28 December 2017

ઝંડુ ભટ્ટે રાજ્યમાં આવેલા બરડાના ડુંગરના ખૂબ વખાણ કરતાં કહ્યું

એકવાર દરબારમાં ઝંડુ ભટ્ટે રાજ્યમાં આવેલા બરડાના ડુંગરના ખૂબ વખાણ કરતાં કહ્યું, જો આ ડુંગર પર થતી વનસ્પતિઓનો યોગ્ય ઉપયોગ અને વ્યવસ્થા થાય તો રાજ્યને ઓછામાં ઓછી વાર્ષિક પચીસ હજાર રૂપિયાની આવક થાય. બીજા દરબારીઓ સંમત ન થયા.પણ જામસાહેબને ભટ્ટજીમાં ભારે વિશ્વાસ હતો. તેથી તેમણે બરડા ડુંગરનો વહીવટ તેમને સોંપી દીધો. ભટ્ટજીએ જંગલખાતું શરૂ કર્યું. પોતાની યોજના મુજબ ધમધોકાર કામ શરૂ કર્યું. પરિણામે જામનગર રાજ્યને વાર્ષિક પચાસ હજાર રૂપિયાથીય વધુ આવક થવા લાગી. જામસાહેબે ખુશ થઇનેતેમનો પગાર પાંચસો કોરીનો કરી આપ્યો. થોડોક વખત બાદ જામસાહેબને એક ગૂમડું થયું. પહેલાં તો તેમણે તાત્કાલિક રાહત માટે દાક્તરી સારવાર લીધી. પરંતુ ફેર ન પડ્તાં ઝંડુ ભટ્ટને બોલાવ્યા. તેમણે પોતે બનાવેલી ખાસ દવા લગાડી.બે ત્રણ દિવસમાં જ જામસાહેબને રાહત થઇ ગઇ. રાજ્યના ખાસ દાક્તર માધવરાવે પણ ઝંડુ ભટ્ટની પ્રશંસા કરી ને ભટ્ટજીનો પગાર સાતસો કોરીનો થઇ ગયો. આમ છતાં ભટ્ટજી દાક્તરી-એલોપથી વિદ્યાનો હંમેશ આદર કરતા હતા. તેમણે કદી એ વિદ્યાને ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો નથી. એ જમાનામાં પ્રજામાં રાજાની ભારે ધાક હતી. રાજાનો ખોફ લેવાની હિંમત કોઇ કરતું નહિ. પરંતુ ઝંડુ ભટ્ટજી જામસાહેબની નોકરી સ્વમાનપૂર્વક કરતા. પોતાના વૈદકના કામમાં જામસાહેબની કૃપા-અવકૃપાની તેઓ પરવા ન કરતા. સાચી વાત તે નીડરતાપૂર્વક કહી દેતા. ભટ્ટજીનું વર્ચસ્વ જેમ જેમ વધતું ગયું, તેમ દર્દી પ્રત્યેની તેમની કરૂણા પણ વધતી ગઇ.કાળજી પણ વધતી ગઇ. ગંભીર દર્દીને તેઓ આપમેળે જોઇ આવતા. દર્દીને દૂધ પર રાખતા અને દૂધનો ખર્ચ પોતે આપતા. ક્યારેક જરૂર પડે તો દર્દીને પોતાને ત્યાં તેડી લાવીને રાખતા. મફત સારવાર ઉપરાંત તેને જમાડતા પણ ખરા ! ઇ.સ. 1898માં પ્રભાશંકર પટ્ટણી બિમાર હતા,તેથી ભાવનગરના મહારાજાસાહેબે તેમને તેડાવેલા. તે વખતે ભટ્ટજી બંગલાની બહાર તંબૂ નખાવીને તેમાં રહેતા. કારણ કે અન્ય દર્દીઓ વિના સંકોચે તેમની પાસે આવી શકે. પ્રભાશંકર પટ્ટણીની સારવાર કરતાં બાકીના સમયમાં બેસી ન રહેતાં બની શકે તેટલા વધુ ને વધુ લોકોને પોતાનો લાભ આપતા. ઝંડુ ભટ્ટજીએ તેમના આયુષ્યકાળ દરમ્યાન સેંકડો-હજારો લોકોને સાજા કર્યા. પ્રજાની ખૂબ સેવા કરી. રાજ્યની અને રાજકુટુંબની પણ ખૂબ સેવા કરી. તેમણે જે ચિરસ્મરણીય કામ કર્યું તે રસશાળાની સ્થાપનાનું છે. જે જમાનામાં ઔષધ બનાવવા માટેની ફાર્મસીઓ હતી જ નહિ તે સમયે તેમણે આવી પહેલ કરી. વ્યાપારી ધોરણે દવાઓને બજારમાં મૂકીને તેનો પ્રજાને વ્યાપક લાભ આપ્યો. તેમની એ રસશાળા વિકસીને આગળ જતાં ઝંડુ ફાર્માસ્યુટિકલ વર્કસ બન્યું, જે માત્ર દેશમાં જ નહિ પણ પરદેશમાં પણ આયુરવિજ્ઞાનના પ્રતિનિધિ તરીકે પહોંચ્યું,તેમની પાસે તૈયાર થયેલા અનેક વિદ્યાર્થીઓ અને તેમના પણ વિદ્યાર્થીઓ તૈયાર થતાં સમગ્ર ગુજરાતમાં ફેલાયા અને આયુર્વેદ વિજ્ઞાનનો પ્રચાર થતો રહ્યો. ઝંડુ ભટ્ટજી જામનગર સુધરાઇ ના પ્રમુખપદે રહ્યા હતા. શહેરની સ્વચ્છતા, લોકોના આરોગ્યનાં અનેક કાર્યો કરતાં. જન્મમરણની નોંધનો રિવાજ દાખલ કર્યો. પોતે શુધ્ધ ભાર્તીય પ્રણાલિકાના આગ્રહી હોવા છતાં પશ્ચિમની સંસ્કૃતિનાં શુભતત્વોને વૈજ્ઞાનિક દૃષ્ટિએ સ્વીકારવાની એમની તૈયારી હતી. આયુરવેદની પરંપરા જાળવવામાં તેમનું પ્રદાન ચિરસ્મરણીય રહેશે.

27 December 2017

*મર્યા પછી મા-બાપની ઠાઠડી ઉપર બધાજ જોર-શોર થી ઢોંગ કરીને રડતા હોય છે*

*યોગાનુયોગ*

*ભારત માંથી વિદેશમાં ભણવા ગયેલો છોકરો ભણી લીધું*
મોટો ઓફિસર બન્યો
અને માતૃભૂમિ ભારત પાછો આવ્યો.
ઘરે જવાની ઉતાવળ હતી.

*પણ કંપનીના લોકોએ એર-પોર્ટ ઉપર તેને ઘેરી લીધો*
*અને ભવ્ય સત્કાર કર્યો*

ફૂલોથી શણગારેલી ગાડીમાં બેસાડ્યો.
અને ભવ્ય શોભા યાત્રા કાઢી.
અને એક ફાઈવ સ્ટાર હોટેલ સામે શોભા યાત્રા પુરી થઈ..!!

*સાહેબ આજનો દીવસ તમે અહીજ રોકાઈ જાવ*

*સર્વો ના આગ્રહ લીધે સાહેબ શણગારેલી ગાડી માંથી ઉતર્યા....*

*બંને બાજુથી લોકો ફૂલો ઉછાળતા હતા.....*
*શુ કહેવું ને શુ નહી.....*
       
*સાહેબ દરવાજા સુધી આવ્યા*
દરવાજા પાસે એક વૃદ્ધ
(ઉમર લાયક)ડોર-કીપર હંમેશ મુજબ મહેમાનોને આવકારવા શિસ (માથું) ઝુકાવીને એક હાથે થી મુજરા કરતો......,

બસ તેવીજ રીતે આજે પણ
નીચે શિસ ઝુકાવીને મુજરો કર્યો

દરવાજો ખોલ્યો,સાહેબ અંદર આવ્યા......

*અને અચાનક વીજળી ચમકે અને સાહેબ ચમક્યા* .

*અને*
*તેજ ક્ષણે તે પરત ફર્યા*
*દરવાજા પાસે આવ્યા*...
*ડોર-કીપરે પણ ડોકું ઉંચુ કર્યુ...........*,

સાહેબ અને તેની નજરો નજર થઈ..........

*અને........અને.........,*

*બંનેના આંખો માંથી અશ્રુધારા વહેવા લાગ્યા.......જાણે ગંગા અને જમના એક સાથે વહી રહયા હોય તેમ.....,*

સાહેબ રડતા-રડતા
ડોર-કીપરના પગમાં પડી

*અને મુખ-માથી શબ્દ બહાર પડયા.......*

*પપ્પા (બાપુજી).......પપ્પા....,*

*તમે અહી.......????*

*અને ઘણીવાર ગળામાં ગળુ નાખી, ભેટીને રડ્યા..!!*

આજુ બાજુ ઉભેલા સર્વોની પણ  આંખો ભીની થઇ ગઇ..!!

         
*આપણો પુત્ર પરદેશ જઈને સારૂ ભણી-ગણી ને મોટો ઓફિસર થાય કે બિઝનેસમેન બને એના માટે આ બાપ નોકરી કરતો હતો..*

*ઓવર ટાઈમ કરતો હતો*
*પોતાનું અડધું પેટ રાખીને રૂપિયા જમા કરીને છોકરા માટે રૂપિયા મોકલતો હતો.*
          
તે રિટાયર્ડ થયો..
રૂપિયા ઓછા પડવા લાગ્યા...
માટે આ હોટેલમાં ડોર-કીપરની
નોકરી કરવા લાગ્યો...!!

દરવાજા ઉપર ભલે કોઈ પણ આવે ... શિસ ઝુકાવી મુજરો કરવાનો

અને દરવાજો ખોલવાનો આ એનો રોજનો નિયમ અને એની નોકરી...!!

       
*અને આજ એજ મુજરો એના પુત્ર માટે હતો*

જીંદગીભર બીજાને મુજરા કરનારા હાથો એ તેણે પુત્રને ઘડાવ્યો...

*મને કહો આ બંને મા શ્રેષ્ઠ કોણ..???*

*એ સાહેબ કે પેલો ડોર-કીપર*

*પેલો ઓફિસર કે નોકર..?*

*ઇ છોકરો-(પુત્ર)...કે...બાપ*

     
*યશની શિખરો ચઢનારા દરેકોએ ધ્યાન રાખવું જોઈયે કે આપણી માટે યશ ના દરેક પગથીયાનો પથ્થર આ બાપ હોય છે...!!!*

તમારી જીંદગીના અને કેરિયરની ઉભી થયેલી જે ઇમારત ના પાયા એજ બાપ હોય છે...

*આ પાયા ક્યારેય દેખાતા નથી, પણ તેના શિવાય આ ઇમારત પણ ઉભી નહી રહી શકતી નથી*

આ બાપ ઘરમાં હંમેશા
વેઠ-બેગારી,ઓલા કુલીની જેમ જીવતો હોય છે.
રાત-દીવસ કષ્ટ કરે
કોઈ ખેતરમાં.
કોઈ  ઓફિસમાં
કોઈ રોજિંદા ઉપર
બસ ધસરડા જ કરતો

*આ બધુ બાપ કરે ત્યારે...એમના જ ઉપર છોકરાઓ ભણે છે.*
*મોટા થાય છે....અને આગળ વધેછે.....,*

*અને તમે એમનેજ કહો છો કે તમારી કરતા અમે કર્તવ્યનિષ્ઠ છો...શુ કર્યું તમે અમારી માટે....??*

*તમારા બનીયાનમાં કાણા ન પડે માટે પોતાના બનીયાન ના કાણા ભૂલનારો એ બાપ*

*તમારા શરીરના પરસેવાની બદબુદાર વાસ ન આવે માટે પોતે પરસેવાથી ભીંજનારો ઇ બાપ*

*તમને સારા બ્રાન્ડેડ બુટ મળી રહે માટે ફાટેલા ચંપલ    વાપરનારો એ બાપ..*

*પોતાના સ્વપ્નો ...તમારી આંખોમાં જોનારો એ બાપ....!!*
          
*નાનપણ માં બીમાર પડતા ત્યારે પીઠ ઉપર લઈને રાત-અડધી રાત્રે*
*દવાખાનામાં લઈ જનાર ઇ પણ બાપ જ છે*

તમારૂ શિક્ષણ પૂર્ણ કરનાર ઇ પણ બાપ.....

*જોઈએ ત્યારે રૂપિયા દેનાર ATM મશીન એટલે બાપ*
*જેને-જેને હયાત પિતા છે તેને સર્વ મળી રહે છે.*

બાપ અને બાપાનુ કલેજુ સમજી લેવું જોઇયે..

બાપ બોલશે...પણ....કોઈને તમારા વિષે ખોટુ બોલવા નહી દે.,
મારશે...શિક્ષા કરશે...પણ તમને બીજા કોઈ થકી મારવા નહી દે..,

*બોલશે,મારશે,ઠપકો આપશે આ બધુ તમારી ભુલ સુધારવા માટેજ....!!!*

*મા એક વાર મમતા ની મારી તમારી ભૂલ માફ કરશે....*
*પણ બાપ તમારી ભૂલ સુધારવા લગાડશે*

*જે ઘરમા બાપ રહે છે ..તે ઘરની સામે કોઈ બુરી નજર થી જોતું પણ નથી*

*પણ જ્યા બાપની છાયા નહી હોય એ ઘર ઉપર કોઈ-પણ પત્થર મારતાં હોય છે..*

મારા એક મિત્રના પીતા ગુજરી ગયા...

જ્યા સુધી જીવતા હતા ત્યારે બાપ-દીકરા નું જરાય પટતું ન હતુ

*પણ જ્યારે થોડા દિવસો પછી હું તેને મળ્યો ત્યારે પિતાને યાદ કરીને ખુબજ રડ્યો....*

રાઠોડભાઈ, જ્યારે પિતાજી હતા ત્યારે તેમની ખરી કિંમત સમજાઈ ન હતી...

હુ કાયમ તેમને નામ રાખતો હતો.... ક્યારેય તેમનુ સાંભળ્યુ ન હતુ....
પણ હવેજ્યારે દુનિયાની બજારમાં જાવ છુ..ત્યારે.
*લોકોના ટોન્ટો સાંભળવા મળે છે...અને ખાવ પણ છુ...*

આજે મને એમની કમી મહેસુસ લાગે છે...

આજે મારા પિતા હોત તો મને સારો માર્ગ બતાવત ...!!!

પિતાજી એ કાઈ પણ ન કરે
તો પણ ચાલે ...પણ ઘરનો એક આધાર સ્થંભ હતા...!!!

*મને જ્યારે પણ કોઈ પૂછે*

દુનિયામાં શ્રીમંત (પૈસાદાર)કોણ....???

*જેને માં અને બાપ હોય.(જીવતા)*

*દુનિયામા યશસ્વી કોણ..??
*જેમને મા-બાપની કીંમત સમજાય.....*

દુનિયામા મહાન કોણ...???
*જેમણે મા-બાપના સ્વપ્નો પૂર્ણ કર્યા તે....!!!*

અને

દુનિયામા નાલાયક કોણ.
*જેમણે મા-બાપને વૃદ્ધાશ્રમ માં રાખ્યા...ત્રાસ આપ્યો...,*

*મર્યા પછી મા-બાપની ઠાઠડી ઉપર બધાજ જોર-શોર થી ઢોંગ કરીને રડતા હોય છે*

*સાચા પુત્ર મા-બાપની સેવા કરતા હોય છે...તે કદી ઢોંગ થી રડતા નથી..*

*સર્વો વડીલોને સમર્પિત*💐
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

26 December 2017

બાળક ભલે નાનું છે પણ તેનું સન્માન પુખ્ત છે આ બાબતનું ધ્યાન રાખવાથી બાળકના ઘડતરમાં ધાર્યો ઘાટ આપી શકાય છે,

ઘરમાં થતાં ઝઘડા-કંકાસની અસર બાળકો પર થાય?

મધુવનની મહેકઃ

ડો. સંતોષ દેવકર

‘આ શું બનાવ્યું છે ?’

‘ઓહ….મમ્મી….. આ કઢી તો બહુ ખરાબ છે.’
દીકરો મોટેથી બરાડી ઊઠયો,

‘સોરી… આઈ એમ. સોરી… બેટા….’
મમ્મીએ દિલગીરીપૂર્વક કહ્યું
‘ના….. મારે નથી ખાવું.’

બાળકે તોફન શરૂ કર્યું,

‘બેટા… પ્લીઝ… આજે હું…. !’ આટલું બોલતાં તો મમ્મીની આંખો ભીની થઈ ગઈ,

મમ્મી આજે ખૂબ થાકી ગઈ હતી,આજે સવારથી જ તબિયત પણ સારી નહોતી, નોકરી પરથી ઘરે આવતાં ખૂબ મોડું થઈ ગયું હતું,તેમ છતાં ઝડપથી હાથ-પગ ધોઈ રસોઈ બનાવવા મંડી પડી હતી,
પપ્પા પણ આજે ઘરે મોડા આવ્યા હતા,

દીકરાને ખૂબ ભૂખ લાગી હતી,
પપ્પા સાથે જમવા બેઠો હતો,
મમ્મીએ બંનેને થાળી પીરસી હતી અને ગરમ -ગરમ રોટલી બનાવીને બંનેને જમાડતી હતી અને દીકરો મોટેથી બરાડી ઊઠયો,
‘કઢી બહુ ખરાબ છે મારાથી ખવાશે નહિ.’

પપ્પાએ બાળક તરફ્ જોયું ને શાંતિથી કહ્યું,
‘જો, બેટા બૂમો પાડવાની જરૂર નથી,હું પણ કઢી ખાઈ રહ્યો છું,

જો તને કંઈક ઓછું વત્તું જણાય તો તેમાં મીઠું-મરચું-લીંબુ નાખીને તને ભાવે તેવી બનાવી લે.’

પપ્પાના કહેવાની બાળક પર અસર થઈ,
તેણે શાંતિપૂર્વક કઢી ખાઈ લીધી,
હવે પત્ની જમવા બેઠી તેને ખબર પડી કે કઢીમાં મીઠું કે મરચું નાંખવાનું પોતે ખરેખર ભૂલી જ ગયેલી,

તેણીએ પતિને પૂછયું કે, ‘ખરેખર કઢી સ્વાદહીન છે,
તો તમે કેમ કંઈ ન બોલ્યાં ?’
ત્યારે પતિએ કહ્યું કે,

‘દીકરો મોટો થશે ત્યારે તેને કઢીના સ્વાદ વિશે કંઈ યાદ નહીં હોય,

પરંતુ તેને મારા શબ્દો અને વર્તન હંમેશાં યાદ રહેશે.’

બાળકની સૌથી મોટી ટેકસબુક મા-બાપનું તેની સામેનું વર્તન છે,
પોતાના કુટુંબ પાસેથી બાળક જેટલું અને જેવું શીખે છે તેવું બીજે કયાંયથી શીખતું નથી!

આ ઘટના માત્ર કઢી પૂરતી મર્યાદિત ન રહેતા બાળકના ઘડતરમાં ટર્નિંગ પોઈન્ટ બની શકે છે,
દરેક વખતે રસોઈ સારી જ બને એવું નથી,

રસોઈ છે કયારેક બગડે પણ ખરી, તેમાં મોં બગાડવાને બદલે મીઠું-મરચંુ-લીંબુ ઉમેરીને પોતાને ગમતો ટેસ્ટ મેળવી શકાય છે,
જો પપ્પાએ તેના દીકરા જેવું વર્તન કર્યું હોત તો તેની પત્ની તો દુઃખી થાત જ,
પરંતુ તેનો દીકરો આવું વર્તન કાયમ માટે શીખી જાત

ઘર બને છે ગૃહિણી થકી,

તેના ગમા-અણગમા અને ટેન્શનનો વિચાર કરી તેની કાળજી લેવાની દરેક સંસ્કારી કુટુંબના સભ્યોની ફરજ બને છે,

ઘરમાં બનતી દરેક ઘટના અને પ્રસંગની બાળકનાં મન ઉપર શી અસર પડશે?

તેની મા-બાપે આગોત્તરી કાળજી રાખવી પડે, બાળકને એક વ્યકિત તરીકે સ્વીકારવાથી અને તેના ગમા-અણગમાને ધ્યાને લેવાથી કેટલીક રુચિકર બાબતોને નીવારી શકાય છે,

બાળક ભલે નાનું છે પણ તેનું સન્માન પુખ્ત છે આ બાબતનું ધ્યાન રાખવાથી બાળકના ઘડતરમાં ધાર્યો ઘાટ આપી શકાય છે,

25 December 2017

એક દિવસ એક વેપારી આ વાંદરાઓ ખરીદવા માટે ગામમાં આવ્યો!

એક ગામ નજીક ઘણાં વાંદરા  રહેતા હતા 🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒

એક દિવસ એક વેપારી આ વાંદરાઓ ખરીદવા માટે ગામમાં આવ્યો! 🐵🐵🐵🐵🐵🐵🐵🐵

તેણે જાહેરાત કરી હતી કે તે દરેક વાંદરાને ₹1000 માં ખરીદશે. 🐵💵

ગ્રામવાસીઓને લાગ્યું કે આ માણસ પાગલ છે.😇

તેઓએ વિચાર્યું કે કોઈ કેવી રીતે ₹1000 માં રખડતા વાંદરાઓ ખરીદી શકે છે? 🤔

તેમ છતાં, કેટલાક લોકોએ વાંદરાઓને પકડ્યા અને તેને આ વેપારીને આપ્યા અને તેણે દરેક વાનર માટે ₹1000 ચુકવ્યા. 😬

આ સમાચાર દાવાનળની  જેમ ફેલાય ગયા અને લોકો વાંદરાઓને પકડયા અને વેપારીને વેચી દીધા😬

થોડા દિવસો બાદ, વેપારીએ જાહેરાત કરી કે તે વાંદરાઓ ₹ 2000 માં ખરીદશે. 🐵💵💵

હવે બાકીના વાંદરાઓને પકડવા માટે આળસુ ગ્રામવાસીઓ પણ ફરતા થઇ ગયા! 🐒🐒🐒🐒🐒🐒🐒

તેઓએ બાકીના વાંદરાઓને ₹2000 માં વેચ્યા😋

પછી વેપારીએ જાહેરાત કરી કે તે વાંદરાઓ ₹5000 માં ખરીદશે! 🐵💵💵💵💵💵

ગ્રામવાસીઓ ઊંઘવાનુ છોડી રહી ગયેલ છ - સાત વાંદરાઓને પકડવાના શરૂ કર્યા ! ... અને પકડીને દરેકના ₹ 5000 મળવે છે. 🐵🐵🐵🐵🐵🐵🐒

ગ્રામવાસીઓ આગામી જાહેરાત માટે આતુરતાથી રાહ જોતા હતા 🙄

પછી વેપારીએ જાહેરાત કરી કે તે એક અઠવાડિયા માટે ઘરે જઈ રહ્યો છે. અને જ્યારે તે પાછો આવશે, ત્યારે તે ₹ 10000 માં ખરીદશે! 🐵💵💵💵💵💵💵💵💵💵💵

વેપારી પોતાના કર્મચારીને ખરીદેલ વાંદરાઓની સંભાળ રાખવા નુ કહ્યું. તે એક જ પાંજરામાં તમામ વાંદરાઓની સંભાળ રાખતો હતો 🤠🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒

વેપારી ઘરે ગયો😎

ગ્રામવાસીઓ ખૂબ દુ: ખી હતા કારણ કે તેમની પાસે ₹ 10000 માં વેચવા માટે કોઈ વાંદરો બાકી ન હતો🙁😞😓

ત્યારે વેપારીના કર્મચારીએ કહ્યું કે તે દરેક વાનરને ₹7000 માં ગુપ્ત રીતે આપશે. 😶

આ સમાચાર આગની જેમ ફેલાય છે કારણ કે વેપારી વાનરને ₹10000 માં ખરીદવા નો છે, અને દરેક વાનર માટે ₹3000 નો નફો મેળવી શકાય છે. 😬

બીજા દિવસે, ગ્રામવાસીઓએ વાંદરાના પાંજરા પાસે લાઇન લગાવી દીધી🐒🐒🐒🐒🐒🤑🤑🤑🤑🤑🤑

કર્મચારીએ ₹7000 માં એક લેખે તમામ વાંદરાઓ ને વેચી દીધા. પૈસાદાર લોકો એ પોતાની મુડી વડે ઘણાં વાંદરાઓ ખરીદી લીધા, જયારે ગરીબોએ પૈસા ધીરનાર પાસેથી નાણાં ઉછીના લઇને પણ વાંદરાઓ ખરીદ્યા! 🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒🐒💵💵💵💵💵💵💵💵💵💵

ગ્રામવાસીઓ તેમના વાંદરાઓની સંભાળ રાખવા લાગ્યા અને વેપારી પાછા ફરવાની રાહ જોવા લાગ્યા. 😕

પરંતુ કોઇ આવ્યુ નહી! ... 😤 પછી તેઓ કર્મચારી પાસે દોડી ગયા ... 🤠

પરંતુ કર્મચારીએ પહેલેથી જ ગામ છોડી દીધું હતુ!😉

હવે ગ્રામવાસીઓને ખબર પડી કે તેઓએ ₹7000 માં નકામા રખડતા વાંદરાઓ ખરીદ્યા છે અને તેમને વેચવા માટે અસમર્થ છે! 😩😫😨😰😭😭😭😭😭😭

       _*ચેતજો અને ચેતવજો*_

22 December 2017

*કરે જગત યાદ એવું જીવન મને દેજે.*

.              *🔔પ્રાર્થના🔔*
                   """"""""""""
*હે પરમકૃપાળુ પરમેશ્વર...🙏*

             સ્મરણ તારૂં કરતાં કરતાં
         સવારની શરૂઆત કરાવી દેજે,
                 🔅🔆🔅
         તારૂં જ પ્રિતિબંબ પડે હ્યદયમાં
         પ્રભાતનું સોનેરી કિરણ દેજે.
                 🔅🔆🔅
           ડગ મારા મંદિર તરફ વળે
        એવો ઇશારો મને તું કરી દેજે.
                 🔅🔆🔅
         મુજ નયનમાં સુખ શાંતિ નું
      એક જ મંદિર તું ખડુ કરી દેજે.
                 🔅🔆🔅
         રીઝવી ના શકું ભલે જગને
     મીઠી વાણીની મીલકત મને દેજે
                 🔅🔆🔅
      નથી જોઇતું મારે અણ હક્કનું
    વિધિએ લખ્યું એટલું જ મને દેજે.
                 🔅🔆🔅
       ભટકતું મન સ્થિર થાય તારામાં
     તારા દરવાજે લાવી ખડું કરી દેજે.
                 🔅🔆🔅
        અંત સમયે તારામાં જ રહું
            સગપણ તું મને દેજે.
      🌷🙏🌷🙏🌷🙏🌷
   *કરે જગત યાદ એવું જીવન મને દેજે.*
🌼🌸🌼🍃🌺🍃🌼🌸🌼

16 December 2017

પ્રવાસ માં જતા બાળકો માટે ઉપયોગી.

🚎પ્રવાસ માં જતા બાળકો માટે ઉપયોગી...🚎🚎🚎

પ્રવાસ માં માથા નો દુખાવો,ઉલટી,ગભરામણ જેવી તકલીફો થાય તો આ ટિપ્સ તમને રાહત આપશે.....
   

કેટલાક લોકો નેં બસ માં મુસાફરી દરમિયાન માથા નો દુખાવો,ઉલ્ટી,ગભરામણ જેવી તકલીફો થતી હોય છે.આવામાં તેઓ મુસાફરી નો આનંદ લઇ શકતા નથી અને આખો સમય પોતાની તબિયત ના લીધે ચિંતિત રહે છે. જો તમને પણ આ તકલીફ રહેતી હોય તો આ ટિપ્સ તમારા માટે મદદરૂપ બનશે.

– પોતાના રૂમાલ માં કેટલાક ટીપા મિન્ટ(ફુદીના) તેલ ના છાંટી ને સૂંઘતુ રહેવું. તેનાથી તમને આરામ મળશે. ફુદીના ની ચા પણ આમાં ફાયદાકારક છે.

– જયારે પણ બસ માં મુસાફરી કરવાની હોય ત્યારે તેના પેહલા ઘરે થી વધારે ખાઈને ન નીકળવું. સ્પાઈસી, જંક ફૂડ ખાવાથી બચો કારણ કે તેનાથી તમને મુસાફરી માં ખુબ જ ઉલ્ટી થશે.

– બસ માં મુસાફરી દરમિયાન મુંઝવણ થવા માંડે ત્યારે પોતાની સાથે કે બીજા સાથે વાતો કરવા મંડો. એનાથી તમારા મગજ નું ધ્યાન તબિયત પરથી બીજે દોરવાઈ જશે એનાથી તમને સારું લાગશે.

– બસ માં મુસાફરી કરતા પહેલા તમે આદુ ચાવી શકો છો.તેના સિવાય તમે ઘરે થી નીકળતા પહેલા આદુ વાળી ચા પી શકો છો તેનાથી પણ તમને ઘણો ફાયદો થશે.

તમારો પણ કોઈ મિત્ર ગાડી કે બસ માં બેસતા જ ઉલ્ટી કરે છે? તો તેને પણ કહો આ ઘરેલુ નુસખા………

આદુ – આદુ માં એંટીમેયનીક ગુણ હોય છે.એંટીમેયનીક એક એવો પદાર્થ છે જે ઉલ્ટી અને ચક્કર આવવા થી બચાવે છે.મુસાફરી માં ગભરામણ થાય ત્યારે આદુ ની ગોંળી અથવા આદુ ની ચા પીવી. તેનાથી તમને ઉલ્ટી નહિ આવે. જો થઇ શકે તો આદુ પોતાની સાથે જ રાખવું. જયારે ગભરામણ થાય તયારે તેને થોડું થોડું ખાવું.

ડુંગળી નો રસ

મુસાફરી માં થવાની ઉલટીયો થી બચવા માટે મુસાફરી માં જતા અડધા કલાક પહેલા 1 ચમચી ડુંગળી નો રસ અને 1 ચમચી આદુ નો રસ મેળવીને પીવો જોઈએ.તેનાથી તમને મુસાફરી દરમિયાન ઉલટીયો નહિ આવે.પણ જો મુસાફરી લાંબી હોય તો રસ સાથે પણ લઇ શકાય છે.

લવિંગ નો જાદુ

મુસાફરી માં તમને ગભરામણ જેવું લાગે તો તરત જ લવિંગ ને મોઢામાં મૂકીને ચૂસવું. આવું કરવાથી તમને ગભરામણ નહિ થાય.

મદદરૂપ છે ફુદીનો

ફુદીના પેટ માં માંસપેશીયો ને આરામ આપે છે અને આવી રીતે ચક્કર આવવા અને યાત્રા દરમિયાન તબિયત ખરાબ લાગવાની સ્થિતિ ને સમાપ્ત કરે છે.ફુદીના નું તેલ પણ ઉલ્ટી ને રોકવા માં ખુબ જ મદદરૂપ છે.તેના માટે ફુદીના થોડા ટીપા રૂમાલ પર છાટવા અને મુસાફરી દરમિયાન તેને સૂંઘતુ રેહવું.

સૂકા ફુદીના ને ગરમ પાણી માં ગરમ કરી ચા બનાવી. તે મિશ્રણ ને સરખી રીતે હલાવી તેમાં 1 ચમચી મધ નાખો. જતા પેહલા આ મિશ્રણ ને પીવું.તે ઉલ્ટી અને ગભરામણ ને રોકે છે.

લીંબુ નો કમાલ

લીંબુ માં આવેલ સાઇટ્રિક એસિડ ઉલ્ટી અને ગભરામણ ને રોકે છે. એક નાના વાટકા માં ગરમ પાણી લઇ તેમાં 1 ચમચી લીંબૂ નો રસ અને થોડુ મીઠું નાખો. તેને ભેળવીને પીવું. તમે ગરમ પાણી માં લિમ્બુ ના રસ સાથે મધ નાખીને પણ પી શકો છો .તે મુસાફરી માં આવતી મુસ્કેલીઓને દૂર કરવા નો અસરકારક ઉપાય છે.

#હિરેન પટેલ......

15 December 2017

હું પણ સાન્તા ક્લોસ થઇ જાઉં .

લાવ યાદો નો થેલો
હું પણ સાન્તા ક્લોસ થઇ જાઉં
ગળે લગાડું તમામ મિત્રો ને
ફરી એક્દમ ક્લોઝ થઇ જાઉં

ઉજવું નાતાલ નવરાશ થી
ફરી નવરો થઇ જાઉં
ફરું બાગ બગીચે
ફરી ભમરો થઇ જાઉં

પ્રેમ હેત ની ગિફ્ટ બનવું
લાલો લાડકવાયો થઇ જાઉં
બોલાવું તેડી તેડી ને યારોને
મિત્રતા નો પડછાયો થઇ જાઉં

દઉં દિલી દુઆ નવા વર્ષ ની
આખું વર્ષ નિરાંતે થઇ જાઉં
લાવ યાદો નો થેલો
હું પણ સાન્તા ક્લોસ થઇ જાઉં .

2 December 2017

આપણાં જીવનમાં અશાંતિનું કારણ - સમસ્યાઓ નહીં... પણ, એ સમસ્યાઓ પ્રત્યે આપણો અભિગમ હોય છે.

ગુગલના CEO - એ પોતાની એક મોટિવેશનલ સ્પીચમાં કહેલ કોકરોચ (વંદા)ની વાર્તા.

એક વખત એક રેસ્ટોરન્ટમાં -
એક વંદો ક્યાંકથી ઉડીને એક મહિલા ઉપર પડ્યો...
એ મહિલા 'ડરી' ગઈ અને 'ચીસો' પાડવા લાગી !

તે એકદમ 'ગભરાઈ' ગઈ અને વંદાને દુર કરવા પ્રયાસ કરવા લાગી...

ઘણી કૂદા-કૂદ કર્યા પછી -
એ વંદો દૂર થયો...
પણ,
એ વંદો ત્યાંથી ઊડીને બીજી મહિલા ઉપર ગયો !

હવે તે મહિલા પણ બચાવ માટે 'બૂમો' પાડવા લાગી...

એક વેઈટર એ વંદાને દુર કરવા માટે -
આગળ વધ્યો...

એટલામાં એ વંદો વેઈટર ઉપર પડયું !

વેઈટરે ખૂબ જ 'શાંતી'થી પોતાના શર્ટ ઉપર રહેલ વંદાનું અવલોકન કર્યું...

અને,
ખૂબ જ ધીરજથી હાથમાં પકડી રેસ્ટોરન્ટમાંથી બહાર ફેંકી દીધું !

હું કોફી પીતા-પીતા આ દ્રશ્ય - મનોરંજન જોઈ રહ્યો હતો...

ત્યારે -
મારા મનમાં વિચારો આવવા લાગ્યા કે...

શું ખરેખર -
આ બન્ને મહિલાઓનો ભયાનક વ્યવહાર અને 'અશાંતિ' માટે તે વંદો જવાબદાર હતુ ?

અને,
જો એમ જ હોય તો -
તે વેઈટર અશાંત કેમ ન થયો ??

વેઈટરે ખૂબ જ શાંતિથી વંદાને દુર કેવી રીતે કર્યું ???

આ બધા પ્રશ્નો ના ઉત્તર મારી ભીતરથી મળ્યા...

મહિલાઓની અશાંતિનું કારણ -
વંદો નહીં...
પણ,
વંદાથી બચવાની 'અક્ષમતા' જ...
એમની અશાંતિનું સાચું 'કારણ' હતુ !!

મેં અનુભવ્યું કે -
મારા પિતાજી કે મારા બોસે આપેલ 'ઠપકો'
મારી અશાંતિનું કારણ ન હતું...

પણ,
એ ઠપકાને 'સમજવાની' અને,
એ સમસ્યાનો 'રસ્તો' કાઢવાનું -
'સામર્થ્ય મારામાં નહીં હોવું'  -
એ જ મારી અશાંતિનું મૂળ કારણ હતું !!

તેવી જ રીતે -
મારી અશાંતિનું કારણ ટ્રાફિક જામ નહીં...

પરંતુ,
તે ટ્રાફિક જામની સ્થિતીને 'હેન્ડલ' કરવાની મારી અસમર્થતા જ...
મારી અશાંતિનું ખરુ કારણ છે !!

મિત્રો,

આપણાં જીવનમાં અશાંતિનું કારણ -
સમસ્યાઓ નહીં...
પણ,
એ સમસ્યાઓ પ્રત્યે આપણો 'અભિગમ' (વ્યવહાર)  હોય છે.

*સર્વે સન્તુ નિરામયા*

*કાકડી, તબિયત કરે ફાંકડી*

*બીટ, શરીરને રાખે ફિટ*

*ગાજર, તંદુરસ્તી હાજર*

*મગ, સારા ચાલે પગ*

*મેગી, ખરાબ કરે લેંગી*

*ઘઉં, વજન વધારે બહુ*

*ભાત, બુદ્ધિને આપે સાથ*

*સૂકા મરચા, કરાવે વધારે ખર્ચા*

*દહીં, જ્યાદા ઘુમાકે ખાઓ તો સહી*

*ખજૂર, શક્તિ હાજરાહજૂર*

*દાડમ, કરે મડદાંને બેઠું તેવી શક્તિ*

*દાડમ, વિયાગ્રાનો બાપ*

*જાંબુ, જીવન કરે નિરોગીને લાબું*

*જામફળ, એટલે મજાનું ફળ*

*ધરતીમાતાનું ધાવણ એટલે નારિયેળ*

*દૂધી, કરે લોહીની શુદ્ધિ*

*કારેલા, ના ઉતરવાદે ડાયાબિટીસના રેલા*

*તલ ને દેશી ગોળ, આરોગ્યને મળે બળ*

*કાચું એટલું સાચુને રંધાયેલું એટલું ગંધાયેલું*

*લાલ ટમેટા જેવા થવું હોય તો લાલ ટમેટા ખાજો*

*આદુનો જાદુ*

*ડબલફિલ્ટર તેલ, કરાવે બીમારીના ખેલ*

*મધ, દુઃખોનો કરે   વધ*

*ગુટખા, બીમારીના ઝટકા*

*શરાબ, જીવન કરે ખરાબ*

*દારૂ, રૂપિયા બગાડવાનું બારું*

*શિયાળામાં ખાય બાજરી, ત્યાં આરોગ્યની હાજરી*

*ઈંડુ, તબિયતનું મીંડું*

*દેશી ગોળ ને ચણા, શક્તિ વધારે ઘણા*

*બપોરે ખાધા પછી છાસ, પછી થાય હાશ*

*હરડે, બધા રોગને મરડે*

*ત્રિફળાની ફાકી, રોગ જાય થાકી*

*સંચળ, શરીર રાખે ચંચળ*

*મકાઈના રોટલા, શક્તિના પોટલા*

*ભજીયા, કરે પેટના કજિયા*

*રોજ ખાય પકોડી હાલત થાય કફોડી*

*પાઉને પીઝા, બીમારીના વિઝા*

*દેશી ગોળનો શીરો, આરોગ્યનો હીરો*

*સર્વે સન્તુ નિરામયા*