31 January 2017

માઁ –બાપ સંતાનો માટે એ.ટી.એમ. કાર્ડ બની શકે છે તો સંતાનોએ પણ માઁ-બાપ માટે આધાર કાર્ડ બનવું જોઇયે ને ????

એક સદગ્રહસ્થ જયારે ૪૫ વર્ષની ઉમરનાં હતાં ત્યારે તેમનાં ધર્મપત્નિનો સ્વર્ગવાસ થઈ ગયો. તેમને બીજા લગ્ન્ન કરી લેવા માટે સગા-વહાલાએ ખુબ સમજાવ્યા પરંતુ તેમને એમ કહીને બધાને ઇંન્કાર કરી દીધો કે મારે એક દિકરો છે અને તે દિકરો મારી પત્નિની મને ભેટ છે, તેને હું સારી રીતે જતન કરીને મોટો કરીશ અને તેમાં જ મારી જીંદગી કપાઇ જશે. પુત્ર મોટો થયો તેમના લગ્ન્ન પણ સારી રીતે કર્યા અને બધોજ કારોબાર પુત્રને હવાલે કરી દીધો અને પોતે નિવૃત જીવન ગાળવા લાગ્યા.  પુત્રના લગ્ન્ન બાદ એક વર્ષ પછી તેઓ બપોરનાં જમવાના ટેબલ ઉપર જમવા બેસે છે..જમવાની શરૂઆત કર્યા બાદ તેમણે વહુને કંહ્યુ કે દંહી હોય તો આપોને ? પુત્રની પત્નિએ દંહી નથી એવો જવાબ આપ્યો ..આ જવાબ પુત્ર ધરમાં દાખલ થતા સાંભળી ગયો....પિતાજીએ જમી લીધુ અને પતિ-પત્નિ જમવા બેસે છે.. જમવામાં અન્ય ચીજો સાથે પ્યાલો ભરીને દંહી પણ પત્નિ પિરશે છે. પુત્રે કોઇ પ્રતિક્રીયા ના આપી પરંતુ જમીને ઓફીસે જવા રવાના થઈ જાય છે. થોડા દિવસો પછી પુત્રએ તેમના પિતાજીને કંહ્યુ કે “ પાપા આજે તમારે મારી સાથે કોર્ટ આવવાનું છે, આજે તમારા પુનરલગ્ન્ન છે”. પિતાજીએ કંહ્યુ કે બેટા મારે હવે આ ઉમરે પત્નિની આવશ્યકતા નથી અને હું તને પણ એટલો સ્નેહ આપુ છું કે તારે પણ માઁની આવશ્યકતા નહીં હોય..પછી બીજા લગ્ન્ન શું કામ ?
પુત્રએ જવાબ આપ્યો- “ પિતાજી ના તો હું મારે માટે માઁ લાવી રહ્યો છું કે તમારા માટે પત્નિ” હું તો માત્ર તમારા માટે દંહીનો પ્રબંધ કરી રહ્યો છું. કાલથી હું મારી પત્નિ સાથે ભાડાનાં મકાનમાં રહીશ અને તમારી ઓફીસમાં એક કર્મચારી તરીકેનો પગાર લઈશ જેથી કરીને તમારા દિકરાની વહુ ...મારી પત્નિને દંહીની કિમત સમજાય.

બોધ- માઁ –બાપ સંતાનો માટે એ.ટી.એમ. કાર્ડ બની શકે છે તો સંતાનોએ પણ માઁ-બાપ માટે આધાર કાર્ડ બનવું જોઇયે ને ????

30 January 2017

કર્કવૃત પસાર થતાં રાજ્યો

જાણવા જેવું.....👇🏻
*● કર્કવૃત પસાર થતાં રાજ્યો ●*

*મમી પણ ગુજરાતી છે*

મ= મધ્ય પ્રદેશ
મી= મીજોરમ
પણ(ળ)= પશ્વિમ બંગાળ
ગુ=ગુજરાત
જા=જારખંડ
રા= રાજસ્તાન
તી= ત્રીપૂરા
છે = છતીસગઢ

લક્ષ્મીજી સુવિધા છે અને ભગવાન શ્વાસ છે.

એકવખત લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુ ફરવા માટે નીકળ્યા. બંને પોતપોતાના કામમાં ખુબ જ વ્યસ્ત હોવાથી ઘણા સમય પછી બંનેને એકબીજા સાથે સમય વિતાવવાની તક મળી હતી.

ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને પોતાના કાર્યનો અહેવાલ આપી રહ્યા હતા.

બધી વાત સાંભળ્યા પછી થોડા અભિમાન સાથે લક્ષ્મીજીએ ભગવાનને કહ્યુ," પ્રભુ, આપ જે કંઇપણ વાત કરો છો તે બધુ બરાબર છે પણ આ જગતમાં લોકોને મારી જરુર છે તમારી નહી.

દુનિયામાં તમારા વગર ચાલે પણ મારા વગર ન ચાલે." ભગવાને જોયુ કે લક્ષ્મીજીને અભિમાન આવ્યુ છે એટલે એમણે કહ્યુ," દેવી મને સાબિત કરીને બતાવો કે બધાને તમારી જરુર છે પણ મારી નહી."

લક્ષ્મીજી ભગવાનને પોતાની સાથે લઇને એક નગરમાં ગયા. કોઇ માણસનું અવસાન થયેલુ હશે આથી તેની સ્મશાનયાત્રા નીકળી હતી.

લોકો ભગવાનનું નામ લઇ રહ્યા હતા.લક્ષ્મીજીએ કહ્યુ," પ્રભુ, જુઓ આ બધા તમારુ નામ લઇ રહ્યા છે અને હવે મારા પ્રભાવમાં તમારુ નામ ક્યાં ઉડી જાય છે એ જોજો."

આટલું કહીને લક્ષ્મીજીએ સોનામહોરનો વરસાદ ચાલુ કર્યો. બધા લોકો સ્મશાનયાત્રા ભૂલીને સોનામહોર ભેગી કરવા લાગ્યા.

લક્ષ્મીજીએ હસતા હસતા કહ્યુ," બોલો પ્રભુ, હવે કંઇ કહેવું છે?" ભગવાને કહ્યુ, " દેવી મારે એક જ સવાલ
પુછવો છે આ બધા માણસો તમારી પાછળ દોડ્યા પણ નનામીમાં બાંધેલો કેમ ઉભો ન થયો?"

લક્ષ્મીજી કહે," પ્રભુ, આપ પણ ખરા છો, એ તો હવે મૃત્યુ પામ્યો છે એને હવે મારી શું જરુર"

ભગવાન ખડખડાટ હસી પડ્યા અને પછી બોલ્યા," દેવી હું જીવપ્રાણીમાત્રનો પ્રાણ છું. જો હું જ જતો રહું તો તમારુ કોઇ જ મૂલ્ય નથી."

મિત્રો, લક્ષ્મીજી સુવિધા છે અને ભગવાન શ્વાસ છે. શ્વાસ ચાલતા હોય ત્યારે સુવિધા ઉપયોગી થાય પણ
શ્વાસ જ ન હોય તો સુવિધાને શું કરવાની ?

અમે ઇચ્છીએ કે-
આવી ઉપયોગી માહિતી MAXIMUM લોકો સુધી પહોંચે...

આવા સારા કામમાં મદદ કરો

29 January 2017

*એક નાનકડી વારતા*

*એક  નાનકડી  વારતા*
એક વાણીયા થી લક્ષ્મીજી રિંસાઇ ગયા. જતી વખતે બોલ્યા, હું જઇ રહી છું અને મારી જગ્યાએ તોટો (નુકશાન) આવી રહ્યો છે. તૈયાર થઇ જાવ. પણ જતાં પહેલાં તને અંતિમ ભેટ આપવા માંગું છું. જે ઇચ્છા હોય તે માંગ.
વાણીયો બહું સમજદાર હતો. તેણે વિનંતી કરી, તોટો આવે તો ભલે આવે પણ તેને કહેજો કે, મારા પરિવાર માં આપસી પ્રેમ જળવાઇ રહે. બસ આ જ મારી ઇચ્છા છે.
લક્ષ્મીજી એ તથાસ્તુ કહ્યું.
થોડા દિવસો પછી :-
વાણીયા ની સૌથી નાની વહુ ખિચડી બનાવી રહી હતી. એણે મીઠુ વિગેરે નાખી, બીજા અન્ય કામમાં લાગી ગઇ. ત્યાં બીજા છોકરા ની વહુ આવી, અને એણે વગર ચાખ્યે મીઠુ નાખી ને ચાલી ગઇ. આમ ત્રીજી, ચોથી વહુઓ એ મીઠુ નાખ્યું અને ચાલ્યા ગયા. એમની સાસુ એ પણ એમ જ કર્યું.
સાંજે સૌથી પહેલાં વાણીયો આવ્યો. પહેલો કોળીયો મોઢા માં નાખ્યો, સમજી ગયો. મીઠુ વધારે છે. એ સમજી ગયો. તોટો (હાનિ) આવી ગયો છે. ચૂપચાપ ખિચડી ખાધી અને ચાલ્યો ગયો. એના પછી મોટો છોકરો આવ્યો. પહેલો કોળિયો લિધો, પૂછ્યું, પિતાજી એ ખાધું ? કાંઇ બોલ્યા ?
બધા એ ઉત્તર આપ્યો, હા ખાઇ લિધું, કાંઇ બોલ્યા નથી.
હવે છોકરા એ વિચાર કર્યો કે પિતાજી કાંઇ બોલ્યા નથી તો હું પણ ચૂપચાપ ખાઇ લઉં.
આ પ્રકારે ઘર ના અન્ય સભ્યો એક એક કરીને આવ્યા. પહેલાં વાળા પૂછે અને ચૂપચાપ ખાવાનું ખાઇ ચાલતાં થયા.
રાત્રે તોટો (હાનિ) હાથ જોડીને વાણીયા ને કહેવા લાગ્યો, *"હું જઇ રહ્યો છું."*
વાણીયાએ પૂછ્યું કેમ ?
ત્યારે તોટો (હાનિ) કહે છે, *" આપ લોકો આટલું મીઠુ ખાઇ ગયા, પણ બિલકુલ ઝગડો નથી થયો."*

નિચોડ :-
*ઝગડો, કમજોરી, તોટો નુકશાન ની ઓળખ છે.*
*જ્યાં પ્રેમ છે, ત્યાં લક્ષ્મી નો વાસ છે.*
*સદા પ્યાર-પ્રેમ વહેંચતાં રહો. નાના-મોટા ની કદર કરો.*
*જે મોટા છે તે મોટા જ રહેશે, ચાહે તમારી કમાણી થી એની કમાણી વધારે હોય !*
*જરૂરી નથી કે, જે પોતાનું કાંઇ નથી કરતો તે બીજા નું કાંઇ નહિ કરે !*
*તમારા પરિવાર માં એવા લોકો પણ છે જેને પરિવાર ઉંચો લાવવા પોતાની બધી ખુશીઓ દાવ પર લગાવી દિધી હતી, પણ ગેરસમજ માં બધા પોત-પોતાનું અલગ-અલગ કરી બેઠા છો ! વિચાર જરૂર કરો.*
*જ્યાં પ્રેમ છે ત્યાં વિકાસ છે, લક્ષ્મી છે.*
               *જય   શ્રી   કૃષ્ણ*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

28 January 2017

મિત્રૌ જે બાળકોના માતા પિતા અવસાન પામેલ હોય અને 0 થી 18 વર્ષ ની ઉંમર ઘરાવતા હોય અને અભ્યાસ કરતા હોય તેવા *અનાથ અને નિરાધાર બાળકો માંટે સરકારની પાલક માતા પિતા યોજના શરુ થઇ છે.


*એક વિશેષ જાહેરાત        જરુર વાંચજો*
                                   
 👉મિત્રૌ જે બાળકોના માતા પિતા અવસાન પામેલ હોય અને 0 થી 18 વર્ષ ની ઉંમર ઘરાવતા હોય અને અભ્યાસ કરતા હોય તેવા *અનાથ અને નિરાધાર  બાળકો માંટે સરકારની પાલક માતા પિતા યોજના શરુ થઇ છે.*
જે યોજના હેઠળ દર માસે
રુ.3000 ની સહાય  મળવા પાત્ર છે.માટે આપના  વિસ્તાર માં,પરીચય માં કોઇ અનાથ બાળકો હોય તો આપ જરૂર સંપર્ક કરશો.આ સહાયનો લાભ ગુજરાતમાં રહેતા અનાથ બાળકો જ  લઇ શકે છે,
👉તમારી આજુબાજુમાં કોઇ આવા બાળકો રહેતા હોય તો તેમના પાલક માબાપને આની જાણ કરી કોઇકને સારું જીવન જીવવાની પ્રેરણા આપી તમો પણ  સહભાગી થઇ શકો છો સત્કાર્ય કરવા નમૃ વિનંતી..
👉આ યોજના હેઠળ નીચે મુજબ ના કાગળો જરુરીછે
અરજી ફોર્મ ડાઉનલોડ કરો 👉​​ https://goo.gl/k8Ii1a
(1)બાળક નો જનમ તારીખનો દાખલો,આધારકાર્ડ,બે પાસપોટૅ સાઇજ ના ફોટો
(2)બાળક નો પાલક માતાપિતા સાથેનો ફોટો
(3) આવકનોદાખલો
(મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો 37000થી વધુનો પાલક માતા અથવા પાલક પિતાના નામનો)
(4) માતા અને પિતાના મરણના દાખલા
(5)બાળકની બેંક પાસબુક નકલ
(6)બાળકનો ચાલુ અભયાસનો દાખલો(શાળાના આચાયૅનૉ)
(7)પાલક માતા  અથવા પાલક પિતાના આધાર કાઙ,ચુંટણીકાઙ,રેશનકાઙ,
👉વધુ માહિતી માટે સંપકૅ કરો
Divyakant Parmar
"Protection Officer"
District child Protection
Unit-Ahmedabad
 Government of Gujarat (09727373249)
🙏નોંધ:-તમારી પાસે જેટલા પણ વોટ્સએપના ગ્રુપ હોય બધામાં ફોરવર્ડ કરવા વિનંતી..
વધુ માહીતી 👉​​ https://goo.gl/k8Ii1a
💥કોઇકને આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળે છે.💥  
આભાર સહ..

કેટલીક ગાણિતિક વ્યાખ્યાઓ

કેટલીક ગાણિતિક વ્યાખ્યાઓ

⛈ ☄એકી સંખ્યા
💧 જે સંખ્યાનો એકમનો અંક ૧,૩,૫,૭. કે ૯  હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યા કહે છે.

➖➖➖➖➖➖➖➖➖➖

⛈☄ બેકી સંખ્યા
💧 જે સંખ્યાનો એકમનો અંક ૨,૪,૬,૮ કે ૦ હોય તેવી સંખ્યાઓને બેકી સંખ્યા કહે છે

➖➖➖➖➖➖➖➖➖➖

⛈☄  અવયવ
💧આપેલી સંખ્યાને જે -જે સંખ્યાઓ વડે નિ:શેષ ભાગી શકાય તે-તે સંખ્યાઓ આપેલી સંખ્યાના અવયવ છે તેમ કહેવાય.

➖➖➖➖➖➖➖➖➖➖

⛈☄વિભાજ્ય સંખ્યા
💧જે સંખ્યાને બે થી વધુ અવયવો હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે.

➖➖➖➖➖➖➖➖➖➖

⛈☄ અવિભાજ્ય સંખ્યા
💧જે સંખ્યાને બે અને માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે.

➖➖➖➖➖➖➖➖➖➖

⛈☄સમચ્છેદી અપૂર્ણાંક
💧જે અપૂર્ણાંકોના છેદ સરખા હોય તેવા અપૂર્ણાંકો ને સમચ્છેદી અપૂર્ણાંક કહે છે.

➖➖➖➖➖➖➖➖➖➖

⛈☄ વિષમચ્છેદી અપૂર્ણાંક
💧 જે અપૂર્ણાંકોના છેદ સરખા ના હોય તેવા અપૂર્ણાંકોને વિષમચ્છેદી અપૂર્ણાંક કહે છે.

➖➖➖➖➖➖➖➖➖➖
⛈☄શુધ્ધ અપૂર્ણાંક
💧૧ થી નાના અપૂર્ણાંકોને ને શુધ્ધ અપૂર્ણાંકો કહે છે
અથવા
💧અંશ નાનો હોય ને છેદ મોટો હોય તેવા અપૂર્ણાંકોને શુધ્ધ અપૂર્ણાંકો કહે છે.

➖➖➖➖➖➖➖➖➖➖

⛈☄અશુધ્ધ અપૂર્ણાંક
💧૧ થી મોટા અપૂર્ણાંકોને અશુધ્ધ અપૂર્ણાંક કહે છે
અથવા

💧જે અપૂર્ણાંકોમાં અંશ મોટો હોય ને છેદ નાનો હોય તેવા અપૂર્ણાંકોને અશુધ્ધ  અપૂર્ણાંક કહે છે.

⛈⚡શૂન્ય સિવાયની કોઇપણ સંખ્યાને તે જ સંખ્યા ને તે જ સંખ્યા વડે ભાગતાં જવાબ ૧ મળે છે.

⛈⚡ ગુણાકાર એ પુનરાવર્તી સરવાળો છે.

⛈⚡ ભાગાકાર એ પુનરાવર્તી બાદબાકી છે.

⛈⚡ ૦ ને શૂન્ય સિવાયની કોઇપણ સંખ્યા વડે ભાગતાં ભાગાકાર ૦ જ મળે છે.

⛈⚡ કોઇપણ સંખ્યા ના આવયવોની સંખ્યા નિશ્ચિત હોય છે.

⛈⚡ કોઇપણ સંખ્યાના અવયવીઓની સંખ્યા અસંખ્ય હોય છે.

⛈⚡૧ એ દરેક સંખ્યા નો અવયવ છે અને તે નાનામાં નાનો અવયવ છે.

⛈⚡ દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે. અને તે નાનામાં નાનો અવયવી છે.

⛈⚡દરેક સંખ્યા ૧ નો. અવયવી છે.

ગણિત જ્ઞાન
💦💦💦💦💦💦💦💦💦💦

🍂  ૧,૨,૩,૪,૫.......વગેરે પ્રાકૃતિક સંખ્યાઓ છે.

🍂 ૦,૧,૨,૩,૪,૫......એ પૂર્ણ સંખ્યા છે.

🍂 પહેલો, બીજો, ત્રીજો, ચોથો  .....એ ક્રમસૂચક સંખ્યાઓ છે.

🍂 ૦ એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે.

🍂 ૧ એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે.

🍂 ૧ એ  વિશિષ્ટ સંખ્યા છે. જે અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી.

🍂 ૨ એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે.

🍂 48 સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે.

🍂 ૨ એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે.

27 January 2017

કેટલાંક પ્રસિધ્ધ સ્મારકો અને તેનાં સ્થાપકોં

કેટલાંક પ્રસિધ્ધ સ્મારકો અને તેનાં સ્થાપકોં

👉આગ્રા કિલ્લો - અકબર
👉લાલ કિલ્લો - શાહ જહાં
👉જંતર મંતર - સવાઈ જઇ સિંહ
👉ગોલ્ડન ટેમ્પલ - ગુરુ રામદાસ
👉બીબી કા મક્બરા - ઔરંગઝેબ
👉તાજ મહેલ - શાહ જહાં
👉કૂતૂબ મિનર - કૂતબૂદીન ઐબક
👉ફતેહપુરસીક્રી - અકબર
👉સન ટેમ્પલ - નરસિંહાદેવા
👉હવા મહલ - મહારાજા પ્રતાપ સિંહ
👉મક્કા મસ્જિદ - કૂલિ કૂતૂબ શાહ
👉જૂમ્મા મસ્જિદ - શાહ જહાં
👉મોટી મસ્જિદ - ઔરંગઝેબ
👉ફિરોઝ શાહ કોટલા - ફિરોઝશાહ તુઘલક
👉ચાર મિનાર - કૂલિ કૂતૂબ શાહ
👉સાબરમતી આશ્રમ - ગાંધીજી
👉બેલૂર મઠ  - રવીન્દ્રનાથ ટાગોર
👉જગન્નાથ ટેમ્પલ - અનંતવર્મંન ગંગા
👉વિષ્નુપદ ટેમ્પલ - રાની અહલ્યા બાઈ
👉લાલ બાગ હૈદર અલી
👉સંત જ્યોર્જ કિલ્લો - ઈસ્ટ ઇન્ડિયા કંપની
👉આનંદ ભવન - નહેરુ
👉બૃહદેશ્વર ટેમ્પલ - વિષ્ણુવર્ધના
👉જોધપુર કિલ્લો - રાવ જોધાજી
👉શાલીમાર ગાર્ડન - જહાંગીર
👉અજમેર શરીફ દરગાહ - સુલતાન સયાસુંદ્દિન
👉સાચી સ્તૂપ - અશોક
👉મીનાક્ષી ટેમ્પલ - તિરૂમાલા નાયક
👉ગોળ ગુંબજ - મહંમદ આદિલ શાહ
👉નાલંદા યુનિવર્સિટી - કુમારગુપ્ત

Whatsapp ના આવવાથી...

ઘરમાં ટી વી આવ્યું,
           હું વાંચન ભુલ્યો. 

બારણે ગાડી આવી,
           હું ચાલવાનું ભુલ્યો.

હાથમાં મોબાઇલ આવ્યો,
          હું પત્રલેખન ભુલ્યો. 

કેલક્યુલેટર વપરાશથી,
          ઘડીયા બોલવાનું ભુલ્યો.

એ સી ના સંગતથી,
         ઝાડ નીચેની ઠંડી હવા ભુલ્યો.

શહેરમાં રહેવાથી,
          માટીની વાસ ભુલ્યો.
 
બેંકના ખાતા સંભાળતા સંભાળતા,
          પૈસાની કિંમત ભુલ્યો.      
અભદ્ર ચિત્રો થકી,
           સૌંદ્રય જોવાનું ભુલ્યો. 
       
કૃત્રિમ સેંટના વાસ થકી,
          ફુલોની સુગંધ ભુલ્યો.

ફાસ્ટ ફૂડના જમાનામાં,
          સંતોષનો ઓડકાર ભુલ્યો.

સ્વાથીઁ સંબધો રાખવાથી,
          સાચો પ્રેમ કરવાનું ભુલ્યો.

ક્ષણીક સુખના લોભમાં
         સત્કમઁનો આનંદ ભુલ્યો.

સતત દોડતા રહેવાના જીવનમાં,
          ક્ષણભરનો વિસામો ભુલ્યો.

Whatsapp ના આવવાથી,
સુખેથી સુવાનું ભુલ્યો...

સારું થયું આઝાદ થઈ ગયા

"સારું થયું 
આઝાદ થઇ ગયા...!"

સારું થયું આઝાદ થઇ ગયા. 
એ ગોરા સાલ્લા રસ્તા પર થુકવા દેતા નોતા, 
રસ્તા પાણી થી ધોતા હતા, 
આપણે કેટલા નસીબ- વાળા ? 
ગમે ત્યાં થૂકી શકયા,
ગુટખા ખાઈ.

સારું થયું આઝાદ થઇ ગયા.

તે અંગ્રેજો ગધેડા અનાજ માં ભેળસેળ કરવા દેતા નોતા, 
મૂરખા રાશન માં સારું અનાજ આપતા, 
આપણે કેટલા ભાગ્યશાળી કે હવે દૂધ, દવા, અનાજ- માં બેફામ ભેળસેળ કરવા મુકત થયા,

સારું થયું આઝાદ થયા.

એ મૂરખ અંગ્રેજો 
શિક્ષણ નો વેપાર કરવા દેતા નોતા, 
સારું ઉચ્ચ ગુણવત્તા નું શિક્ષણ મફત આપતા, 
હવે શિક્ષણ નો વેપાર કરી યુવાનો ની જીંદગી બરબાદ કરવા આપણે ભાગ્યશાળી બન્યા,

સારું થયું આપણે આઝાદ થયા.

એ જુલ્મી ધોળિયા અનાથ ગરીબ બાળકો- ને ભીખ માગવા દેતા નોતા,
એ બધા આવા બાળકો માટે અનાથાશ્રમ બનાવતા હતા, 
હવે બાળકો નું અપહરણ કરી, 
અપંગ બનાવી, 
ભીખ મગાવી ઉદાર આપણે થયા,

સારું થયું આઝાદ આપણે થયા.

એ ફિરંગીઓ, લાંચ ખાવા દેતા નોતા, 
એ ગધેડા લાંચ લેનાર- ને લાતો મારી કાઢી મૂકતા હતા, 
હવે આપણે લાંચિયા ની સમૃદ્ધિ માં સહભાગી થવા સક્ષમ થયા,

સારું થયું આઝાદ થઈ ગયા

26 January 2017

રક્ત ટપકતી સો સો ઝોળી....

રક્ત ટપકતી સો સો ઝોળી....

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.

કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
કોઇનો લાડકવાયાની આંખડી અમૃત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
આતમ-દીપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજે અહર્નિશ પ્રભુને પાયે પડતી;
ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.

એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
જોતી એની રૂધિર – છલક્તી ગજગજ પ્હોળી છાતી;
અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’.


- આભાર
પરેશ પુરુષવાણી
ખુનપુર શાળા પરિવાર

25 January 2017

આપણને જીવન ભેટ આપનાર આપણો માલિક ખરેખર આપણા પર કેટલો દયાળું છે...!!!

એક 80 વર્ષનાં ઘરડાં દાદાનું ઓપરેશન ચાલતું હતું...
.
.
3 કલાક ઓપરેશન ચાલ્યું...,...દાદાને થોડા સમય પછી હોશ આવ્યો...
.
.

ડૉક્ટરએ દાદાનું 8 લાખ રૂપિયાનું બિલ બનાવ્યું.

બિલ જોઈને દાદાની આંખમાં આંસુ આવી ગયા.
ડૉક્ટર એ કહ્યું રડશો નહિ...હું સમજીને થોડું બિલ ઓછું કરી દઉં છું.

દાદાએ જવાબ આપતા કહ્યું...
બેટા આતો 8 લાખ જ છે.
હજુ વધારે હોત તો પણ મને કોઈ ગમ ન થતો.

પણ આંખમાં થી આંસુ આવ્યા એટલા માટે કે તે મારા શરીરને ફક્ત 3 કલાક જ સાચવ્યું અને 8 લાખનું બિલ બનાવ્યું...

મારો ખુદા કેટલો દયાળું છે મારા પર...!!!  હું જન્મ્યો છું ત્યારનું મારા શરીરને સાચવીને રાખ્યું છે...અને એતો આવું કોઈ બિલ જ બનાવતો નથી.

દોસ્તો...આપણને જીવન ભેટ આપનાર આપણો માલિક ખરેખર આપણા પર કેટલો દયાળું છે...!!!

તેને ડગલે ને પગલે યાદ કરતા રહેવું જોઈએ...!અને તેનો શુક્ર અદા કરતા રહેવું જોઈએ.

દોસ્તો મારી આ વાત તમારા દિલને થોડી પણ સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે Share કરજો.

21 January 2017

વિદાય ગીત


જાઉં છું....

હસતું-રમતું એક બચપન અહીં મૂકીને જાઉં છું,
સુંદર ભવિષ્યના સપના આંખમાં આંજીને જાઉં છું.

પાટી,પેન,મિત્રો,વૃક્ષોને આ ચકલીઓનો કલબલાટ,
યાદોનું એક આખું ઉપવન ખિચ્ચામાં ભરીને જાઉં છું.

રીત કયાં છે? અહીં તો કસમ છે વિદાય,
અંત નહી,એક નવા આરંભ સાથે જાઉં છું.

વરસશે વરસાદ ને અચાનક હૂં ઉગી જઇશ,
શાળાના પ્રાંગણમાં મારી યાદ વાવીને જાઉં છું.

ભણતરની સાથે શિખવ્યું જેમણે જીવન ઘડતર ,
એ ગુરુજનોના શુભાષિશ માથે ચડાવીને જાઉં છું.
   

કાજલ ઠક્કર
      24-4 15

*26 - જાન્યુઆરી, 2017 રાજવી કવિ કલાપીની જન્મજયંતીએ સંભારણું*

*26 - જાન્યુઆરી, 2017 રાજવી કવિ કલાપીની 143'મી જન્મજયંતીએ સંભારણું*

1- પંખી ઉપર ફેંકેલો પથ્થર જયારે હૃદયને વાગે ત્યારે બની શકાય કલાપી - ડો.હર્ષદેવ માધવ

2- પીર પીડાનો ગઝલનો મીર તું અલબત્ત કલાપી, ગુજરાતી શાયરીની મોંઘી અત્તી મિલકત કલાપી - શ્રી, હર્ષદ ચંદારાણા

3- કટોરાઓ કલા કેરા કલાકારે ભર્યા નાઝીર, કલાને પી જવા માટે કલાપીની જરૂરત છે - શ્રી, નાઝીર દેખૈયા

4-ગઝલની દિવેટે મળે છે કલાપી, સતત તેલ રૂપે બળે છે કલાપી, ભૂમિ તેજવંતી કલાપીનગરની અખંડ દિપ થઇ ઝળહળે છે કલાપી- શ્રી, હર્ષદ ચંદારાણા

5- સૌન્દર્ય આંખોમાં ભરું ત્યાં તો કલાપી સાંભરે, બે વાત ગઝલોની કરું ત્યાં તો કલાપી સાંભરે - શ્રી, હરજીવન દાફડા

6- અધુરી લાગશે ઓળખ તું કલ્પના તો કર ! ગઝલ વગરની કે લાઠી વગર કલાપીની - શ્રી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'

7- હતો એ રાજવી કેવો પ્રતાપી યાદ આવે છે, પ્રણયના ગીતનો ગાયક કલાપી યાદ આવે છે - શ્રી, કુતુબ આઝાદ

8- કેકારવ આપ્યો કવિ સ્નેહે લખિયા છંદ, પ્રેમીજનને વાંચતા અંતરમાં આનંદ - પિંગળશીભાઈ ગઢવી

9- નવા શાસ્ત્રો નવી વેદી, નવી ગીતા કલાપીની, અહા ગુજરાતમાં ટહુંકે અજબ કેકા કલાપીની - કવિ શ્રી, મસ્તાન

10- સ્નેહી, યોગી, કહો રાજા, મહાત્મા, ભક્ત કે કવિ !! પ્રકારો ભિન્ન છે તો એ પૂજા તો સુરસિંહની - કવિ શ્રી, સાગર

11- પૂરો દિલનો દીવાનો યા અજબ મન્સુરનો ચેલો, જીગર મગરૂર મસ્તાનો ખુદા સાથે કર્યા ખેલો - કવિ શ્રી, મસ્તાન

12- ભારતી ભોમના ગુર્જરી વ્યોમમાં, ચમકતો એક ઉગ્યો સિતારો, ધરા સૌરાષ્ટ્રની ચમકતી રહી અને ચમકતો કચ્છ કેરો કિનારો. શારદા માતને, સર્વ ગુજરાતને, ગર્વ ગૌરવ તણાં ગાન આપી, પ્રેમરસ પી ગયો, અશ્રુ આપી ગયો, કલાસ્વામી ગયો તું કલાપી - શ્રી, દુલેરાય કારાણી

13-માઘ, મહેતા,ને મીરાની મસ્તી કહી આપે, જીવનને ધન્ય રાખ્યું, મૃત્યુને મલકાવતું રાખ્યું તમે ! - કવિ શ્રી, ધૈર્યચન્દ્ર બુદ્ધ

14- તમે ગાયા ગીતો પ્રકૃતિ-ઋતુનાં પાનખરનાં, પ્રવાસોનાં, શ્રીનાં, હૃદય-ત્રિપુટીનાં, કબરનાં, અહા! અલ્પાયુષ્યે વિપુલ તવ સમૃદ્ધિ નીરખી, નામે છે સર્વના શિર તુજ પ્રતિ, ધન્ય ધન્ય નૃપતિ - ડો.બટુકરાય હ.પંડ્યા

15- અંતે પામ્યો પરમ પ્રીતની યાદી સન્મુખ સ્થાયી, જ્યાં જ્યાં તારી નજર પડી સર્વત્ર ત્યાં હે કલાપી - કવિ શ્રી, ઉશનસ

16- ઉભી છે ગ્રામ્યમાતા રસભર્યા કૈ પ્યાલાઓ લઈને, ખૂંટે જ્યાં રસ કરુણાનો, તરસમાં આપને જોયા ! - ડો.વી.પી. રાવલ 'અમૃત'

17- તું કલાપી છે કવિ, શાયર વળી દિલદાર છે, ગુર્જરીવાણી તણું તું મોતી પાણીદાર છે, તું વિયોગી, તું જ યોગી, તું જીગરનો યાર છે ! રાગ સાથે ત્યાગની ગઝલો તણો ગાનાર છે - શ્રી, બકુલ રાવલ 'આદમ'

18- એણે સમર્પી દીધું મન પ્રેમ સાધનાને, કેડી કવન, મનનની રચતો ગયો કલાપી - શ્રી, સાગર નવસારવી

19- હજ્જારો મોર જીણાં બોલતા'તા તારે ડુંગરીએ, રસીકજન વાંચવા બેઠા હતા જ્યારે કલાપીને ! - શ્રી, હરીશ મીનાશ્રુ

20- હે ગુર્જરી ગઝલ તું છે કેવી ભાગ્યશાળી ! તું હોય પારણામાં ને દોરી ધરે કલાપી - શ્રી, પ્રણવ પંડ્યા

21- અક્ષરનું સિંહાસન રચીને એણે રાજ્ય સ્થાપ્યું છે 'ગુર્જરી' ગિરામાં - ડો, હર્ષદેવ માધવ

22- હવે ગોપીઓં શોભના થઇ જવાની ! ચલાવી કલાપીએ માયા ગઝલની ! - શ્રી ભરત વિંઝુડા..

23- આરાધના કવનની કરતો ગયો કલાપી ; ચાદર ગઝલ ગગનની વણતો ગયો કલાપી ! - શ્રી સાગર નવસારવી.

24- રાગ ને વિરાગ પણ ઝીણી નજર થી નીરખ્યા ! દીવ્યજ્યોતી નૂર જેવા એ કલાપી ને સલામ - શ્રી, શિવજી રૂખડા.

25- ગેબી કચેરીના દરિયાવ બાદશાહ ! ક્યારેક અમારા ખલકના મયખાનાને જોતો રહેજે !!
તે ઉગાડેલા ફૂલછોડને હજુયે ફૂલ-પતિઓ ઉગ્યા કરે છે ! હજીયે વેદનાની વસંતો ટૂંટવાના અવાજો સંભળાયા કરે છે - શ્રી યશવંત ત્રિવેદી

26- 'બાપુ' મીઠો બોલ,કોને કહી બોલાવીએ ? હોંકારો અણમોલ, દેશે કોણ ? ઓ - સુરસિંહ ! - કવિ શ્રી સંચિત ...

27- પૂરો દિલનો દીવાનો યા અજબ મનસુરનો ચેલો ! જીગર ''મગરૂર મસ્તાનો '' ખુદા સાથે કર્યા ખેલો ! - કવિશ્રી મસ્તાન..

28- પ્રથમ હું નું તું માં રૂપાંતર થવા દે !! પછી પ્રેમ થઈને છલકશે કલાપી !! - મેહુલ ભટ્ટ

29- મૃદુ કેકા તુજ કંપે રે રતિ વિધ શી ! ઘેલા કરતી અભિનવ રસભર હૈયા જો ! ગુર્જર કુંજે કરુણ કલાધર મોરલા !
તારું હતું જીવિત માત્ર જ એક કાવ્ય જો ! - શ્રી બ.ક. ઠાકોર

30- દૈવે શાખી તે આલાપી, દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી - શ્રી ઉમાશંકર જોશી.

31- તમે તો રાજરાણી છો ગઝલના રાજ કરનારા ! બન્યા જોગી અમે ગરવા, સનમને પામવા માટે...॥ - સ્મીરૂ મહેતા...

32- નિમંત્રણ છે નવા લોહીને ,આ શુભ અવસરે પીંછા ! અભિનવ આંબલે આવી, આવીને ધરે પીંછા !
'કલાપી' જેમ ઘા ખમવા રહ્યા લાખેણી લાઠીના ! ઉડી ગયો છે, ગગનમાં મોરલો, આ ફરફરે પીંછા ! - શ્રી ગની દહીંવાલા

33- તત: સવિતા નું ભર્ગ વરેણ્યમ ધીમહી; ગાયત્રી નો જુનો ભેદક મંત્ર જો ; આજે અન્ય પ્રકારે આ માથું નમે ; નમતો સાથે આત્મા નો એ તંત્ર જો ;
સુરતાની વાડીના મોંઘા મોરલા !- કવિશ્રી કાન્ત.

*મિત્રો આપને શેર-શાયરી પસંદ આવ્યા હોય તો મિત્રો સાથે શેઅર કરશો*

15 January 2017

ગુણોત્સવ-૭ ની પુર્વ સન્ધ્યાએ......

ગુણોત્સવ-૭ ની થેલી પેકિઁગની ધ્યાનમાઁ રાખવાની બાબતો:

બાબત -1. ધોરણ 6,7,8 ની અલગ અલગ થેલીમાઁ ઓ.એમ.આર મુકવી.  બાબત - 2.ગેરહાજર બાળકોની ઓ.એમ.આર મુકવાની નથી.બાબત-3.  ધોરણ 6,7,8 માઁ એલ.સી લ ઇ ગયેલ બાળકોની ઓ.એમ.આર કોરી રાખવી.જેને ૧ અલગ થેલીમાઁ ભરવી અને રોજકામ પત્રક-૧ ભરીને સાથે મુકવુઁ.  4. એલ.સી લ ઇ ને આવેલ જે બાળકોનુઁ નામ યાદી માઁ નથી કે તેના નામની છાપેલી ઓ.એમ.આર આવેલ નથી તેવા  બાળકોનુઁ રોજકામ પત્રક-૨ ભરીને આ જ થેલી માઁ મુકશો.અને આ બાળકોની ઓ.એમ.આર હાજર બાળકોની જે તે ધોરણની ઓ.એમ.આર સાથે મુકવી. બાબત-4- રોજકામની કોથળી પર રોજકામ પત્રક ૩ લગાવશો.

ધોરણ ૨ થી ૮ વાઁચન,લેખન,ગણન માઁ જે બાળક ગેરહાજર હોય તેના નામ સામે ખાનુઁ કોરૂ રાખવાનુઁ છે .અર્થાત ગેરહાજર બાળક ના ખાના માઁ કાઁઇ લખવાનુઁ નથી.

ગુણોત્સવ-૭ ની પુર્વ સન્ધ્યાએ......... મિત્રો કેટ્લીક  ગુણોત્સવ દરમ્યાન ઉપયોગી માહિતી નીચે મુજબ છે. જે ધ્યાને રાખીશુઁ.      👉 ધોરણ ૨થી૫ માટે આપેલ ફ્રેમનો જ ઉપયોગ કરીશુઁ.👉 ધોરણ ૬થી૮ વાઁચન,લેખન, ગણન ના મૂલ્યાઁકન માટે આપેલ ધોરણ 5 ની ફ્રેમનો ઉપયોગ કરીશુઁ. 👉 લેખન મૂલ્યાઁકનનુઁ શ્રુતલેખન વર્ગશિક્ષકે કરાવવાનુઁ છે.આવનાર કોઇ બાહ્યમૂલ્યાઁકનકારપોતે  લેખન કરાવવાનો આગ્રહ રાખે તો ગુણોત્સવ માર્ગદર્શિકા પેજ નઁ-7 પરની સુચના બતાવવી. કારણકે વિધ્યાર્થીઓ શિક્ષકના લ્હેકાથી ટેવાયેલા છે.લ્હેકો બદલાય તો પણ વિધ્યાર્થીઓ બરાબર લખી શકતા નથી. 👉 ગણન માટે ફ્રેમ માઁથી 5 દાખલા કા.પા પર લખાવવા.મોઢેથી બોલીને નહી. 👉 આપેલ ટાઇમટેબલ મુજબ કામ કરવુઁ 👉 ધો.૬થી૮ માઁ વિધ્યાર્થીઓને નઁબરA,B,C,D પેપર Day 1,2,3 વગેરે લખવામાઁ શિક્ષકે મદદ કરવી. સુપરવિઝન દરમ્યાન શિક્ષકે વર્ગ છોડવાનો નથી.

👉 બિલકુલ ધીરજથી કામ કરવાનુઁ છે.જેથી ભુલ રહેવા ના પામે. ઓ.એમ.આર માઁ કોઇ જગ્યાએ વ્હાઇટનર નો ઉપયોગ કરવાનો નથી. 👉 ઓ.એમ.આર માઁ બબલ કરવા માટે જાડા પોઇંંટની ઘાટી બોલપેનનો ઉપયોગ કરવો. દા.ત. LIQUIFASTની ૧૦રૂ.વાળી પેન.જેનાથી સ્કેનર સારી રીતે ઘુઁટેલુઁ રીડ કરી શકે.   👉ધોરણ 6 થી 8 ના પ્રશ્નપત્રો 4 કેટેગરી ના આવવાના હોઇ કોઇ પણ એક જ ધોરણ ના વિધ્યાર્થીઓ કોપી ના કરે.કારણકે A,B,C,D ચારે પ્રકારના પ્રશ્નપત્રો ના પ્રશ્ન ક્રમાક આડા અવળા હશે. 👉 બેઠક વ્યવસ્થા એક બેંચ પર ૨ વિધ્યાર્થી બેસી શકે તેવી રાખવી.અને આજુ બાજુ કે આગળ-પાછળ એક ધોરણના વિધ્યાર્થીઓ નજીક ના બેસે તેવી Z આકાર ની બેઠક વ્યવસ્થા કરવી.