અકબર જોડે એક બકરી હતી, તે એને બહું વહાલી, એને એક વિચાર આવ્યો, રાજા ને કોઇ પણ તુક્કા સુઝે, એણે જાહેરાત કરી કે જે કોઇ વ્યક્તિ મારી આ બકરી ને બરાબર ધરાય એવી ચરાવી ને લાવશે એને એક લાખ રૂપિયા ઇનામ અપાસે.....
લોકોએ આ સ્પર્ધા માં ભાગ લેવા નામ લખાવ્યા, નંબર આવે એમ બકરી ચરાવવા લઇ જાય, આખો દીવસ એને જાત જાત નું ખવડાવે, પછી સાંજે દરબાર માં લઇ જાય......અકબર સાંજે આવેલી બકરી સામે લીલા ધાણાંની ઝુડી ધરે,અને બકરી ગમેતેટલી ધરાયેલી હોય તો પણ આદત મુજબ ધાણાં ની ઝુડી ખાય.......એટલે અકબર ચરાવનાર ને કહે, આ તો હજી ભુખી જ છે......એટલે તો ખાધું......
ઘણાં બધા એ ઇનામ માટે ટ્રાય કર્યો, પણ તમામ નીસ્ફળ......બકરી એની આદત પ્રમાણે ખાય જ..........
હવે બીરબલ બકરી ને લઇ ગયો, એણે પોતાના ઘરે એને બાંધી, પછી એના મો આઞળ લીલા ઘાણાં ની ઝુડી બતાવી, જેવી બકરી ખાવા ગઇ તેવું જ બીરબલે એના મો પર સોટી ફટકારી, આવું દીવસ માં વીસ પચ્ચીસ વાર કર્યું........
સાંજે દરબાર માં લઇ ગયો......અકબરે લીલા ધાણાંની ઝુડી બકરી સામે ધરી.....અને બકરી એ મો ફેરવી લીધું.....
Pages
- હોમ
- પરિપત્રો પ્રાથમિક
- SUPER VIDEO
- ગુજરાતી,
- હિન્દી
- સંસ્કૃત
- અંગ્રેજી
- ગણિત
- વિજ્ઞાન અને ટેકનોલોજી
- કોમ્પ્યુટર
- પર્યાવરણ
- પુસ્તક સાહિત્ય
- C.C.C.ઉપયોગી
- 2 થી 8 ની કવિતાઓ
- શાળાના ફોટોગ્રાફ્સ
- પ્રવાસ
- પ્રાર્થનાસભા
- ઇકો ક્લબ
- બાળવાર્તાઓ ડાઉનલોડ
- શાળા પત્રકો
- ચિત્ર,સંગીત,વ્યાયામ
- MOBILE PHONE
- Mp3 Song
- બાળ અભિનય ગીતો
- સાંસ્કૃતિક કાર્યક્રમો
- ધોરણ-12
- સામાજિક વિજ્ઞાન
- પ્રજ્ઞા
ચાલતી પટ્ટી
31 May 2016
અકબરે લીલા ધાણાંની ઝુડી બકરી સામે ધરી.
29 May 2016
મારી ઇચ્છા એક સ્માર્ટ ફોન બનવાની છે.
સ્માર્ટ ફોન ! ... માઇક્રોફિક્શન વાર્તા ...વિનોદ પટેલ
શહેરની એક શાળામાં શિક્ષિકાની જોબ કરતી કુમુદિની સાં જનું ડીનર પતાવી એના ઘરમાં ફેમીલી રૂમના એક ટેબલ પર એના વર્ગના વિદ્યાર્થીઓના હોમ વર્કની નોટો તપાસવા બેસી ગઈ.કુમુદિનીનો પતિ રાકેશ સોફામાં બેસી એના સ્માર્ટ ફોનમાં ધ્યાન કેન્દ્રિત કરીને એની ગમતી ગેમ રમવામાં પરોવાઈ ગયો.
છેલ્લી નોટ બુક વાંચ્યા પછી એકાએક કુમુદિનીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.એક પણ શબ્દ બોલ્યા સિવાય એ મુંગા મુંગા રડવા લાગી.
પતિ રાકેશએ પત્નીને રડતી જોઈ પૂછ્યું :”કુમુ હની શું થયું? કેમ રડે છે ?”
કુમુદિની:”ગઈ કાલે મેં મારા પહેલા ધોરણના વિદ્યાર્થીઓને “તમારે શું બનવાની ઇચ્છા છે? “એ વિષય પર નોટમાં થોડાં વાક્યો લખવાનું ગૃહ કામ આપ્યું હતું.
રાકેશએ ફરી પૂછ્યું :”ઓ.કે.પણ એ તો કહે કે તું રડે છે કેમ ?”
કુમુદિની:”આજે મેં જે છેલ્લી નોટ બુક તપાસી એમાંનું લખાણ મારા હૃદયને સ્પર્શી ગયું .એ વાંચીને મારાથી રડી પડાયું.”
રાકેશએ આશ્ચર્ય સાથે કુમુદીનીને પૂછ્યું :”એ વિદ્યાર્થીએ એની નોટમાં એવું તો શું લખ્યું છે કે તું આમ રડવા બેસી ગઈ છે ?”
જવાબમાં કુમુદિનીએ કહ્યું:
” તો સાંભળ,આ વિદ્યાર્થીએ ” મારી ઇચ્છા “એ શીર્ષક નીચે નોટમાં આમ લખ્યું છે.
“મારી ઇચ્છા એક સ્માર્ટ ફોન બનવાની છે.
મારી મમ્મી અને મારા ડેડીને સ્માર્ટ ફોન બહુ જ ગમે છે.એને હંમેશા હાથમાં ને હાથમાં જ રાખે છે.તેઓ એમના સ્માર્ટ ફોનની એટલી બધી કેર રાખે છે કે ઘણીવાર તેઓ મારી કેર રાખવાનું ભૂલી જાય છે.
જ્યારે મારા ડેડી આખો દિવસ ઓફિસમાં કામ કર્યા પછી સાંજે થાકીને ઘેર આવે છે ત્યારે એમના સ્માર્ટ ફોન માટે એમને સમય હોય છે પણ મારા મારા માટે કે મારા અભ્યાસ વિષે પૂછવાનો એમને સમય નથી મળતો.
મારા ડેડી અને મમ્મી ઘરમાં કોઈ અગત્યનું કામ કરતા હોય અને એમના સ્માર્ટ ફોન ઉપર કોઈના ફોનની રીંગ વાગે કે તરત જ બધું કામ એક બાજુ મૂકીને પહેલી રિંગે જ દોડીને સ્માર્ટ ફોન ઉપાડી વાતો કરવા માંડે છે.કોઈ દિવસ હું રડતો હોઉં તો પણ મારા તરફ ધ્યાન આપતા નથી કે મારી દરકાર કરતા નથી.
તેઓને એમના સ્માર્ટ ફોનમાં ગેમ રમવા માટે સમય છે પણ મારી સાથે રમવાનો સમય નથી.તેઓ જ્યારે કોઈ વખત એમના સ્માર્ટ ફોનમાં કોઈની સાથે વાત કરતા હોય ત્યારે હું કોઈ બહુ જ અગત્યની વાત એમને કહેતો હોઉં તો એના પર ધ્યાન આપતા નથી અને કોઈ વાર મારા પર ગુસ્સે પણ થઇ જાય છે.
એટલા માટે જ મારી મહેચ્છા એક સેલ ફોન બનવાની છે.ભગવાન મને સેલફોન બનાવે તો કેવું સારું કે જેથી હું મારાં મમ્મી અને ડેડીની પાસેને પાસે જ રહું !”
કુમુદિની નોટમાંથી આ વાંચતી હતી એને રાકેશ એક ધ્યાનથી સાંભળી રહ્યો હતો.આ વિદ્યાર્થીનું લખાણ એના હૃદયને સ્પર્શી ગયું.
ભાવાવેશમાં આવીને એણે કુમુદિનીને પૂછ્યું:“હની,આ છેલ્લી નોટબુકમાં લખનાર વિદ્યાર્થી કોણ છે?એનું નામ શું ?”
આંખમાં આંસુ સાથે કુમુદીનીએ જવાબ આપ્યો :
“આપણો પુત્ર યશ !”
28 May 2016
કાયમ કોઇની યાદ બનીને રહેવું એ અદ્ભુત
💘💞કોઇની યાદમાં કાયમ રહેવું એ ઉત્તમ ,
પણ કાયમ કોઇની યાદ બનીને રહેવું એ અદ્ભુત ...
શબ્દો માં કોઇને લાગણી વ્યક્ત કરવી એ ઉત્તમ ,
પણ ક્યારેક મૌન રહી ને પોતાના અસ્તિત્વ ના એંધાણ અપાય એ અદ્ભુત ...
નજર સામે રહી ને નજર મિલાવીને પ્રિત ની રીત ઉત્તમ ,
પણ માઇલોના માઇલો દુર રહીને પણ કોઇને સુગંધ મહેસુસ થાય એ પ્રિત અદ્ભુત ...
એક જીવનમાં સરસ સરસ ક્ષણ જીવવા મળે એ ઉત્તમ ,
પણ ક્યારેક ક્ષણિક વીજળી જેવી પળમાં સાત જનમનો સુખદ અહેસાસ મળી જાય એ અદ્ભુત ...💞💘
25 May 2016
સુવિચારો
સુવિચારો
· નવિનીકરણ દ્વારા જ જ્ઞાનને સમૃધ્ધિમાં પલટાવી શકાય છે.
· શિક્ષકનું અગત્યનું મિશન છે બાળ અને યુવાચિત્તને પ્રજ્વલિત કરવાનું.
· શિક્ષકનું જીવન તો અનેક દિપકોને પ્રગટાવવાનું છે.
· શિક્ષક પોતે શીખતો ન રહે તો એ કદી શીખવી ન શકે.
· શિક્ષણ ચોવિસ કલાકની ઉપાસના છે, લગની છે.
· બાળકોને શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર છે.
· બાળક એક જ્યોત છે જેને પેટાવવાની છે.
· સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલુ હીર પ્રગટાવવામાં રહેલી છે.
· હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરુ છું જેમાં વિદ્યાર્થી શીખે છે.
· શિક્ષણ એટલે જાણવું શીખવું અને આચરવું.
· તમે ન બોલો તમારા કામને બોલવા દો.
· જ્ઞાન એ શાસ્ત્ર અને શસ્ત્ર છે.
· ધ્યાન ઇશ્વરનો સાક્ષાતકાર કરવાની આંખ છે.
· પ્રાર્થના ઇશ્વર પાસે પહોંચવાની પાંખ છે.
· બગીચો પૃથ્વીની સંસ્કૃતિ છે.
· બાળકોને વસ્તુઓ નહિ વહાલ જોઇએ છે.
· દરેક બાળક એક કલાકાર છે.
· વિચાર કરતાં જ્ઞાન સારુ.
· બધુ જ પરિવર્તનશીલ છે, કશું પણ સ્થિર રહેતું નથી,
· વિચાર વિના શીખવું તે મહેનત બરબાદ કર્યા જેવું છે વિવેક વિના વિચારવું તે ભયજનક છે.
· તમારી વાણી એ તમારા વિચારોને પડઘો છે.
· તમારુ વર્તન એ તમારા વિચારોનું પરિણામ છે.
· જીવનની પરિસ્થિતિનો સામનો કરવાની યોગ્યતાનું નામ શિક્ષણ છે.
· મનથી મનન કરવું અને હાથથી કર્મ કરવું એ મનુષ્યની બે વિશેષ પ્રવૃત્તિઓ,
· જીવનને છોડીને બીજું કોઇ ધન જ નથી.
· ઉત્તમ પુસ્તકો એ આપણા ઉત્તમ મિત્રો છે.
· .વિચાર અને વાણી થકી મનુષ્ય ઓળખાય છે.
· .ભણતર એ જિંદગીનું સાચું ઘડતર છે.
· .સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે છે.
· .બાળકોને ઘડવાનું કામ મહાન અને પવિત્ર છે.
· .આળસથી કટાઇ જવા કરતાં મહેનતથી ઘસાઇ જવું વધુ સારુ છે.
· .એકાંતમાં જાત સાથે વાતો કરવી એટલે પ્રાર્થના.
· .આજની મહેનત આવતી કાલનું પરીણામ.
· .દરેક ઉમદા કાર્ય શરૂઆતમાં અશક્ય જ લાગતાં હોય છે.
· .સંસ્કાર વિનાનું અક્ષરજ્ઞાન, તે સુવાસ વિનાના ફૂલ જેવું છે.
· .નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો છે.
· .સમયની પહેલાં અને તકદીરમાં હોય તેથી વધુ કે ઓછું કોઇને મળતું નથી.
· .સફળતા મેળવવા ચિંતા નહિ ચિંતન કરો.
· .આશા એક શમણાં જેવી છે, જે ભાગ્ય જ ફળે છે.
· .વિદ્યા માનવીના સંસ્કાર સિંચન માટે ચાવીરૂપ છે.
· .દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે.
· .નશીબના ભરોસે બેસી રહેવું તે કાયરતાની નિશાની છે.
· .સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે.
· .એકની મૂર્ખાઇ બીજાનું નસીબ બને છે.
· .કરેલો યજ્ઞ, પડેલો વરસાદ અને મેળવેલી વિદ્યા કદી નિષ્ફળ જતાં નથી.
· .અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે.
· .પાપ કદી માનવીને ચેનથી સુવા દેતુ નથી.
· .ત્યાગથી મનની શાંતી પ્રાપ્ત થાય છે.
· .જીવન સંઘર્ષનું બીજું નામ છે.
· .જગતના અંધારા ફળે એ સૂર્ય, ઉરના અંધારા ફળે એ ધર્મ.
· વર્ગનો પ્રત્યેક બાળકનાં હ્રદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે. કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે.
· ભાષાના પ્રભુત્વ વગર શિક્ષણ પાંગળું રહે છે. કોઇપણ માધ્યમ હોય, ભાષાની સમૃદ્ધિ અનિવાર્ય અને આવશ્યક છે.
· કુવા હોય તો હવાડામાં આવે એ બરાબર છે પણ સાચું એ છે કે કુવામાં હોય એવું હવાડામાં આવે !
· સાચું બોલવાની પણ એક રીત હોય છે. તે એવી રીતે બોલાવું જોઈએ કે તે અપ્રિય ન બને.
–મોરારજીભાઈ દેસાઈ
· મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.–કબીર
· જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી,તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.
–ડબલ્યુ એમ. ઈવાર્ટસ
· બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.
–ચાણક્ય
· પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
–વેન્ડેલ ફિલિપ્સ
· હંમેશા હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી,પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
–સ્વામી વિવેકાનંદ
· બીજા કોઈ પણ સદગુણ કરતાં બીજાની વાત શાંતિથી સાંભળવાનો સદગુણ ઘણા થોડા માણસોમાં નજરે પડે છે.
–ડેલ કાર્નેગી
· સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.
–ખલીલ જિબ્રાન
· કળા એટલે પ્રત્યેક ચીજને, એટલે કે વિચારને, વાણીને,વર્તનને તેના યથાયોગ્ય સ્થાને મૂકવી.–જે. કૃષ્ણમૂર્તિ
· જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી;સફળતા તેની દાસી છે.–દયાનંદ સરસ્વતી
· આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ – જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે.–ચાણક્ય
· જો માનવીને સુંદર ઘર બાંધતા આવડે તો તેવા ઘરમાં સુંદર રીતે જીવતાં કેમ ન આવડે ?–બબાભાઈ પટેલ
· પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.–રવીન્દ્રનાથ ટાગોર
· જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.–ગુરુ નાનક
· માણસ ચંદ્ર લગી પહોંચ્યો. પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે.–ઉમાશંકર જોશી
· કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.–હરીન્દ્ર દવે
· જે મિત્ર નથી, તે શત્રુ બનતો નથી પણ જે મિત્ર છે તે જ એક દિવસ શત્રુ બને છે.–ડૉંગરે મહારાજ
· ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.–થોમસ પેઈન
· ભૂલોને આવતી રોકવા બધાં બારણાં બંધ કરી દેશો તો પછી સત્ય ક્યાં થઈને આવશે ?–રવીન્દ્રનાથ ટાગોર
· હું ભવિષ્યનો વિચાર કરતો નથી, કારણ હું વિચાર કરું એ પહેલાં તો એ આવી જાય છે.–આલબર્ટ આઈન્સ્ટાઈન
· જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.–શ્રીમદ્ રાજચંદ્ર
· આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે.
–લાઈટૉન
· મારુ જીવન એજ મારો સંદેશ છે.
· .બાળકને ઉપદેશ નહી ઉદાહરણ જોઇએ.
· .શિક્ષકો કોઇપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે.
· .વિશ્વમાં બીજો કોઇ એવો વ્યવસાય નથી જે સમાજમાં શિક્ષક કરતાં વધારે મહત્વ હોય.
· .કેળવણી એ સરકારનું એક ખાતુ નથી પણ સરકાર એ કેળવણીની એક શાખા છે.
· ..જે માણસ જરા પણ સમય ગુમાવતો નથી તેને સમયના અભાવની ફરિયાદ કરવાનો સમય જ નથી.
· .વાંચન જેટલું બીજુ કોઇ સસ્તું મનોરંજન નથી અને એના જેટલો કોઇ કાયમી આનંદ નથી.
· .જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.
· .પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે.
· .માણસ જ્યારે સંપૂર્ણ માનવતા અપનાવે ત્યારે જ તે દેવ સંજ્ઞાને યોગ્ય થાય છે.
· .જ્યારે તમારે કંઇ કહેવાનું ન હોય ત્યારે સ્મિત તો કરો જ.
· .એકવાર અંતરાત્માને વેચ્યા પછી તેને ગમે તે કિંમતે ખરીદી શકાશે નહી.
· .સફળતાના પાયામાં હંમેશાં સંઘર્શ જ હોય છે.
· .બદલો લેવા કરતાં ક્ષમા હંમેશા સારી છે.
· .ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કોઇ નથી.
· .સહનશીલતા સદ્ગુણોનો આધાર સ્તંભ છે.
· .વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઇ વસ્તુ નથી.
· .જ્યાં બુધ્ધિ શાસન કરે છે, ત્યાં શાંતિમાં વૃધ્ધિ થાય છે.
· .સિધ્ધિની સીડી ચડવા માટે સાહસ એ પ્રથમ પગથિયું છે.
· .ઇર્ષા આંધળી હોય છે, તે સત્યને ભાગ્યે જ જોઇ શકતી હોય છે.
· .નિરાશ થવું એટલે નાસ્તિક થવું.
· .ચારિત્ર્યનો પાયો સત્કર્મ છે અને સત્કર્મનો પાયો સત્ય છે.
· .સંજોગો તમારું સર્જન કરે તેને બદલે તમે સંજોગોનું સર્જન કરો.
· .બાળકને ઉપદેશ નહી ઉદેહરણ જોઇએ.
· .કોઇકની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી.
· .જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે.
· .મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.
· .દરેક માનવીએ પોતાની જાતને જ વફાદાર રહેવું જોઇએ.
· .એક આંગણું આપો, આખું આભ નહિ માગું.
· .અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ.
· .મારી આળસ જ મને ફુરસદ લેવા દેતી નથી.
· .સ્વતંત્રતા રાષ્ટ્રનો પ્રાણ છે, ગુલામી તેની શરમ છે.
· .પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે.
· .આજના વિચારો આવતી કાલે બોલો.
· .તમારી વર્તણુક તમારા સંસ્કારનુ પ્રતિક છે.
· .સદ્ગુણ વિના સુંદરતા અભિશાપ છે.
· .સજા કરવાનો અધિકાર તેને છે જે પ્રેમ કરે છે.
· .હાજરીમાં જે તમારાથી ડરે એ ગેરહાજરીમાં ધિક્કારે છે.
· .કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે.
· .આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
· .સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
· .માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
· .બાળકો પ્રભુના પયગંબરો છે.
· .બાળકો રાષ્ટ્રનું સુકાન છે.
· .શિક્ષણથી પણ વધારે મહત્વ ચારિત્ર્યનું છે.
· .ખરાબ અક્ષર એ અધુરી કેળવણીની નિશાની છે.
· .કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે. .આળસું માણસ હંમેશા દેવાદાર અને બીજાને ભારરૂપ હોય છે.
· .સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
· .માતા બાળકની શિક્ષા, દિક્ષા અને સંસ્કારનો ગુરૂ છે.
· .બાળકો સાથે સફળતાપૂર્વક કામ પાડવાનું રહસ્ય એના વડીલ ન બનવામાં રહેલું છે.
· જો સ્વર્ગમાં જવાની ઇચ્છા હોય તો પહેલા બાળક જેવા બનો.
· .ચંદ્ર અને ચંદન કરતાં સજ્જનોની સંગતિ વિશેષ શિતળ હોય છે.
· .સમય કિમતી છે, પણ સત્ય તો એથી વધુ કિમતી છે.
· .જે કંઇ શીખવવાની હિંમત કરે છે, તેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.
· : લોભીને ગુરૂ કે મિત્ર સારા હોતા નથી.
· દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે.
–ફાધર વાલેસ
· આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ પાપ નથી.
–સંત તુલસીદાસ
· બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.
–વિનોબાજી
· વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે.
–શ્રી મોટા
· જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ?
–શેખ સાદી
· મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ?
–ગોનેજ
· આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે.
–સ્વેટ માર્ડન
· જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે,સેવા અને સમર્પણ માટે છે.
–ધૂમકેતુ
· કાંટાળી ડાળને ફૂલો જેમ સુંદર બનાવી શકે છે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે છે.
–ગોલ્ડ સ્મિથ
· ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે.
–પ્રેમચંદ
· દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી.
–રવીન્દ્રનાથ
· ચિંતા ચિતાથી પણ વધારે ખરાબ છે. કારણ કે ચિતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે.
–રહીમ
· ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ.
–ગાંધીજી
· જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તોય હૃદયથી ઠરે નહિ.
–કાંતિલાલ કાલાણી
· મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફ્ળ શ્રદ્ધા.શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા.
· માણસની આંખ જીભ કરતાં અનેક વાર વધુ કહી આપે છે; અને સાચું કહી દે છે. એના સંદેશ વાંચતા શીખીએ.
–ફાધર વાલેસ
· મનુષ્ય તો કેવળ વચન જ દઈ શકે છે. તે વચનને સફળ કરવું જેના હાથમાં છે તેના પર જ ભરોસો રાખવો સારો છે.
–રવીન્દ્રનાથ ટાગોર
· તારું જો કશું યે ના હોય તો છોડીને આવ તું, તારું જો બધુંયે હોય તો છોડી બતાવ તું !
–રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
· જીવન એક આરસી જેવું છે. તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે.
–એડવિંગ ફોલિપ
· કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.
–મોરારજી દેસાઈ
· હિંમત એટલે શું ? એનો અર્થ એ કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો.
–ચાલટેન હેસ્ટન
· માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલકે તેમાં છે કે તે શું બની શકે તેમ છે.
–ડૉ. રાઘાકૃષ્ણન
· વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે.વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે.
–વિલિયમ જેમ્સ
દુ:ખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે. જે માનવી સાહસ સાથે એને સહન કરે છે એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે.
–લોકમાન્ય ટિળક
· દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે.
–ધૂમકેતુ
· આપણે જેમને સહુથી વધુ ચાહીએ છીએ તેમનામાં જ આપણને વધુ દુ:ખ આપવાની શક્તિ રહેલી હોય છે.
–જોન ફ્લેયર
· જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે એવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે.
–શંકરાચાર્ય
· જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે. જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.
–શ્રીમદ્ રાજચંદ્ર
· ઉત્તમ વસ્તુની ઉત્પત્તિ ઉચ્ચ સ્થાનોમાંથી જ થાય છે.ચંચળ ને ચમકતી વીજળીની ઉત્પતિ પણ ધરતીના તળિયેથી થોડી થાય છે ?
–કવિ કાલિદાસ
· .મનુષ્યના શરીર મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનુ પ્રગટીકરણ એટલે કેળવણી.
· .
22 May 2016
ચામડી લીસી અને ચમકતી
ગ્લીસરીન, ગુલાબજળ અને લીંબુનો રસ સરખેભાગે લઈ શીશીમાં ભરી તેનું માલીશ કરવાથી ચામડી સાફ બને છે અને ચીરા પડ્યા હોય તે મટે છે.
મુળાના રસમાં થોડું દહિં મેળવી ચહેરા ઉપર લગાડવાથી ચહેરો ચમકીલો બને છે.
એક ડોલ ગરમ અથવા ઠંડા પાણીમાં એક લીંબુ નીચોવી તે પાણીના સ્નાન કરવાથી ચામડી સુવાળી થાય છે.
કારેલાના પાનનો રસ ચોપડવાથી ચામડીના બહુ જુના કોઈપણ રોગ મટે છે.
તલના તેલને સહજ ગરમ કરી રોજ માલીશ કરવાથી ફીકી ચામડી ચમકતી થાય છે.
કાકરીને ખમણી તેનો રસ ચોપડવાથી ચીકાશવાળી તેમજ સુવાળી બને છે.
હાથ કે પગની ચામડી ફાટે ત્યારે વડનું દૂધ લગાડવાથી જલ્દી મટે છે.
સંતરાની છાલને સુકવી તેનો પાવડર કરી ગુલાબજળમાં મેળવી તેના મોં ઉપર લગાડી અડધો કલાક રહેવા દઈ પછી ચામડી ધોવાથી તે મુલાયમ બનશે અને ડાઘ દૂર થઈ જશે.
હાથ કે પગમાં ચીરા પડ્યા હોય, અળાઈ થઈ હોય તો એક ભાગ લીંબુનો રસ તેનાથી ત્રણ ગણું તલનું તેલ અથવા કોપરેલ મેળવી લગાડવાથી રાહત થાય છે.
ચણાના લોટમાં પાણી અને થોડું ઘી મેળવી શરીર ઉપર અને મોં ઉપર માલીશ કરવાથી ચામડી તેજસ્વી બને છે અને ગૌર વર્ણની બને છે.
દાઝી ગયેલી ચામડી ઉપર સફેદ ડાઘ રહી જાય છે તેના ઉપર રૂને મધમાં ભીંજાવી પાટો બાંધવાથી ડાઘ નીકળી જાય છે.
દૂધ અને દીવેલને સરખેભાગે લઈ નિયમિત શરીરે માલીશ કરવાથી શરીર પરથી કરચલી દૂર થાય છે.
લીમડાના ૧૦૦ પાન લઈ તેનું ચૂર્ણ રોજ છ મહિના સુધી લેવાથી સફેદ કોઢ મટી જાય છે.
ચોખાના ધોવણમાં થોડીક હળદર મેળવીને ચહેરા પર અને શરીર પર માલીશ કરવાથી ચહેરાની સુંદરતા વધે છે.
દૂધની મલાઈનો લેપ સ્નાન કરતા પહેલા લગાડી દેવો અને સુકાઈ ગયાબાદ મોં પર હાથથી માલીશ કરવી જેથી ચામડી લીસી અને ચમકતી થશે.
રસ કાઢી લીધેલા લીંબુના ફાળીયા ચહેરા પર ઘસવાથી ચામડી ઉપરની લાલી એકદમ આવે છે થોડી વાર મોં ઉપર છાલ ઘસી પછી ઠંડે પાણીએ મોં ધોઈ નાખવું તેથી પસીનાના મેલથી બંધ થઈ ગયેલા ચામડીના છીદ્રો ખુલી જાય છ