌻🍃
♦પાઠ-૯. ભારત : લોકજીવન.
🌹🍃🍀🍀🌻💫🌾
➡(૧)ગુજરાતનું કયું નૃત્ય પ્રસિધ્ધ છે ? -ગરબા.
(૨) લાવણી ક્યાં રાજ્યનું નૃત્ય છે ? - મહારાષ્ટ્ર.
(૩) પંજાબનું કયું પીણું પ્રસિધ્ધ છે ? - લસ્સી.
(૪) પાંચ નદીઓનો પ્રદેશ તરીકે કોણ જાણીતું છે ? - પંજાબ. (૫)નૌકાઘર બીજા ક્યાં નામથી ઓળખાય છે ? - શિકારા.
(૬) દક્ષિણ ભારતમાં કઈ વાનગી પ્રસિધ્ધ છે ? - ઈડલી-ઢોંસા.
(૭) તમિલનાડુ તથા આંધ્રપ્રદેશના નૃત્યોના નામ જણાવો. - ભરતનાટ્યમ અને કૂચિપૂડી.
(૮) બંગાળની લોકપ્રિય વાનગીનું નામ જણાવો. - રસગુલ્લાં.
(૯) બિહુ નૃત્ય ક્યાં રાજ્યનું છે ? – આસામ.
🌹🍃🍀🌻💫
♦પાઠ- ૧૦. જાહેર મિલકતો.
🌾🍀🌻💫🌹
➡ (૧) જે સામગ્રી કે સ્થળનો ઉપયોગ બધાં કરી શકતા હોય તેણે શું કહેવાય ? - જાહેર મિલકત.
(૨) આપણું ઘર એ જાહેર મિલકત કહેવાય ? - ના.
(૩) જાહેર રસ્તા પર વ્રુક્ષો એ જાહેર મિલકત કહેવાય ? - હા. (૪) સ્થાપત્યોને નુકશાન કરવાથી શું થાય ? - ગુનો બને, સજા થાય.
🌾🍀🌻🍃
♦પાઠ- ૧૧. ઈશ્વર સાથે અનુરાગ.
🍀💫🍃🌹🌻
➡ (૧) વલ્લભાચાર્યનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ? - બિહારના ચંપારણ્યમાં ઈ.સ. 1479માં.
(૨) ચૈતન્ય મહા પ્રભુનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ? - બંગાળમાં ઈ.સ.1485માં નાદિયામાં.
(૩) ગુરૂ નાનકનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ? - ઈ.સ.1469માં લાહોર નજીક તલવંડી ગામે. (૪) શીખ ધર્મગ્રંથનું નામ જણાવો. - ગુરૂ ગ્રંથ સાહેબ.
(૫) ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત કોણે કરી ? - સ્વામી રામાનંદ.
(૬)“વૈષ્ણવજન તો તેને રે કહીએ” કાવ્ય કોણે રચ્યું હતું ? - નરસિંહ મહેતા.
(૭) સંત કબીર શાનાં માટે જાણીતા છે ? - દોહા માટે. (૮) સંત રૈદાસનો જન્મ ક્યાં થયો હતો ? - કાશી. (૯) સંત રૈદાસની શિષ્યાનું નામ જણાવો. – મીરાંબાઈ.
🌾💫💫💫💫
♦પાઠ- ૧૨. ખંડ-પરિચય : ઉત્તર અમેરિકા , દક્ષિણ અમેરિકા અને યુરોપ.
🍃🍃🍃🍃🍃🍃🍃
(૧) અમેરિકાનું નામ કોના નામ પરથી રાખવામાં આવ્યું ? - અમેરીગો વેસ્પુચી.
(૨) અમેરિકાના મૂળ વતનીઓ ક્યા નામે ઓળખાય છે ? - રેડ ઇન્ડિયન.
(૩) મેકેન્ઝી નદીઓના બનેલા મેદાનોનું નામ જણાવો. - પ્રેરિઝના મેદાનો.
(૪) ઉત્તર અમેરિકાના સૌથી ઊંચાં શિખરનું નામ જણાવો. - માઉન્ટ મેકિન્લે.
(૫) અલાસ્કાના બર્ફીલા પ્રદેશના લોકો કેવાં ઘરમાં રહે છે ? - બરફના ચોસલામાંથી બનેલ ઇગ્લુમાં.
(૬) કેનેડામાં કયું ખનીજો વિશ્વમાં સૌથી વધુ મળે છે ? - એસ્બેસ્ટોસ, નિકલ, પ્લેટિનમ.
(૭) વિશ્વની સૌથી મોટી નદીનું નામ જણાવો. - એમેઝોન.
(૮) પંપાઝ મેદાનોમાં કયું ઘાસ જાણીતું છે ? - આલ્ફાલ્ફા.
(૯) ઉત્તરધ્રુવ પર સૌપ્રથમ પગ મૂકનાર ભારતીય નારીનું નામ જણાવો. - પ્રીતી સેનગુપ્તા.
(૧૦) બ્રાઝિલમાં કયો અજાયબ અજગર જોવા મળે છે ? – એનાકોન્ડા
🌾🌻🌹🍀💫

સહદેવસિઁહ રાજપૂત

નામ ઈ-શ્વર રાખ્યું હશે!

ભગવાન ને પણ ખબર હશે એક દિવસ ઈ- મેલ,ઈ-કંટેન,ઈ- ગવર્નર આવશે એટલે જ કદાચ એમનું નામ ઈ-શ્વર રાખ્યું હશે!
વાહ રે..ઈ-શ્વર