24 September 2016

"સ્ત્રીની બુદ્ધિ પગ ની પાનીએ છે.....?!?"

"સ્ત્રીની બુદ્ધિ પગ ની પાનીએ છે.....?!?"

કોઈએ સવાલ ઉઠાવ્યો કે સ્ત્રી ની બુદ્ધિ પગ ની પાનીએ છે એનો હકારાત્મક પર્યાય ખરો?
કહેનારાએ ભલે જે પણ ઉદ્દેશ થી આ કહું હોય પણ ભૂલથી પણ સત્ય કહ્યું છે.

હરેક સ્ત્રી પોતાની બુદ્ધિ જે પગ ની પાનીએ છે તે વાપરી પોતાનું ભાગ્ય લઇ એજ પગ થી
પુરુષ ના ઘરમાં પ્રવેશ કરે છે .એટલે સ્ત્રી ના ચરણ માં પુરુષ નું ભાગ્ય છે એ પુરવાર થાય છે.આ થયું સ્ત્રી નું પત્ની રૂપ.

પગ છે તે કોઈ પણ વ્યક્તિ ને પોતાની મંઝીલ સુધી પહોંચાડવા માટે ઝરૂરી છે. આનો મતલબ એજ થયો કે પુરુષ ની અક્કલ નહિ પણ સ્ત્રી નું માર્ગદર્શન પુરુષ ને મંઝીલ સુધી પહોચાડવા આવશ્યક છે.

દોડી દોડી ને ઘરના એકેક ખૂણે પોતાના કામ ની છાપ છોડનારી સ્ત્રી જ છે .
કારણકે સ્ત્રી ની બુદ્ધિ પગ ની પાની એ છે એટલે આ થયું સ્ત્રી નું કાર્યેષુ મંત્રી રૂપ.

જયારે પિતા એને છાતી સરસોજ ચાંપે છે જયારે માતા એનું છાતી થી પોષણ કરે છે.
બુદ્ધિ પગ ની પાનીએ છે એટલે જ હરેક વ્યક્તિ નું શીશ માતા ના ચરણમાં ઝુકે છે
આ થયું સ્ત્રી નું માતૃ રૂપ.

માનું છું કે આટલા કારણ બસ છે પુરવાર કરવા કે સ્ત્રી ની બુદ્ધી ખરેખર ઈશ્વરે પગ ની પાની એ રાખી છે.

23 September 2016

સમય આના વિષે બોલીએ એટલું ઓછું છે.

સમય આના વિષે બોલીએ એટલું ઓછું છે.

   જ્યારે સારો સમય ચાલતો હોય તયારે બધા સાથે હોય પરંતુ ખરાબ સમય મા જે આપની સાથે સાથે રહે તે સાચા સ્વજન કહેવાય...

    એક મિત્ર એ જ્યારે મરી ઘડિયાળ બંધ હાલતા માં જોય તયારે જણાવેલ કે ઘડિયાળ કેમ બંધ છે તૌ મે જણાવ્યું કે અત્તયારે સમય બંધ થય ગ્યો છે.. તૌ તેમણે જણાવેલ કે તારી સાથે હુ હોવ અને તારો સમય કેમ બંધ થય જય....બસ આવું જ્યારે થોડુ પણ આશ્વાસન મડે તૌ પણ રોકાયાયેલો સમય પાછો ચાલવા લાગે છે... બસ જીવન મા પણ આવાજ મિત્રો ની જરૂર છે....

21 September 2016

ડેન્ગ્યૂનો અક્સીર ઈલાજ

ડેન્ગ્યૂનો અક્સીર ઈલાજ

ચેપ લાગ્યાનાં ચાર-પાંચ દિવસ પછી ડેન્ગ્યૂની અસર દેખાય છે. તાવ, માથાનો દુઃખાવો, ઊલટી, સ્નાયુઓ અને સાંધાનો દુઃખાવો અને ચામડીની લાલાશ એ ડેન્ગ્યૂનાં લક્ષણો છે. આપણે ઈલાજ જોઈએઃ

બે વખત પપૈયાંનાં પાનનો રસ પત્થર વડે, પાણી ઉમેર્યા વિના કાઢીને લેવાનો. ડેન્ગ્યૂમાં પ્લેટલેટ્સનાં કણો ઘટી જાય છે જેને ફરીથી વધારવાનું કામ પપૈયાનાં પાન કરે છે,
દરરોજ શરીરમાં ત્રણથી ચાર લિટર જેટલું પ્રવાહી જવું જરૂરી છે. જ્યૂસ અને પાણી સતત લેવાનાં ચાલુ જ રાખવાનાં છે,
તાવ માટે પોતાની મેળે કોઈપણ એલોપથીની ગોળી ન લેશો. કારણકે સામાન્ય લાગતી બ્રુફેન કે ડિસ્પીરીન જેવી દવાઓથી પણ લોહી પાતળું થઈ જવાથી મગજમાં હેમરેજ થઈ શકે છે જેનાથી દર્દીનું મૃત્યું થાય છે. આવી દવા માટે એલાેપથીનાં ડાેક્ટરની પાસે જ જવું જરૂરી છે,
જો દર્દી જરૂરી પ્રમાણમાં પ્રવાહી ન લઈ શકે તો એને તાત્કાલિક હાેસ્પિટલમાં દાખલ કરવો જરૂરી છે. ત્યાં એને બાેટલ મારફતે પ્રવાહી અને ગ્લુકોઝ ચડાવવાની જ વધુમાં વધુ જરૂર હોય છે. ગયાં વર્ષે જ મારે મારી દીકરીને બે દિવસ માટે હાેસ્પિટલમાં રાખવી પડી કેમ કે એ જરૂરી માત્રામાં પાણી કે જ્યૂસ નહોતી લઈ શક્તી અને સૂઈ જતી હતી.
એક ચમચી ગળો અને અડધી ચમચી દાડમની છાલનો પાવડર અડધો ગ્લાસ પાણીમાં જરાક વાર ઊકાળી, થોડું પાણી બચે એટલે ઠંડો કરી, ગાળીને દિવસમાં એક વખત આપી શકાય છે. ગળોથી દરેક પ્રકારની રાેગપ્રતિકાર શક્તિ(immunity) વધે છે. ડેન્ગ્યૂમાં રોગપ્રતિકાર શક્તિ ઘટે છે.
ત્રણ ખજૂર અને નવ દાણાં સૂકી કાળી દ્રાક્ષને અડધાંથી એક ગ્લાસ પાણીમાં બે-ચાર કલાક પલાળી રાખ્યાં બાદ આ પાણી પી જવાનું અને ખજૂરને ચાવી જવાની. દરરોજ બે વખત આ પ્રયોગ કરવાથી બ્લડપ્રેશર ઘટતું અટકે છે. ડેન્ગ્યૂમાં બ્લડપ્રેશર ખૂબ ઘટી જાય છે જેનાંથી માેટું જોખમ પેદા થાય છે.
સૂતાં સૂતાં જ દર્દીએ ઊંડા શ્વાસ લેતાં રહેવાનું છે. સવાર-બપોર-સાંજ-રાત્રિ એમ ગમે ત્યારે કેવળ બે જ મિનિટ માટે ઊંડા શ્વાસ લેવાથી ધબકારા કાબૂમાં રહે છે. આ બીમારીમાં ધબકારા ઘટી જાય છે.
ડેન્ગ્યૂમાં લિવરને નુકસાન થાય છે, લિવર મોટું પણ થઈ શકે છે. આવા સંજોગોમાં આહારમાં ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આપણે ઔષધ અને આહારનાે કાર્યક્રમ સમય સાથે સમજી લઈએઃ

5.45 વાગે સવારેઃ પપૈયાનાં એક પાનનો રસ(પત્થર વડે પાણી ઉમેર્યા વગર આ રસને કાઢવાનો છે),
6.30 વાગેઃ કિવી, ડ્રેગન ફ્રૂટ અથવા લીંબુ શરબત
7.30 વાગેઃ ચા-કોફી લેવાની આદત હોય તો એક કપ ચા કે કોફી,
8.30 વાગેઃ ખજૂર-જ્યૂસ
10.00 વાગેઃ  એક ગ્લાસ જેટલાે ગોળવાળો લીંબું શરબત(એક લીંબું અને બે ચમચી ગોળ, જરાક જ મીઠું),
10.30 વાગેઃ અડધો ગ્લાસ પાણી,
11.00 વાગે ઃ ગળો અને દાડમનાં પાવડરનું મિ્કસ પાણી,
11.30 વાગેઃ પાઈનેપલ-એપલનો મિક્સ જ્યુસ,
12.30 વાગેઃ અડધાથી લઈને બે ગ્લાસ સુધી પાણી,
1.00 વાગે બપોરેઃ એકથી બે કપ મગનું પાણી અથવા ઢીલાં મગ અને સાથે ખાખરાં કે મમરાં,
2.30 વાગે ઃ ગોળવાળો લીંબુ શરબત,
4.00 વાગેઃ ચા-કોફી પણ અોછી માત્રામાં,
5.00 વાગેઃ ફરીથી પપૈયાંનાં પાનનો રસ,
6.00 વાગેઃ પાઈનેપલ-એપલનો જ્યુસ,
6.30 વાગેઃ અડધાથી એક ગ્લાસ પાણી,
7.30 વાગેઃ મગનું પાણી અથવા ઢીલાં મગ અને સાથે જરાક મમરાં કે ચોખાનો શેકેલો પાપડ(સારેવડા) આપવો, દર્દીને સાજો કરવાનો છે એટલે એની દયા ન ખાવી,
8.30 વાગેઃ એક ગ્લાસ પાણી,
9.00 વાગેઃ એક ગ્લાસ પાણી,
10.00 વાગે રાત્રેઃ ખજૂર-દ્રાક્ષનો જ્યુસ કે પાણી પીને બધું ચાવી જવું.
રીપાેર્ટ નોર્મલ આવે એટલે ધીમે ધીમે અગાઉનાં મૂળ આહાર પર આવી જવું.
ફરીથી યાદ કરાવું કે કોઈકનાં બાળકનાં જીવન માટે થઈને પણ આ બ્લોગને શક્ય એટલાં વધુ પ્રમાણમાં શેર કરો, આમાં પૂરો વૈજ્ઞાનિક અને અતિ ઝડપી ઈલાજ છે. પ્રભુ આપનું પણ કલ્યાણ કરશે.

શરૂઆતમાં બે-ત્રણ દિવસ તો દિવસમાં બે વખત એટલે કે સવાર-સાંજ પ્લેટલેટ્સનાં રીપોર્ટ કઢાવવાં જરૂરી છે જેનાંથી આપણને ખબર પડે કે પ્લેટલેટ્સ કેટલાં ઘટે છે. શરૂમાં ઘટશે અને પછી ધીરે ધીરે 1,50,000થી ઉપર જશે. મોટાભાગની લેબોરેટરીમાં ઓટોમેટિક મશીનથી જ રીપોર્ટ નીકળે છે.

ડેન્ગ્યૂમાં લોહીમાં રહેલાં પ્લેટલેટ્સનાં કણાે ઘટી જાય છે. શરીરમાં રહેલી નાની-મોટી નળીઓમાં કોઈ ને કોઈ કારણોસર  ગમે ત્યારે લોહી નીકળે એટલે પ્લેટલેટ્સનાં કણો એને બંધ કરી દે છે. લોહીની આવી તૂટેલી નળીઅોને રિપેર કરવાનું કામ પણ પ્લેટલેટ્સનું જ છે..! પરંતુ ડેન્ગ્યૂમાં પ્લેટલેટ્સ ઘટી જાય છે એટલે લોહી જાેઈએ એટલાં પ્રમાણમાં ગંઠાતું નથી.

મિત્રો, થોડાંક દિવસ અનાજ, રૂટિન ભોજન ન મળે તો દર્દી ઝડપથી સાજો થઈ જાય છે. આપનાં બાળકનું જીવન અગત્યનું છે એટલે લાગણીમાં તણાઈને એેને આ લિસ્ટ સિવાય ગમે તે વસ્તુ ખવડાવશો નહીં. હજુ સુધી આધુનિક વિજ્ઞાન પાસે દુનિયાભરમાં ડેન્ગયૂ માટે કોઈ સટીક ઈલાજ શોધાયો નથી, સંશોધન ચાલું છે..! ઉપરનાં ટાઈમટેબલ અનુસાર ચાલવાથી ખૂબ ઝડપથી દર્દી સાજો થશે.

વોટ્સએપ અને ફેસબુકરૂપી બારી બારણા બંધ થોડીવાર બંધ કરીને પોતાની જાત સાથે થોડી વાત કરવાની જરુર છે.

નાના ગામમાં રહેતા એક સામાન્ય સ્થિતિના ખેડુતની હાથમાં પહેરવાની ઘડીયાલ ખોવાઇ ગઇ. ઘડીયાલ જુના જમાનાની હતી પરંતું ખેડુત માટે તો એ અમૂલ્ય હતી કારણ કે આ ઘડીયાલ કોઇ ખાસ વ્યક્તિએ ભેટમાં આપી હતી. ઘડીયાલ શોધવા માટે ખેડુતે આકાશ પાતાળ એક કર્યા. ગુસ્સામાં બરાડા પાડતા પાડતા ઘરનો એક એક ખુણો જોયો પણ ક્યાંય ઘડીયાલ ના મળી.

એને વિચાર આવ્યો કે હું નાના બાળકોની મદદ લઉં કારણ કે હું જ્યાં નથી જોઇ શકતો કે નથી જઇ શકતો ત્યાં આ બાળકો જોઇ શકશે અને જઇ શકશે. એણે બાળકોને લાલચ આપી કે જે મારી કાંડા ઘડીયાલ શોધી આપશે એને હું 100 રૂપિયાનું ઇનામ આપીશ. ઘડીયાલ ઘરમાં જ ક્યાંક ખોવાઇ છે પણ મને મળતી નથી.

ઇનામની વાત સાંભળીને બધા જ બાળકો આનંદમાં આવી ગયા. બધા બાળકો ઘડીયાલ શોધવામાં લાગી ગયા. બધા જ રૂમમાં બાળકો ગયા અને જ્યાં જ્યાં ઘડીયાલ મુકી શકાય એવા બધા જ સ્થાન પર જોયુ. 2-3 કલાકની મહેનત પછી પણ પરિણામ શૂન્ય આવ્યુ એટલે બધા બાળકોએ નિરાશ થઇને ઘડીયાલની શોધના અભિયાનને ત્યાં જ પૂર્ણ કર્યુ.

થોડીવાર પછી એક બાળક આવ્યો અને પેલા ખેડુતને કહ્યુ , " હું આપની ઘડીયાલ શોધી આપુ પણ શરત માત્ર એટલી જ કે મારી સાથે રૂમમાં બીજુ કોઇ ના આવવું જોઇએ " ખેડુતને તો પોતાની ઘડીયાલ જોઇતી હતી એટલે એણે તો બાળકની વાત સ્વિકારી અને પેલા બાળકે ઘડીયાલની શોધ આદરી. થોડીવારમાં એ હાથમાં ઘડીયાલ લઇને બહાર આવ્યો. ખેડુતને થયુ કે ક્યાંક આ બાળકે ઘડીયાલ ચોરીને સંતાડી તો નહી દીધી હોયને ? અમે બધાએ કલાકોની મહેનત કરી તો પણ ઘડીયાલ ન મળી અને આ માત્ર થોડી મિનિટોમાં શોધી લાવ્યો. એણે બાળકને પુછ્યુ કે તે આ ઘડીયાલ કેવી રીતે શોધી ?
બાળકે કહ્યુ કે બીજો વિશેષ પ્રયત્ન કરવાની કોઇ જરુર જ ન હતી. હું રૂમમાં ગયો અને બહારના બારી બારણા બંધ કર્યા અને પછી કાન સરવા કરીને અવાજ સાંભળવા પ્રયાસ કર્યો તો મને ઘડીયાલનો ટીક ટીક અવાજ સંભળાયો અને અવાજની દિશામાં જઇને જોયુ તો ઘડીયાળ મળી ગઇ.

ઓરડાની શાંતિ ઘડીયાલ શોધવામાં મદદરૂપ થઇ તેમ મનની શાંતિ જીવનમાં ઉભી થતી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં મદદરૂપ થશે. આપણે પણ વોટ્સએપ અને ફેસબુકરૂપી બારી બારણા બંધ થોડીવાર બંધ કરીને પોતાની જાત સાથે થોડી વાત કરવાની  જરુર છે.

19 September 2016

આપણે કામમાં એવા વ્યસ્ત છીએ કે પ્રભુનો સાદ આપણને સંભળાતો જ નથી.

એક બહુમાળી ઇમારતનું બાંધકામ ચાલી રહ્યુ હતું. લગભગ
10 માળ જેટલું કામ પુરુ થયું હતું. એક વાર સવારના સમયે
કંસ્ટ્રકશન કંપનીનો માલિક ઇમારતની મુલાકાતે આવ્યો.
એ 10માં માળની છત પર આંટા મારી રહ્યો હતો.
ત્યાંથી નીચે જોયુ તો એક મજુર કામ કરી રહ્યો હતો.
માલિકને મજુર સાથે વાત કરવાની ઇચ્છા થઇ.માલિકે
ઉપરથી મજુરને બુમ પાડી પણ મજુર કામમાં વ્યસ્ત
હોવાથી અને આસપાસ અવાજ થતો હોવાથી એને
માલિકનો અવાજ ન સંભળાયો. થોડીવાર પછી મજુરનું
ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે માલિકે ઉપરથી 10
રૂપિયાનો સિક્કો ફેંક્યો. આ સિક્કો મજુર કામ
કરતો હતો ત્યાં જ પડ્યો. મજુરે તો સિક્કો ઉઠાવીને
ખીસ્સામાં મુકયો અને કામે વળગી ગયો.માલિકે હવે
100ની નોટ નીચે ફેંકી. નોટ
ઉડતી ઉડતી પેલા મજુરથી થોડે દુર પડી.
મજુરની નજરમાં આ નોટ આવી એટલે લઇને
ફરીથી ખિસ્સામાં મુકી દીધી અને કામ કરવા લાગ્યો.
માલિકે હવે 500ની નોટ નીચે ફેંકી તો પણ પેલા મજુરે એમ
જ કર્યુ જે અગાઉ બે વખત કર્યુ હતું. માલિકે હવે
હાથમાં નાનો પથ્થર લીધો અને પેલા મજુર પર માર્યો.
પથ્થર વાગ્યો એટલે મજુરે ઉપર જોયું અને
પોતાના માલિકને ઉપર જોતા તેની સાથે વાત ચાલુ
કરી.મિત્રો, આપણે પણ આ મજુર જેવા જ છીએ.
ભગવાનને આપણી સાથે વાત કરવાની ઇચ્છા હોય છે એ
આપણને સાદ પાડીને બોલાવે છે પણ આપણે
કામમાં એવા વ્યસ્ત છીએ કે પ્રભુનો સાદ આપણને
સંભળાતો જ નથી. પછી એ નાની નાની ખુશીઓ આપવાનું
શરુ કરે છે પણ આપણે એ ખુશીઓને ખિસ્સામાં મુકી દઇએ
છીએ ખુશી આપનારાનો વિચાર જ નથી આવતો. છેવટે
ભગવાન દુ:ખ રૂપી નાનો પથ્થર આપણા પર ફેંકે છે અને
તુંરત જ ઉપર ઉભેલા માલિક સામે જોઇએ છીએ.
-----------------

16 September 2016

તમે કોની સાથે બેસો છો? કોની સાથે સમય વિતાવો છો? કોઇની સાથે રહ્યા પછી તમારા જીવનમાં શું શું પરિવર્તન આવે છે આ બધું બહું જ મહત્વનું છે.q

ઇતિહાસમાં બનેલી એક સમાન બે ઘટનાના પરિણામો સાવ જુદા હતા.
સિકંદરે જ્યારે પોરસને કેદ કર્યો ત્યારે સિકંદરે પોરસને પુછ્યુ હતું કે બોલ તારી સાથે કેવું વર્તન કરવામાં આવે ? પોરસે જવાબ આપ્યો હતો કે એક રાજા બીજા રાજા સાથે જેવું વર્તન કરે એવું વર્તન તમારે મારી સાથે કરવું જોઇએ. સિકંદરે પોરસને કેદમાંથી મુક્ત કર્યો અને એને પોતાના રાજ્યનો પ્રતિનિધી બનાવ્યો.
મહમદઘોરીએ આવી જ રીતે પૃથ્વીરાજને કેદ કર્યો અને એણે પણ પૃથ્વીરાજને આવો જ પ્રશ્ન કર્યો કે મારી પાસે તમારી શું અપેક્ષા છે ? પૃથ્વીરાજ એ પણ પોરસ જેવો જ જવાબ આપેલો. મેં તમને અનેક વખત જવા દિધા છે તમારે પણ મારી સાથે સન્માનપૂર્વક વર્તવું જોઇએ. પૃથ્વીરાજની આ માંગ બાદ મહમદઘોરીએ એની આંખો ફોડાવી નાખીને પછી મૃત્યંદંડની સજા કરી હતી.
એક સમાન બે ઘટના પણ જુદા પરિણામો શા માટે ? આ પ્રશ્નના જવાબ માટે સિકંદર અને મહમદઘોરીના જીવનનો થોડો અભ્યાસ કરીએ ત્યારે ખ્યાલ આવે કે સિકંદરના શિક્ષક અને માર્ગદર્શક એરીસ્ટોટલ હતા અને કમનસિબે મહમદઘોરીને આવા કોઇ વ્યક્તિની સંગત નહોતી.
તમે કોની સાથે બેસો છો? કોની સાથે સમય વિતાવો છો? કોઇની સાથે રહ્યા પછી તમારા જીવનમાં શું શું પરિવર્તન આવે છે આ બધું બહું જ મહત્વનું છે. કોઇ સારી વ્યક્તિની સંગત તમારા જીવનને માનવતાવાદી બનાવી શકે છે...

અમદાવાદ અને અમદાવાદીઓને સાદર અર્પણ..

ચાંદ ઉપર પણ લોકો જઈ ને આયા તને ચાંદખેડા માં ક્યાં શોધું...?

અવઢવમાં હું રહું
તને ઓઢવમાં ક્યાં શોધું...?

વાડ જ નથી રહી કોઈ
વાડજમાં ક્યાં શોધું...?

સેટેલાઇટ બનીને  તુ ફરતો રહે નભમાં,
મિથ્યા હું ફરતો તુજને
સેટેલાઇટમાં ક્યાં શોધું...?

બે પલની શાંતિ નથી
બોપલમાં ક્યાં શોધું...?

એટીએમમાં તુ મળતો નથી
સીટીએમમાં ક્યાં શોધું...?

ગોતું તોય મળતો નથી
ગોતામાં ક્યાં શોધું...?

થઈ તેજ પણ પહોંચું નહી
થલતેજમાં ક્યાં શોધું...?

વટવાળો છે તુ માન્યું પણ
કહે વટવામાં ક્યાં શોધું...?

તારા સરખો જ તારો પડછાયો કોઈ સરખેજમાં ક્યાં શોધું...?

શાહી તારા હર બાગ, તને શાહીબાગમાં ક્યાં શોધું...?

ના રોડા કોઈ રોકે પણ
નરોડામાં ક્યાં શોધું...?

પુર "સરસ" હોય કે "દરિયા"
તને" ગોમતી" માં ક્યાં શોધું...?

દરવાજા "લાલ" હોય કે "ત્રણ",  તને "દિલ્હી"માં
ક્યાં શોધું...?

સોલ ને પામવાની આ સફર,
તને સોલામાં ક્યાં શોધું...?

ના કોલ તુ મારા ઉપાડે
તને નિકોલમાં ક્યાં શોધું...?

હર ઘાટના પાણી પીધા ને
ચાંદ પર પણ જઈ આવ્યો,

કહે તને ઘાટલોડિયા ને
ચાંદલોડિયામાં ક્યાં શોધું...?

કાંકરા રહયા તારી રાહમાં
તને કાંકરિયામાં ક્યાં શોધું...?

ના રોલ એમાં કોઈ મારો
તને નારોલમાં ક્યાં શોધું...?

રાય ખડતલ આપ તું
તને રાયખડમાં ક્યાં શોધું...?

રખે આલેખન હું કરું તને
રખિયાલમાં ક્યાં શોધું...?

પલળીને વરસાદે તુજને
હું પાલડીમાં ક્યાં શોધું...?

આશા ના રેવા દીધી જરા
તને અસારવામાં ક્યાં શોધું...?

કે બાકીના એરિયામાં પણ
ના મળવાનો તુ ઈશ્વર,

છતાં અમથો આ વાદ કરી
'અમદાવાદ'માં ક્યાં શોધું...?

અમદાવાદ અને અમદાવાદીઓને
સાદર અર્પણ...￿

11 September 2016

બાળપણ*નુ મારૂ *ફળિયુ* ખોવાયુ

બાળપણ*નુ મારૂ *ફળિયુ* ખોવાયુ
                 અને
રમતો *હુ* એ મારુ *આંગણુ* ખોવાયુ.

નથી છીપાતી તરસ *ફ્રીજ*ના પાણીથી
                   કેમકે
રસોડામાં રમતું એ *પાણીયારુ* ખોવાયુ.

બધી મળી *બેડરૂમ*માં મને સગવડ
                   પણ
મીઠી નિંદર માણતો એ *ધોડીયો* ખોવાયો.

નથીરે આવતુ લુંછવા *આંસુ* આજ કોઈ
                     અને
મારી *"મા"* લૂંછતી એ આજ *ઓઢણુ* ખોવાયુ.

થાકી જવાય છે થોડુ જ અંતર ચાલતા હવે
                   જયારે
કિલોમીટર દોડાવતુ એ મારુ *પૈડુ* ખોવાયુ.

બત્રીસ ભાતના *ભોજન* કયા ભાવે છે હવે
                     ત્યારે
*ગોળ ઘીનુ* મારી *મા-બેની*નુ એ *ચુરમુ* ખોવાયુ.

મારવા પડે છે દરેક દ્વારે *ટકોરા* હવે
                   કેમ કે
સીધો જાતો એ ખુલ્લુ હવે *બારણું* ખોવાયુ.

નથી ભૂંસી શકતો હવે લખેલુ આ *કાગળ*નુ
                      અને
ત્યાં તો *દફ્તર*ની એ મારી *પેનને પાટીયું* ખોવાયુ.

હજારો દોસ્તો છે  *ફેસબુક* અને *વોટસએપ*મા

                     પણ

*લંગોટીયા યાર* સાથેનુ મારું આખે આખું *ગામડું* ખોવાયુ !!

6 September 2016

તો લાવ ને ફોરમ જ બની જાઉં ,ચારેકોર મહેકાઈ તો જઈશ .

ફૂલ બનીશ તો કચડાઈ જઈશ ,કાંટો બનીશ તો બળી જઈશ ,

તો લાવ ને ફોરમ  જ બની જાઉં ,ચારેકોર મહેકાઈ તો જઈશ .

ઢોલક બનીશ તો પીટાઈ જઈશ ,હાર્મોનિયમ બનીશ તો બજાઈ જઈશ ,

તો લાવ ને સૂર જ બની જાઉં ,સૌ ના દિલ માં છવાઈ તો જઈશ .

ભૂત બનીશ તો ભૂલી જઈશ ,ભવિષ્ય બનીશ તો ભખાઈ જઈશ ,

તો ચાલ ને વર્તમાન જ બની જાઉં ,સૌ ની સાથે તો રહીશ .

દૈત્ય બનીશ તો મરાઇ જઈશ ,દેવ બનીશ તો પૂજાઈ જઈશ ,

તો લાવ ને માનવ જ બની જાઉં સૌ ની વચ્ચે તો રહીશ .

વાંસળી બનીશ તો ફૂંકાઈ જઈશ ,સુદર્શન બનીશ તો ફેંકાઇ જઈશ,

તો લાવ ને મોરપિચ્છ જ બની જાઉં ,’શ્યામ’ ના મસ્તકે તો રહીશ .     🌹 Alpesh  🌹

5 September 2016

આપણે બધા જે કંઈ છીએ એમાં આપણા પુરુષાર્થની સાથે શિક્ષકની પ્રેરણા પણ જવાબદાર છે.


એક રાજાને એવો વિચાર આવ્યો કે મારે મારા રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર વ્યક્તિનું સન્માન કરવું છે. રાજાએ આ માટે પ્રધાનમંડળની બેઠક બોલાવી. રાજાએ પ્રધાનોનું સુચન માંગ્યું કે મારે કોનું સન્માન કરવું જોઈએ ?

એક પ્રધાને ઉભા થઈને કહ્યું , "આપણે સાહિત્યકારનું સન્માન કરવું જોઈએ કારણકે એ વિચારો દ્વારા આપણને બધાને જીવન જીવતા શીખવે છે". બીજા પ્રધાને કહ્યું, "આપણે કલાકારનું સન્માન કરવું જોઈએ કારણકે એ આપણને મનોરંજન પૂરું પાડીને હતાશામાંથી બહાર કાઢે છે". ત્રીજા પ્રધાને કહ્યું, "આપણે ઇજનેરનું સન્માન કરવું જોઈએ કારણકે એના લીધે જ આટલો વિકાસ થયો છે આ રસ્તાઓ, ડેમો, મોટામોટા મકાનો, જાત જાતના યંત્રો અને ભૌતિક સુવિધાઓ ઇજનેરના કારણે જ મળી છે". ચોથાએ કહ્યું, "આપણે ડોકટરનું સન્માન કરવું જોઈએ કારણકે એ નવું જીવન આપે છે". પાંચમા પ્રધાને કહ્યું," મારા મંતવ્ય મુજબ તો ઉદ્યોગપતિનું સન્માન થવું જોઈએ કારણકે એના કારણે જ અનેકને રોજગારી મળે છે અને રાજ્યને આવક પણ મળે છે".

બધા પ્રધાનોના જુદા જુદા સુચન સાંભળીને રાજા મૂંઝાયા. આ બધા લોકોનો ખરેખર રાજ્યના વિકાસમાં અદભૂત ફાળો હતો એટલે કોનું સન્માન કરવું એ મોટી મૂંઝવણ હતી. રાજાએ રાજ્યના સૌથી અનુભવી અને વડીલ પ્રધાનને એમનો અભિપ્રાય આપવા માટે જણાવ્યું જે હજુ સુધી મૌન બેસીને બધાની વાત સાંભળી રહ્યા હતા. સિનિયર પ્રધાને કહ્યું,"મહારાજ, આ માટે આપે મને એક કલાકનો સમય આપવો પડે. હું એક કલાક બહાર જઈને આવું પછી મારો અભિપ્રાય આપું". રાજાએ આ માટે અનુમતિ આપી.

રાજ્યના સૌથી વડીલ પ્રધાન સભા છોડીને જતા રહ્યા અને કલાક પછી ફરી પાછા આવ્યા. એમની સાથે કોઈ વૃદ્ધ સ્ત્રી પણ હતી. વૃદ્ધ સ્ત્રીને જોતાંજ સભામાં બેઠેલા મોટાભાગના પ્રધાનોના ચહેરા પર સ્મિત આવ્યું. આ બધા પ્રધાનો એમની જગ્યા પરથી ઉભા થયા અને પેલી વૃદ્ધ સ્ત્રીને પગે લાગ્યા. રાજાને પણ આશ્વર્ય થયું કે હું બધાને પગાર આપું છું પણ કોઈ પ્રધાન મને પગે લાગતા નથી અને આ સ્ત્રીને કેમ પગે લાગ્યા ?" રાજાએ પ્રધાનોને આ સ્ત્રી કોણ છે એમ પુછતાં જ બધા પ્રધાનોએ જવાબ આપ્યો, "રાજા સાહેબ, આ અમારા શિક્ષિકાબેન છે અમે આ બહેન પાસે ભણેલા છીએ. આજે અમે જે કઈ પણ છીએ એ આ બહેને આપેલા જ્ઞાનને કારણે જ છીએ".

રાજાએ સિનિયર પ્રધાનની સામે જોઈને પૂછ્યું,"મને સમજાઈ ગયું કે રાજ્યના વિકાસમા સૌથી અગત્યનું યોગદાન કોનું છે ? સાહિત્યકાર, કલાકાર, ઈજનેર, ડોકટર કે ઉદ્યોગપતિ આ બધાનો રાજ્યની સુખાકારીમાં અમૂલ્ય ફાળો છે પણ આ બધાને ઘડવાનું કામ શિક્ષક કરે છે માટે શિક્ષકના સન્માનમાં આ તમામનું સન્માન આવી જાય".

મિત્રો, આજે આપણે બધા જે કંઈ છીએ એમાં આપણા પુરુષાર્થની સાથે શિક્ષકની પ્રેરણા પણ જવાબદાર છે. શિક્ષક સમાજને ઘડાવાનું કામ કરે છે (જો કે આવા શિક્ષકોની સંખ્યા ઘટતી જાય છે એ દુ:ખની વાત છે)

શિક્ષકદિનના પવિત્ર દિવસે સમાજના સાચા ઘડવૈયા એવા સૌ શિક્ષકોને ભાવપૂર્ણ વંદન.

હજારો શિક્ષકો ઓછા વેતનમાં કામે વળગી જાય છે.

આજે આ તમે વાંચી શકો તો તમારા શિક્ષકનો આભાર માનો.......

આપણા દરેકના જીવનમાં અમૂલ્ય ફાળો આપનાર શિક્ષકને આપણે બહુ પ્રેમ અને આદરથી આજના દિવસ સિવાય પણ યાદ કરીએ છીએ....ને એ દિવસોમાં પાછા જવાની ઇચ્છા કરીએ છીએ....<3

ગુરુકૂળ અને ગુરુને માન આપવાની પ્રથા ધરાવતા આપણા દેશમાં આજે શિક્ષક એક નોકરથી બદતર અવસ્થામાં પહોંચી ગયો છે....ત્યારે જૂના અને આજના શિક્ષકોમાં આસમાન જમીનનો ફેર છે એવું લગભગ આપણે બધા જ અનુભવી રહ્યા છીએ..ત્યારે એક નજર આજની શિક્ષણ પ્રથા પર કરી લઇએ....તમને કશુંક સુઝે તો ઉમેરવાની છૂટ છે....:)

જે શિક્ષક બાળકને કેટલાય બંધનોમાંથી ઉગારી પ્રકાશ આપે છે એ જ શિક્ષકને સરકારે "વિદ્યા સહાયક"..."શિક્ષણ સેવક" જેવા નામોથી નવાજી સાવ સાધારણ વેતનના' બંધન'માં બાંધી દીધો છે...:(....ચૂંટણી કે વસ્તી ગણતરી ....મધ્યાહન ભોજનનાં કામો વગેરે સરકારી અને બીનજરુરી કામોમાં જોતરી શિક્ષણ અને બાળકોના ભવિષ્ય સાથે અક્ષમ્ય ચેડાં કર્યા છે ......!!!!!

અપૂરતા પગારના કારણે પ્રાઇવેટ ટ્યુશનોમાં જોતરાયેલા શિક્ષકોને સમાજ...માબાપ અને વિદ્યાર્થીઓનાં રોષનો ભોગ બનાવ્યા છે ...:/....અને એટલે અતિ સન્માનજનક ગણાતો આ વ્યવસાય અત્યારે હાંસી અને અવહેલનાનો શિકાર બની ગયો છે ...આજનો દરેક વિદ્યાર્થી તોતિંગ ફીસ ભરવાને કારણે પોતાની ફીસની વસૂલાત કરવા ફક્ત એક ગ્રાહક બનીને શિક્ષકોને એક ઉપહાસની દૃષ્ટિએ જોતો થઇ ગયો છે....:'(

આપણા કેટલાક વિષય તરફના ગમા-અણગમા પાછળ મુખ્યત્વે આપણા શિક્ષકોનો હાથ હોય છે એ તો મોટાભાગના કબૂલ કરશે....એનું કારણ કદાચ બીજું પણ હોય ...મારા અનુભવ પ્રમાણે દર વર્ષે ૧૦૦માંથી ૨૦ વિદ્યાર્થીઓ કુટુંબની બળજબરી કે ઇચ્છાને કારણે અનિચ્છાએ આ વ્યવસાયમાં આવી ગયેલા હોય છે..કેટલાક ફક્ત વેકેશન , અનેક રજાઓ અને આરામની નોકરીની લાલચમાં પણ કેટલાક આવી પડતા હોય છે..:/.. કોઇ રસ, રુચી, અભિગમ  કે મન વગર જ્યારે કોઇ ભણાવે ત્યારે બાળક સાથે અન્યાય થાય એ સાવ સ્વાભાવિક છે... !!!!

સાવ ખાડે ગયેલી શિક્ષણ વ્યવસ્થા માટે બિલાડીના ટોપ જેમ ઉગી નીકળેલી અનેક ખાનગી અધ્યાપન કોલેજોનો પણ અહિં સખેદ આભાર માની લઇએ....:/..કોઇ પણ જાતના પ્રેક્ટિકલ નોલેજ વગર ...કોર્સ દરમ્યાન શાળામાં ગંભીરતાથી પાઠ આપ્યા વગર  શિક્ષણને લગતા મૂળભુત વિષયો..... શિક્ષણને અસર કરતા   અલગ અલગ વાતાવરણ  ...સામાજિક...માનસિક....શારિરીક....ચિંતનાત્મક  બાબતો સારી રીતે સમજ્યા વગર...હાથમાં આવી ગયેલા ...ડિગ્રીના ફરફરિયા ફરકાવી.....સામેથી પૈસા આપીને લેવી પડતી નોકરીમાં કેટલું ગાંભીર્ય હોય એ સાવ સમજી શકાય એવી વાત છે ....!!!

આવી હજારો  સંસ્થાઓમાંથી બહાર પડતા હજારો શિક્ષકો મારા-તમારા ઘરે ઝાડુ પોતા મારનાર કરતા પણ ઓછા વેતનમાં કામે વળગી જાય છે......આખો મહિનો ..રોજ પાંચ કલાક કામ કરવાનાં...ફ્કત ૧૨૦૦ રુ......માનવામાં નથી આવતું ને.....???? ને પછી બે પૈસાની લાલચમાં પેપર લીક કરવા જેવા અનેક દુષણોમાં અટવાઇ જતા  આ શિક્ષક આગળથી તમે વફાદારી...લાગણી.....તનતોડ મહેનતની અપેક્ષા રાખો છો.....કંઇક વધારે નથી લાગતું....????

બાકી .....જે દેશમાં સાધુ તરીકે ઓળખાતા બાવાઓ છોકરીઓ પર નજર બગાડ્તા હોય ત્યાં શિક્ષકો આવું કરે તો કોની પાસે ફરિયાદ લઇને જવું.....?

આ બધુ લખી શિક્ષકોનો પક્ષ લેવાનો વિચાર નથી પણ હકીકત બધા સમજે એવી ઇચ્છા ખરી.... :)

કોલેજમાં મારા વિદ્યાર્થીઓને હું કહેતી કે કામચોર શિક્ષકો પાસે તમારા પોતાના બાળકોને ભણાવવા તૈયાર હો તો કામચોર શિક્ષકો બનજો... દુનિયા ગોળ છે.....!!!

બરાબરને....?

-- નીવારાજ