22 April 2018

મૂર્ખ ધનવાન બની જાય છે ત્યારે તે પોતાના જ લોકો સાથે હળવા-મળવાનું છોડી દે છે.

*એક ઉંદર કિંમતી હીરો ગળી ગયો. હીરાના માલિકે તે હીરો શોધવા માટે એક શિકારી ભાડે રાખ્યો. જ્યારે શિકારી બધાં ઉંદરોને મારવા પહોંચ્યો તો હજારો ઉંદરો એક થઈ, એકબીજા પર ચઢી શિકારીનો સામનો કરવા સજ્જ થયાં. પરંતુ એક ઉંદર એ બધાંથી અલગ બેઠો હતો. શિકારીએ અચાનક તે ઉંદરને ઝડપી લીધો.શિકારીએ શેઠને કહ્યું કે, આ ઉંદરે જ તમારો કિંમતી હીરો ગળ્યો છે. શેઠ કહે, પણ તને કેવી રીતે ખબર પડી કે આ જ ઉંદર પાસે હીરો છે?*
*શિકારીએ અત્યંત તાર્કિક જવાબ આપ્યો, "બહુ જ સિમ્પલ વાત છે, જ્યારે મૂર્ખ ધનવાન બની જાય છે ત્યારે તે પોતાના જ લોકો સાથે હળવા-મળવાનું છોડી દે છે... "*