26 May 2017

આનો સસરો મારા સસરાનો બાપ છે... તો સબંધ શુ થયો????

જે જવાબ આપશે એ ..........

👦1 છોકરો અને 👩 1 છોકરી બાઇક પર જતા હતા તો તેને પોલિશવાળાએ રોકીને પુછ્યુ તમારો સબંધ શુ?

છોકરો બોલ્યો

આનો સસરો મારા સસરાનો બાપ છે...
તો સબંધ શુ થયો????

जवाब- जमाइ- सासु

25 May 2017

*તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણાં પૂર્વજોએ આપણાં અલંકારોને કેટલી વૈજ્ઞાનિક દૃષ્ટિથી બનાવેલ છે.*

*તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણાં પૂર્વજોએ આપણાં અલંકારોને કેટલી વૈજ્ઞાનિક દૃષ્ટિથી બનાવેલ છે.*

*આપણું એક એક ઘરેણું શરીરનાં દરેક અંગ માટે ઉપયોગી છે.*

પગથી શીશ સુધી ઘરેણું સોહામણું રૂપ તો આપે છે, સાથે સાથે સ્વાસ્થય પણ અર્પે છે.

૧.
*પગનાં આંગળામાં પહેરાતી વીંટી, કડાં અને માછલી:-*
સ્નાયુઓની પીડા રોકે છે,
રાત્રીનાં બિહામણા સ્વપના રોકે છે.
જ્યારે માછલી પહેરવાથી સાઇટિકાના દર્દમાં રાહત આપે છે.

૨.
*ઝાંઝર, કડા અને પાયલ:-*
પગની એડી અને પીઠનાં દર્દમાં રાહત આપે છે.
માસિક ધર્મ નિયમિત બનાવે છે.
પગને શ્રમ ઓછો પડે છે.

૩.
*કમર પટ્ટો કે કંદોરો:-*
કમરનાં દર્દો દૂર કરે છે.
માસિક અને પાચનશક્તિની ફરિયાદ દૂર કરે છે.
એપેંનડિક્સ, પેટના દર્દો તેમજ હર્નીયાની તકલિફને દૂર કરે છે.

૪.
*અંગુઠી કે વીંટી:-*
હાથની ધ્રુજારી, દમ, કફ વગેરેમાં રાહત રહે છે.
વીંટી ગભરાટ અને માનસિક આઘાતમાં રાહત આપે છે.

૫.
*હાથની બંગડીઓ અને કડા:-*
બંગડીઓ તો બધી શારિરીક વ્યાધિમાં લાભદાયક છે.
તોત્ડાપણું દૂરકરવામાં મદદરૂપ થાય છે.
હૃદયરોગ તેમજ લોહીના દબાણ પર રાહત રહે છે.

૬.
*બાજુબંધ પોંચી:-*
કોણી અને ખભાની વચ્ચે પહેરાતા આ આભૂષણથી હૃદયશક્યિ પ્રાપ્ત થાય છે.

૭.
*હાંસડી, હાંસલી, ચેન કે મંગળસૂત્ર:~* આંખની જ્યોતિ વધારે છે.
કંઠમાળનો રોગ નથી થતો.
અવાજ સૂરીલો બને છે.
માથાના દુખાવો, હિસ્ટેરીયા ને ગર્દન પરના દરેક રોગો પર રાહતનું કામ કરે છે.

૮.
*કાનની કડી-બુટ્ટી કે કાનની વાળી:~* કાનની બુટમાં છેદ પાડી પહેરાતા અલંકારોથી ગળું, આંખ અને જીભથી થતાં રોગો અટકે છે.
કાનના ઉપરનાં ભાગમાં વાળી પહેરવાથી હાસ્ય વખતે 17 સ્નાયુ અને ગુસ્સામા 43 સ્નાયુ પ્રક્રિયામાં વ્યસ્ત થઈ જાય છે.

૯.
*નાકની નથણી, ચૂંક કે સળી:-*
કફ અને નાકનાં રોગો પર રાહત આપે છે. મનની વિચાર શક્તિ સાથે નથણીનો સંબંધ છે.

૧૦.
*માથાનો ટીકો:-*
આ આભૂષણ મસ્તકને શાંતિ બક્ષે છે.

અલંકારોમાં મુખ્યત્વે
સોના,ચાંદી, હીરા, મોતી છે.

સોનાની પ્રકૃતિ ગરમ છે તોચાંદી શીતળ છે. મોતીનો સ્પર્શ શીતળતા અર્પે છે.

માનવ સંસ્કૃતિના ઈતિહાસમાં આભૂષણ શોભા સાથે શારિરીક સ્વસ્થતા આપે છે.

સામાન્ય રીતે લોકોને આભૂષણોનો આવો પર્યાય ખ્યાલ જ નહિ હોતો.

24 May 2017

*અત્યારે બોર્ડ રિઝલ્ટની સિઝન ચાલુ છે ત્યારે આટલું જરૂર વાંચજો અને શેર કરજો. કોઇકની જિંદગી બચી શકે છે

*અત્યારે બોર્ડ રિઝલ્ટની સિઝન ચાલુ છે ત્યારે આટલું જરૂર વાંચજો અને શેર કરજો. કોઇકની જિંદગી બચી શકે છે*

" બોર્ડની પરીક્ષા આપી ચૂકેલા તમામ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ "

બોર્ડની પરીક્ષા એ આપણા જીવનની સફળતા કે નિષ્ફળતાની પારાશીશી નથી. આ, તો માત્ર એક શૈક્ષણિક પરીક્ષા છે.
આના પરિણામ ઉપરથી તમે જીવનમાં કેટલા આગળ વધશો એ નક્કી નથી થવાનું.
માટે, ચિંતા છોડો અને આનંદ કરતા કરતા હસતા ચહેરે રિઝલ્ટ સ્વિકારો !

માં-બાપને નમ્ર વિનંતી કે તમારા બાળકની ક્ષમતાને સમજો. અગિયારમા ધોરણ સુધી ૬૫% લાવતું બાળક અચાનક બારમામાં ૯૦% લાવશે એવી અપેક્ષા રાખવી એ પણ મૂર્ખામી છે.

પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ કહ્યું છે કે જયારે માબાપ પોતાની અતૃપ્ત ઈચ્છા સંતાન પાસે પૂરી કરાવવાની ઘેલછા રાખે છે ત્યારે તેમાંથી આપઘાત જેવા અનિષ્ટનો જન્મ થાય છે.

જે વિદ્યાર્થીઓ દસમા ધોરણની પરીક્ષા આપવાના છે એ લોકોની જાણ ખાતર કે તમે ડિપ્લોમા કરવાના હોય તો ઠીક છે બાકી તમારી દશમાની માર્કશીટ જન્મ તારીખના દાખલા સિવાય બીજે ક્યાંય કામ આવવાની નથી.
માટે દશમાની પરીક્ષાનું જરાય બર્ડન રાખશો નહીં.

સચિન તેંડુલકર દસમા ધોરણમાં નાપાસ થયા હતા અને આજે મહારાષ્ટ્ર બોર્ડના દશમાં ધોરણમાં સચિન ઉપર એક પાઠ ભણવામાં આવે છે.
અમિતાભ બચ્ચન રેડીયો ની પરીક્ષામાં ફેઈલ થયા હતા અને આજે આખી દુનિયા બચ્ચનસાહેબના અવાજ ઉપર ફીદા છે.
પૂજ્ય મોરારીબાપુ દશમામાં ત્રણ વખત નાપાસ થયા હતા પરંતુ આજે ત્રણ વખત પીએચ.ડી. કરેલા લોકો પણ પૂજ્ય બાપુને નવ-નવ દિવસ સુધી પલાઠીવાળીને સાંભળે છે.

પ્રમુખસ્વામી મહારાજે ધોરણ:૬ સુધી અભ્યાસ કરેલો છતાંયે વિશ્વમાં હિન્દુ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરતા હજારો મંદિરો તથા સ્કૂલ- હોસ્પિટલ નુ નિર્માણ કર્યું.

મહાત્મા ગાંધી,  આલ્બર્ટ આઈન્સ્ટાઈન, વિન્સ્ટન ચર્ચિલ, બિલ ગેટ્સ, ધીરુભાઈ અંબાણી વગેરે મહાનુભાવો પણ નાપાસ થયા હતા અથવા ઓછા માર્ક્સ લાવ્યા હતા.

એનો મતલબ એવો નથી કે નાપાસ થાય એજ સફળ થાય પરંતુ નાપાસ થયા પછી પણ સફળ થઈ શકાય છે.
શરત એટલી  કે જીવતા રહેવું જોઈએ !

માટે, કદાચ ઓછા ટકા આવે કે નાપાસ થાવ તો પણ આપઘાત કરવાનું તો સપનામાં પણ ન વિચારશો. ઉપરવાળાએ જિંદગી જીવવા માટે આપી છે, મરવા માટે નથી આપી.

જે વિદ્યાર્થીઓને આપઘાત કરવાનો વિચાર આવે એ લોકોએ રસોડાના બારણાં પાછળ સંતાઈને કામ કરતી પોતાની માતાના ચહેરા સામે ધારી-ધારીને જોયા કરવું અને પોતાની જાતને પૂછવું કે કોણ મોટું : તને ૯-૯ મહિના ઉદરમાં રાખી મોતની સામે બાથ ભીડી તને જન્મ આપનાર અને આટલો મોટો કરનાર તારી માં મહત્વની છે કે તારું પરિણામ ?
જો હું આત્મહત્યા કરીશ તો મારી વહાલી માં પર શી વીતશે ?
પંખે લટકાયેલો નિષ્પ્રાણ દેહ જયારે જનેતા જોશે ત્યારે એની શુ હાલત થશે ?

તમે બોર્ડમાં સારા માર્ક્સ લાવશો તો તમારા માબાપને અવશ્ય ગૌરવ થશે પણ તમે ઓછા ટકા લાવશો કે નાપાસ થશો તો તમારા માબાપનું માથું શરમથી ઝૂકી જશે એવો ભ્રમ મગજમાંથી કાઢી નાખજો.
મોટા ભાગના આપઘાત "સમાજમાં આપણી શું આબરૂ રહેશે" એવી  ખોટી બીક ના લીધે જ થતા હોય છે.

માટે, વિદ્યાર્થી ભાઈ-બહેનો ખુબ મહેનત કરો. મહેનત કરવામાં આળસ ન કરવી. પરીક્ષા આપ્યા પછી જે પરિણામ આવે એને સહર્ષ સ્વીકારતા શીખવું !

આખા વિશ્વમાં વિદ્યાર્થીઓના આપઘાત સૌથી વધુ ભારતમાં થાય છે. એમાં પણ, બોર્ડની પરીક્ષા દરમિયાન આપઘાતનું પ્રમાણ વધી જાય છે.

આવા સમયે જ વિદ્યાર્થીઓને  બે સારા શબ્દો દ્વારા પ્રોત્સાહનની જરૂર હોય છે. હું પણ શિક્ષક હોવાથી મને અનુભવ છે કે બોર્ડની પરીક્ષા વખતે અમારા ઉપર કેટલું દબાણ હોય છે.

જો તમને મારા વિચારો ગમ્યા હોય તો બોર્ડના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સુધી અવશ્ય પહોંચાડજો.
તમે તમારા અમૂલ્ય વિચારો પણ ઉમેરી શકો છો.
શુ ખબર ! આપણા દ્વારા લખાયેલા થોડા શબ્દો કોઈને નવું જીવન આપી દે.

ગુણાતિતાનંદસ્વામીએ કહ્યું છે કે
"એક જીવને ઉગારવાથી ( આપઘાત કરતો અટકાવવાથી ) આખા બ્રહ્માંડને ઉગારવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે."

ચાલો ! આપણે સૌ સાથે મળીને "આપઘાતની ઘાત ટાળીએ"

💐💐💐

23 May 2017

*જીંદગી ભરનો પસ્તાવો*

*જીંદગી ભરનો પસ્તાવો*

ઍ ભાઈઍ પોતાની સાત વર્ષની નાનકડી દીકરીને તે દિવસે ખૂબ મારી. છોકરીનો વાંક ઍટલો જ હતો કે પપ્પાઍ વેંચવા માટે લાવેલા સોનેરી કાગળમાંથી ઍક મોટો ટુકડો ફાડીને તે કંઈક બનાવી રહી હતી. દેવું, મંદી અને આર્થિક સંકડામણથી થોડા ૠસ્ત હતા. તેથી છોકરી કંઈ કહે તો પણ સાંભળવાની ધીરજ પપ્પા રાખી શક્યા નહોતા.

દીખરી રડતી રડતી સૂઈ ગઈ. બીજા દિવસની સવાર પડી અને આગલા દિવસનો માર ભૂલીને પેલી પરી હાથમાં સોનેરી ગિફ્ટ બોક્સ લઈને હસતી હસતી ઊભેલી તેની આંખો થોડી સૂજેલી હતી.

પપ્પા ! હેપી બર્થડે આજે તમારો જન્મદિવસ છે ! ‘ કહીને તેણે તે બોક્સ પપ્પાને આપ્યું. ગળગળા થઈ ગયેલા પપ્પાઍ બોક્સ સ્વાકાર્યું અને ખોલીને જોયુંતો સાવ ખાલી ! ‘કેમ ?’ પપ્પાઍ પૂછ્યું : ત્યારે થોડા ઉદાસ ચહેરે પેલી બોલી “ગઈકાલે તમે ખૂબ વઢ્યા તેથી કાંઈ ભરવાની હિંમત ન કરી શકી. પણ…પણ… છતાં ઍ ભરેલું છે.

બરાબર જુઑ પપ્પા ! આખું બોક્સ છલોછલ છે. ખૂબ પ્રેમથી ચુમીઑ ભરીને આ બોક્સ આપ્યું છે. અંદર મારો ચિક્કાર પ્રેમ ભર્યો છે. ક્યારેય ખાલી ન થાય ઍટલો બધો !”

હવે રડવાનો વારો પપ્પાનો હતો. આગલા દિવસની સમગ્ર ઘટના આંખ સામે ખડી થઈ ગઈ. પોતાની ઉતાવળ અને ઉગ્રતા બદલ પારાવાર દુઃખ થયું અંતર ભરાઈ ગયું. ‘આઈ ઍમ વેરી સોરી’ કહીને દીકરીને ગળે લઈ લીધી. ટ્રેજેડી તો ઍ થઈ કે થોડાક મહિનાઑ બાદ ઍક વાહન અકસ્માતમાં પેલી દીકરીનું આકસ્મિક મૃત્યુ થઈ ગયું. પપ્પા પાસે બે ચીજ રહી ગઈ. જીંદગી ભરનો પસ્તાવો અને બોક્સભર પ્રેમ ! પછી સૂતી વખતે પપ્પા કાયમ આ બોક્સને પોતાના ઑશિકા પાસે રાખતાં.

આ ઉદાહરણ બે વાર ધ્યાનથી વાંચીને પછી તાકાત હોય તો સંતાનો ઉપર હાથ ઉઠાવીને જો જો !

‘શાક સુધારવું અને સંતાન સુધારવું ઍ બેમાં ઘણો તફાવત છે સાહેબ…..

-- અજ્ઞાત

જો આંખો અશ્રુભીની ના થાય તો સમજવું કે ભગવાને આપને લાગણીભર્યું હૃદય નહિ પણ પથ્થર આપ્યો છે બાપ..

20 May 2017

દુશ્મની માં ખાનદાની નું ઉત્કૃષ્ઠ ઉદાહરણ.

દુશ્મની માં ખાનદાની નું  ઉત્કૃષ્ઠ ઉદાહરણ.

ગોંડલ રાજાના કુંવર, સંગ્રામજીના દિકરા, નામ એનુ પથુભા. નાની ઉંમર એમની. કોઈ કામ સબબ એમને કુંભાજીની દેરડી કેવાય છે ત્યા જવાનુ બનેલું. એટલે ૨૫-૩૦ ઘોડેસવારોની સાથે પોતે નીકળ્યા.

એમા કુકાવાવના પાદરમા પહોચ્યા. ઘોડાઓ નદિમા પાણી પીએ છે.

કુંવર (માણસોને) : હવે દેરડી કેટલુ દુર છે?

માણસો : કેમ કુંવરસાબ?

કુંવર : મને ભુખ બહુ લાગી છે.

માણસો : બાપુ, હવે દેરડી આ રહ્યુ, અહિથી ૪ માઇલ દેરડી આઘુ છે, આપણે ઘોડા ફેટવીએ એટલે હમણા આપણે ન્યા પોગી જાઈ અને ત્યા ડાયરો ભોજન માટે આપણી વાટ જોતો હશે.

કુંવર : ના, મારે અત્યારે જ જમવુ છે.

આ તો રાજાનો કુંવર એટલે બાળહઠ ને રાજહઠ બેય ભેગા થ્યા.

એટલામા કુકાવાવનો એક પટેલ ખેડુત પોતાનુ બળદગાડું લઈને નીકળ્યો ને એણે કુંવરની વાત સાંભળી એટલે આડા ફરીને રામ રામ કર્યા ને કિધુ કે, “ખમ્મા ઘણી બાપુને, આતો ગોંડલનું જ ગામ છે ને, પધારો મારા આંગણે.”

કુંવર અને માણસો પટેલની ઘરે ગ્યા.

ઘડિકમા આસન નખાઇ ગ્યા, આ બાજુ ધિંગા હાથવાળી પટલાણીયુ એ રોટલા ઘડવાના શરૂ કરી દિધા, રિંગણાના શાક તૈયાર થઈ ગ્યા, મરચાના અથાણા પીરસાણા અને પોતાની જે કુંઢિયુ બાંધેલી એની તાજી માખણ ઉતારેલી છાશું પીરસાણી.

કુંવર જમ્યા ને મોજના તોરા મંડ્યા છુટવા કે શાબાશ મારો ખેડુ, શાબાશ મારો પટેલ અને આદેશ કર્યૌ કે બોલાવો તલાટીને, ને લખો, “કે હુ કુવર પથુભા કુકાવાવમા પટેલે મને જમાડ્યો એટલે હું પટેલને ચાર સાતીની ઉગમણા પાદરની જમીન આપુ છું.” ને નિચે સહિ કરી ને ઘોડે ચડિને હાલતા થ્યા.

કુંવર ગયા પછી તલાટી જે વાણિયો હતો તે ચશ્મામાંથી મરક મરક દાંત કાઢવા લાગ્યો ને પટેલને કિધુ કે, “પટેલ, આ દસ્તાવેજને છાશમા ઘોળીને પી જાવ. આ ક્યા ગોંડલનુ ગામ છે કે કુંવર તમને જમીન આપી ને વ્યા ગ્યા.”આ તો કાઠી દરબાર જગા વાળા નુ ગામ છે.

પટેલને બિચારાને દુઃખ બહુ લાગ્યુ અને આખુ ગામ પટેલની મશ્કરી કરવા લાગ્યુ.

પટેલને ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવુ થ્યુ. પણ એક વાત નો પોરસ છે કે કુંવરને મે જમાડ્યા.

ઉડતી ઉડતી એ વાત જેતપુર દરબાર જગાવાળાને કાને પડી.

એમણે ફરમાન કીધુ
કે -"બોલાવો પટેલને અને એને કેજો કે સાથે દસ્તાવેજ પણ લાવે."

પટેલ બીતા-બીતા જેતપુર કચેરીમા આવે છે.

જગાવાળા : પટેલ, મે સાંભળ્યુ છે કે મારા દુશ્મન ગોંડલના કુંવર પથુભા કુકાવાવ આવ્યાતા ને તમે એને જમાડ્યા. સાચું ?

પટેલ : હા બાપુ, એમને ભુખ બહુ લાગીતી એટલે મે એને જમાડ્યા.

જગાવાળા : હમ્મ્મ્મ અને એણે તમને ચાર સાતીની જમીન લખી આપી એય સાચું ?

પટેલ : હા બાપુ એને એમ કે આ ગોંડલનુ ગામ છે એટલે આ દસ્તાવેજ લખી આપ્યો.

ત્યારે જગાવાળાએ પોતાના માણસોને કિધુ કે - તાંબાના પતરા પર આ દસ્તાવેજમા જે લખેલ છે એ લખો અને નીચે લખો કે, “મારા પટેલે મારા દુશ્મનને જમાડ્યો એટલે મારી વસ્તીએ મને ભુંડો નથી લાગવા દિધો. એટલે હું જગાવાળો, જેતપુર દરબાર, પટેલને બીજી ચાર સાતીની જમીન આપુ છુ અને આ આદેશ જ્યા સુધી સુર્યને ચાંદો તપે ત્યા સુધી મારા વંશ વારસોએ પાળવાનો છે અને જે નહિ પાળે એને ગૌહત્યાનુ પાપ છે”
એમ કહીને નીચે જગાવાળાએ સહિ કરિ નાખી,

અને એક પત્ર ગોંડલ લખ્યો કે, “સંગ્રામજીકાકા તારો કુંવર તો દેતા ભુલ્યો, કદાચ આખુ કુકાવાવ લખી દિધુ હોત ને તોય એય પટેલ ને આપી દેત.”

આ વાતની ખબર સંગ્રામસિંહજીને પડતા એને પણ પોરસના પલ્લા છુટવા માંડ્યા કે “વાહ જગાવાળા શાબાશ બાપ! દુશ્મન હોય તો આવો. જા બાપ તારે અને મારે કુકાવાવ અને બીજા ૧0 ગામનો જે કજિયો ચાલે છે
તે તને માંડિ દવ છું...!"

આનુ નામ દુશ્મન કેવાય, આને જીવતરના મુલ્ય કેવાય.
વેરથી વેર ક્યારેય શમતુ નથી એને આમ મિટાવી શકાય,
આવા અળાભીડ મર્દો આ ધરતિમા જન્મ્યા.

ધન્ય છે...

" આપણી સંસ્કૃતિ અને આપણો વારસો "

10 May 2017

બાળકોને ક્યાં માધ્યમમાં ભણાવવા જોઈએ ?

રોજે રોજ કેટલાય માં-બાપના ફોન આવે છે કે અમારે અમારા બાળકોને ક્યાં માધ્યમમાં ભણાવવા જોઈએ ? આ બાબતે મારે મારા વિચારો આપ સૌ સાથે પણ શેર કરવા છે. આ વિચારો મારા પોતાના અંગત વિચારો છે બીજા મિત્રો એની સાથે સહમત થાય એ બિલકુલ જરૂરી પણ નથી. ઘણા વાલીઓને આ પ્રશ્ન મૂંઝવે છે માટે થોડા વિચારો વ્હોટ્સઅપ ના માધ્યમથી વહેતા મુકું છું.

બાળકના સંપૂર્ણ વિકાસ માટે બાળકને એ ભાષામાં ભણાવવો જોઈએ જે ભાષા એના ઘરમાં બોલાતી હોય, એની આસપાસ બોલાતી હોય. ઘરમાં જો અંગ્રેજી ભાષાનો મહત્તમ ઉપયોગ થતો હોય તો બાળકનો અભ્યાસ અંગ્રેજી માધ્યમમાં અને જો ગુજરાતી ભાષાનો ઉપયોગ થતો હોય તો ગુજરાતી ભાષામાં બાળકનો અભ્યાસ થવો જોઈએ. માતૃભાષામાં અભ્યાસ કરનાર બાળકનું દિમાગ બાકીની બીજી ભાષાઓ બહુ ઝડપથી શીખી શકે છે. તમારે આ માટે એક પ્રયોગ કરવો હોય તો કરી જો જો. એકસમાન ધોરણમાં ભણતા એક ગુજરાતી માધ્યમના અને એક ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીને એકસમાન કામ સોંપજો. બંનેને ગુજરાતીમાં અને અંગ્રેજીમાં મોબાઈલ નંબર લખાવજો. ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી બંને ભાષામાં સરળતાથી લખી શકશે અને અંગ્રેજી માધ્યમમાં ભણતો વિદ્યાર્થી ગુજરાતીમાં નંબર લખવામાં મુશ્કેલી અનુભવશે.

અંગ્રેજી ભાષાનું મહત્વ ખુબ છે એ સાચી વાત પણ એના માટે માધ્યમ અંગ્રેજી હોવું બિલકુલ જરૂરી નથી (જેના ઘરમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ થતો હોય એ અંગ્રેજી માધ્યમ અપનાવે તો સ્વીકાર્ય છે ) અંગ્રેજીને ભાષા તરીકે શીખવી જ જોઈએ અને ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરીને પણ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવી શકાય. ધો.12 સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરેલો વિદ્યાર્થી અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરેલો વિદ્યાર્થી જ્યારે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવે ત્યારે ગુજરાતી માધ્યમવાળો વિદ્યાર્થી બિચારો પોતાની જાતને પછાત મહેસુસ કરતો હોય છે કારણકે પ્રથમ વર્ષે એને ભણવામાં, લખવામાં, બોલવામાં બહુ તકલીફ પડે છે. બીજા વર્ષે બંને સમાન થઈ જાય અને પછીના વર્ષથી ગુજરાતી વાળો (અહિયાં માતૃભાષામાં ભણેલો એમ જ સમજવું.) આગળ નીકળી જાય. પીજીની પરીક્ષાઓ મોટાભાગે માતૃભાષામાં ભણેલા વિદ્યાર્થીઓ જ પાસ કરી જાય છે. તમારા શહેરના સુપર સ્પેશિયાલિષ્ટ ડોકટરોની યાદી બનાવો અને તપાસ કરો કે એ ક્યાં માધ્યમમાં ભણ્યા હતા ?

ગુજરાતી ભાષામાં અભ્યાસ કરતી વખતે ગુજરાતીમાં ઉપયોગમાં લેવાતા મહત્વના શબ્દોનું અંગ્રેજી શીખવાની ટેવ પડે તો કોઈ જ મુશ્કેલી ઉભી નહિ થાય. આજે તો હવે પાઠ્યપુસ્તકમાં ગુજરાતી શબ્દની સાથે કૌંસમાં અંગ્રેજી અર્થ પણ આપવામાં આવે છે જે પહેલા નહોતું થતું.

આપણા દિમાગમાં એ વાત ઘુસી ગઈ છે અથવા પ્રયત્નપૂર્વક ઘુસાડી દેવામાં આવી છે કે અંગ્રેજી માધ્યમમાં ભણે તો જ બાળકનો વિકાસ થાય. કઠપૂતળીની જેમ એક બે અંગ્રેજી કાવ્ય બોલી જતા બાળકોને જોઈને આપણે સાવ પછાત છીએ એવું અનુભવવા લાગ્યા છીએ. આપણને આપણા બાળકના ભવિષ્યની જેટલી ચિંતા છે એના કરતા સમાજના લોકો શું કહેશે તેની વધુ ચિંતા કરીએ છીએ.

વાલીઓ બિચારા મોટા મોટા સપનાઓ સાથે સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા મૂકે જ્યાં ભાષા પર પ્રભુત્વ ધરાવતા શિક્ષકો જ નાં હોય મેં તો એવી શાળાઓ અને કોલેજો જોઈ છે જ્યાં અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકોને જ અંગ્રેજી ના આવડતું હોય અને એ ગુજરાતીમાં જ ભણાવતા હોય ખાલી શબ્દો અંગ્રેજીમાં બોલે બાકી બધું ગુજરાતી જ હોય. આમ બિચારું બાળક પણ શું કરે ?

ઘણું લખવું છે પણ તમે વાંચીને થાકી જશો એટલે છેલ્લે એટલું જ કહેવું છે કે બાળકને જે ભાષામાં ભણાવવું હોય એ ભાષા ભણાવજો પણ ભણાવવાનું માધ્યમ નક્કી કરતી વખતે તમારા સ્ટેટ્સ કે દેખાડાને મહત્વ આપવાને બદલે તમારા ઘરમાં કઈ ભાષા બોલાય છે આજુબાજુમાં કઈ ભાષા બોલાઈ છે એ પણ જરા જોજો. અંગ્રેજીનાં ગાંડપણામાં માતૃભાષા ભૂલાઈ ના જાય એનું ધ્યાન રાખજો.

જય હો ✍

ક્રિકેટ નાે એક સવાલ.

ક્રિકેટ નાે એક સવાલ.

*50 ઓવર ની વનડે મેચ માં એક ખેલાડી વધુ માં વધુ કેટલા રન કરી શકે...?*

*300 બોલ પર એક ખેલાડી  કેટલા રન થાય બનાવી શકે...?*

નોટ - એકસ્ટ્રા રન કોઈ પણ નહીં જેમ કે,વાઈડ, નો બોલ,બાય, લેગ બાય, ઓવર થ્રો.

ઓપ્શન :
A) 1800.
B) 1650.
C) 1653.
D) 1550.
E) 1555
F) 1506
this quetion came in CSAT and 99% people  answered it wrong.

.

.

ANSWER -

Last over ma 36 ane  baki ni 49 over ma 33 run pramane 33run*49over = 1617     

Mate- 1617+36   =1653

9 May 2017

શેઠ પણ દુનીયાદારી જોઈ ચુક્યા હતા.

ઘરમા વેકેશનની તૈયારીઓ તડામાર ચાલી રહી હતી. ‘ચાર દિવસ પછી તો આપણે પ્લેનમા બેઠા હોઇશું..... અને ખૂબ મજા કરીશુ...! મમ્મી તો ગોવા  જતી ફ્લાઇટમા જાણે સૌ બેસી ગયા  હોય છે તેવુ આભાસી ચિત્ર મોટા દિકરા આયુધ અને નાની દીકરી રીધ્ધીને બતાવી રહી હતી.

‘અને જો મમ્મી... હું બીચ પર ખૂબ ન્હાવાનો છું... તું મને રોકતી નહી...!!’ દસમા ધોરણની પરીક્ષા પુરી થયા પછી આયુધ ક્યારનો’ય વેકેશનની મોજમસ્તીના સપના જોઇ રહ્યો હતો.

‘પણ.... મમ્મી.... આ ફરવા જવાનો ખર્ચ કેટલો થશે ?’ ક્યારનીયે ચુપ બેસેલી રિધ્ધિએ મમ્મીને પુછી લીધું.

‘એ.. તો.. તારા પપ્પાને ખબર...!!’ મમ્મી એ જવાબ વાળી દીધો તો ખરો, પણ જે ચિંતા મોટા વ્યક્તિને થવી જોઇતી’તી તે ચિંતા ઘરની સૌથી નાની વ્યક્તિ જે હજુ તો ચોથા ધોરણની પરીક્ષા આપી તે રિધ્ધિ કરી રહી હતી.

‘પણ.. જુઓ આ વખતે હુ તમારુ કોઇ બહાનુ નહી ચલાવી લઉ... મારી બધી બહેનો તો આખુ ભારત ફરી આવી... તમે મને અંબાજીથી ક્યાંય આગળ નથી લઇ ગયા....!!! ગમે તે કરી આ વેકેશન તો મારે ગોવા જ જવુ છે.....!!!’ આ સ્ત્રીહ્ઠે વશિષ્ઠને મજબુર કરી દીધો હતો….
જો કે તે સ્ત્રીહ્ઠ પુરી કરવા પાછળ વશિષ્ઠે પોતાની પ્રામાણિક્તા દાવ પર લગાવી દીધી હતી. પોતાની કંપનીમા એક મોટો ઓર્ડર અપાવવા માટે સામેની કંપની પાસે ગોવાનું  પેકેજ લાંચ પેટે લઇ લીધુ હતુ..

વશિષ્ઠની અંદરનો વસવસો દુર કરવા તેની પત્નીએ જ પ્રેક્ટિક્લ એપ્રોચ સમજાવ્યો હ્તો.

વશિષ્ઠની પત્નીએ અને આયુધે તો પોતાની સોસાયટી અને દરેક જાણીતાને પોતે વેકેશનમા પ્લેનમાં ફરવા જવાના છે તેની જાહેરતો કરી દીધી હતી.

મમ્મીએ ત્રીજી વાર બધુ પેકીંગ ચકાસી  લીધું.. અને બસ હવે તો ગોવામા જ શાંતીથી સુઇ શક્શે તેવા શમણાંમાં ખોવાઇ જતી...
રાત્રે બાર વાગે સેકન્ડ શિફ્ટ પુરી કરી વશિષ્ઠ ઘરે આવ્યો.
તેના ચહેરા પર નૂર ઓછુ હતુ... તે ચુપ હતો... પત્નીએ આજે પહેલી વાર રાત્રે મોડે ગરમ-ગરમ રસોઇ બનાવી આપી.
ચોથા કોળીએ તો વશિષ્ઠે તો કહી દીધું,.. ‘મારી રજા મંજુર થઇ નથી... બધા વેકેશનમા રજા લેશે તો કંપની કેવી રીતે ચાલશે ? શેઠે હમણા રજા નહી મળે તેમ સ્પષ્ટ કહ્યું છે…..!!’ આ વાક્ય પુરુ થતા તો તેની પત્નીના બધા સપનાઓ તો જાણે એકક્ષણમાં જ ઓગળી ગયા.

‘તો... પછી એમ કરો.... બિમારીની રજા લઇ લો...!!’

‘પણ.. માંદુ કોણ છે ? એક તો મેં શેઠને જણાવ્યું પણ નથી કે આપણે ફરવા જવાના છીએ... જો તે તપાસ કરે કે આ પેકેજ મને પેલી કમ્પનીએ ગિફ્ટ વાઉચરમા આપ્યું છે.. તો... મારી વર્ષોની પ્રામાણિક્તા અને વિશ્વાસ પર પાણી ફરી વળે...!!’ વશિષ્ઠ ખોટું કરવા તૈયાર નહોતો.

‘બળી તમારી પ્રામાણિક્તા...ને બળ્યો તમારો વિશ્વાસ.... આટલા વર્ષોની નોકરી પછી તમને મળ્યું છે શું ? અને એક વાર ખોટુ બોલી જશો કે  મારી દિકરી ખરેખર માંદી છે.. તો શેઠ કાંઇ ઘરે થોડા જોવા આવવાના છે ?’ પત્નિ ખૂબ પ્રેક્ટિક્લ બની વશિષ્ઠના વર્ષોની પ્રામાણિકતાને તુચ્છ જણાવી રહી હતી.

‘સારુ.. એમ કરીશ....’ ત્રણ શબ્દો પછી વશિષ્ઠે જમવાનુ પુરુ કર્યુ અને આયુધ- રિધ્ધિ પાસે સુઇ ગયા.

રિધ્ધિ તે બન્નેની વાતચીત સાંભળી ચુકી હતી.
વશિષ્ઠની આંખોમાથી  ઉંઘે રજા લઇ લીધી હોય તેમ તે રુમની છતને તાકીને જોઇ રહ્યો હતો.
રિધ્ધિ જાણે પપ્પાની પરિસ્થિતિ પામી ચુકી હોય તેમ પોતાની નાની હ્થેળીથી પપ્પાના માથે હાથ ફેરવવા લાગી.

‘કેમ બેટા, ઉંઘ નથી આવતી....??’ વશિષ્ઠે રિધ્ધિ બાજુ પડખુ ફેરવ્યું.

‘પપ્પા... તમને પણ ક્યાં ઉંઘ આવે છે..? પપ્પા પૈસાની તકલીફ હોય તો આપણે ફરવા નથી જવું.’ દિકરીની નાની હથેળીમાં વ્હાલ એટલું હતું કે વશિષ્ઠની આંખો ભરાઇ આવી..

‘ના... બેટા.. આ તો રજા પાસ નથી થઇ... એટલે શું કરું તે વિચારતો હતો... પણ એ તો હું ગમે તેમ કરીને તે કરી લઇશ.. તુ  સૂઇ જા અને વેકેશન ટુરની તૈયારી કર...’ વશિષ્ઠે રિધ્ધિના કપાળે દીર્ધ ચુંબન કર્યુ અને જાણે પોતાના બધો’ય ભાર હળવો થઇ ગયો હોય તેમ લાગ્યું.

બીજા દિવસે વશિષ્ઠે પોતાના ઓળખીતા ડોક્ટર પાસે રિધ્ધિની માંદગીનુ સર્ટી લઇ લીધું અને કંપનીમા ભારે પગલે શેઠની કેબિનમા પગ મુક્યો.
શેઠ તેમના હાથમા એક કાગળ વાંચી રહ્યા હતા.

‘સર... મારી રજાચીઠ્ઠી.... મારી દિકરીને ઝેરી મેલેરીયાની અસર છે... હું અઠવાડિયું કામ પર નહી આવી શકું...!!’ વશિષ્ઠે આખરે સાહ્સ કરીને ખોટુ બોલી દીધું.

‘રજા આપી નથી એટલે બહાનું તો નથીને વશિષ્ઠ...???’’ શેઠે ધારદાર નજરથી વશિષ્ઠ સામે જોયું.

અને તે ક્ષણે વશિષ્ઠની આંખોમા રહેલુ અસત્ય ક્યાંક પરખાઇ ન જાય એટલે તે આડીઅવળી થઇને સુરક્ષિત ખુણો શોધવા લાગી અને છેલ્લે તે જમીન તરફ સ્થિર થઇ ગઇ. અને જીભે તેનું પ્રેક્ટિક્લ કામ કર્યું, ‘ના... સર....!!’

‘સારુ મને તારામા વિશ્વાસ છે કે તું ખોટુ નહી બોલે...!!’ શેઠના આ શબ્દોથી વશિષ્ઠને થયું કે ખરેખર આજે પહેલીવાર હું મારી નજર ઉંચી નથી કરી શક્તો.
તે ચુપ રહ્યો.
શેઠે કહ્યું, ‘સારુ રિધ્ધીની સારવારનો ખર્ચ કંપનમાંથી લઇ લેજે....!’ આ શબ્દોથી વશિષ્ઠની આંખોમાંથી ઝળઝળીયા આવી ગયા... અને ફરી અંદરથી સત્ય બેઠું થઇ ગયું.
તે વિશ્વાસથી શેઠને સાચુ કહેવા નજીક આવ્યો.. ‘સર... સોરી... હું આજે તમારી સામે જુઠ્ઠુ બોલ્યો છું...રિધ્ધિ માંદી નથી..મારે રજા નથી જોઇતી...!’ વશિષ્ઠ ઝડપથી કેબિન બહાર નીકળવા લાગ્યો...!!’

‘ઉભો રહે વશિષ્ઠ.... તુ આ કંપનીનો સૌથી જુનો અને પ્રામાણિક કર્મચારી છે... તુ જુઠ્ઠુ બોલ્યો તેની સજા થશે...' શેઠની આંખોમાંથી જાણે આગના તણખા ઝરી રહ્યા હતા.

'લે આ કવર...!!’ શેઠના ભારેખમ અવાજમાં વશિષ્ઠના પગ થંભી ગયા.

વશિષ્ઠને લાગ્યું કે શેઠે મને પાણિચુ તો નથી પકડાવી દીધુ’ને...??

‘સારુ.. ખોલ... કવરને ..!!’ શેઠનો અવાજ વધુ ભારેખમ હતો.

વશિષ્ઠે ધ્રુજતા હાથે કવર ખોલ્યું, તેમા એક નાની ચીઠ્ઠી હતી.. અને સાથે બીજુ કવર હતુ...!

‘તે ચીઠ્ઠી વાંચ...!’ શેઠ હજુ ગુસ્સામા હતા.
નાની ચબરખીમાં મરોડદાર અક્ષરે લખેલું હતું....

‘રજા ચિઠઠી....

સર જણાવવાનું કે મારા પપ્પાની રજા તમે મંજુર કરી નથી.અમારે ખરેખર ફરવા જવું છે. મારા પપ્પા ક્યારેય ખોટુ બોલતા નથી. પણ કાલે રાત્રે જ મને લાગ્યું કે મારા પપ્પા અમારા માટે ખોટુ બોલીને તમારી પાસે રજા માંગશે. મારી સ્કુલની રજા માટે મારા પપ્પા જો રજાચીઠ્ઠી લખતા હોય તો તેમની રજાચીઠઠી હું કેમ ન લખી શકું ? વળી.. પપ્પાને પૈસાની પણ તક્લીફો છે.. જે મને ક્યારેય નહી જણાવે કેમ કે હું તેમની દિકરી છું... દિકરો નહી.....!! હું માંદી નથી. છતા પણ તમે મારા પપ્પાને રજા આપશો તેવી હું તેમની દિકરી ભલામણ કરુ છું.

મારા પપ્પાની વ્હાલી દિકરી
રિધ્ધિ.’

વાંચતાની સાથે જ વશિષ્ઠની આંખો ઉભરાઇ ગઇ... ગળામાં ડુમો બાઝી ગયો. તે નિ:શબ્દ બની ઉભો રહી ગયો.

શેઠ ઉભા થઇને તેની નજીક આવ્યા અને કહ્યું. ‘વશિષ્ઠ...આ ક્વરમા બીજુ કાગળ છે તે તમારી ફેમિલી ટુરનું યુરોપનું પેકેજ છે. તમારા પાસપોર્ટ, વીઝા થઇ જશે... ખરીદીના વાઉચરો છે...તમારા મનગમતા કપડા ખરીદી લેજો....અને ગોવા જવાની જરુર નથી....!!’શેઠ પણ દુનીયાદારી જોઈ ચુક્યા હતા.

વશિષ્ઠ શેઠના ચરણોમા ઝુકી ગયો..
શેઠે તેને ખભો પક્ડીને ઉભો કર્યો અને કહ્યુ,, ‘અને.... હા તારી ડાહી રિધ્ધિને કહી દે જે કે મેં તેને લખેલી રજાચીઠ્ઠી મંજુર કરી દીધી છે.’


સત્ય આંખોમા છુપાઇ ગયુ ને જીભ પ્રેક્ટિકલ બની ગઇ.
સંબંધો રોજ ભલે શૂળીએ ચઢે,
આજે તો મોબાઇલની લાગણીઓ જ ફેશન બની ગઇ..